PMએ એમ કેમ કહ્યુ- શ્રી કૃષ્ણને સુદામાએ આજે ચોખા આપ્યા હોત તો કોર્ટમાં PIL થઈ જાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે આચાર્ય પ્રમોદ કૃષ્ણમની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે બધા પાસે આપવા માટે કંઈક ને કંઈક હોય છે, પરંતુ મારી પાસે નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, હું માત્ર ભાવના વ્યક્ત કરું છું. સારું થયું કંઇ ન આપ્યું, નહિતર જમાનો એવો બદલાઈ ગયો છે કે જો આજના સમયમાં સુદામા, શ્રીકૃષ્ણને એક પોટલીમાં ચોખા આપતા તો વીડિયો આવી જતો.

સુપ્રીમ કોર્ટમાં PIL થઈ જાત અને જજમેન્ટ આવત કે ભગવાન શ્રીકૃષ્ણને ભ્રષ્ટાચારમાં કંઈક આપવામાં આવ્યું અને ભગવાન કૃષ્ણ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાથે ઉત્તર પ્રદેશની ધરતીથી ભક્તિ અને અધ્યાત્મની વધુ એક ધારા પ્રવાહિત થવાને લાલાયિત છે. આજે વધુ એક પવિત્ર ધામનો પાયો રાખવામાં આવી રહ્યો છે, મને ભવ્ય કલ્કિ ધામના શિલાન્યાસને સૌભાગ્ય મળ્યું છે. મને વિશ્વાસ છે કે કલ્કિ ધામ ભારતીય આસ્થાના વધુ એક વિરાટ કેન્દ્રના રૂપમાં ઉભરીને સામે આવશે.'

તીર્થ સ્થળોના વિકાસ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે વધુ એક આપણાં તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ શહેરોમાં હાઇ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે જો મંદિર બની રહ્યું છે તો દેશભરમાં નવી મેડિકલ કૉલેજ પણ બની રહી છે. આ પરિવર્તન આ વાતનું પ્રમાણ છે કે સમયનું ચક્ર ફરી ચૂક્યું છે એક નવો સમય આજે આપણા દરવાજા પર દસ્તક દઈ રહ્યો છે એટલે મેં લાલ કિલ્લાથી કહ્યું હતું આ જ સમય છે, યોગ્ય સમય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું પ્રમોદ કૃષ્ણમને એક રાજનીતિક વ્યક્તિના રૂપમાં દૂરથી જાણતો હતો, પરંતુ જ્યારે થોડા દિવસ અગાઉ તેમની સાથે મુલાકાત થઈ તો ખબર પડી કે તેઓ એવા ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં કેટલી મહેનતથી લાગ્યા રહે છે. કલ્કિ મંદિર માટે તેમને પહેલાંની સરકારોના સમય લાંબી લડાઈ લડવી પડી. કોર્ટના ચક્કર પણ લગાવવા પડ્યા. આજે અમારી સરકારમાં તેઓ નિશ્ચિંત થઈને આ કામને શરૂ કરી શક્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી કલ્કિ ધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમાં સામેલ થવા સવારે સંભલ પહોંચ્યા હતા. અહી હેલીપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા કાર્યક્રમ સ્થળ પહોંચ્યા અને પૂજામાં સામેલ થયા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું, પૂજા દરમિયાન વડાપ્રધાન મોદીના વધુ એક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજી તરફ કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા.

Related Posts

Top News

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
World 
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
Tech and Auto 
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે

આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
World 
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.