PMએ એમ કેમ કહ્યુ- શ્રી કૃષ્ણને સુદામાએ આજે ચોખા આપ્યા હોત તો કોર્ટમાં PIL થઈ જાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન તેમણે આચાર્ય પ્રમોદ કૃષ્ણમની વાતનું પુનરાવર્તન કરતા કહ્યું કે, પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે બધા પાસે આપવા માટે કંઈક ને કંઈક હોય છે, પરંતુ મારી પાસે નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, હું માત્ર ભાવના વ્યક્ત કરું છું. સારું થયું કંઇ ન આપ્યું, નહિતર જમાનો એવો બદલાઈ ગયો છે કે જો આજના સમયમાં સુદામા, શ્રીકૃષ્ણને એક પોટલીમાં ચોખા આપતા તો વીડિયો આવી જતો.

સુપ્રીમ કોર્ટમાં PIL થઈ જાત અને જજમેન્ટ આવત કે ભગવાન શ્રીકૃષ્ણને ભ્રષ્ટાચારમાં કંઈક આપવામાં આવ્યું અને ભગવાન કૃષ્ણ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાથે ઉત્તર પ્રદેશની ધરતીથી ભક્તિ અને અધ્યાત્મની વધુ એક ધારા પ્રવાહિત થવાને લાલાયિત છે. આજે વધુ એક પવિત્ર ધામનો પાયો રાખવામાં આવી રહ્યો છે, મને ભવ્ય કલ્કિ ધામના શિલાન્યાસને સૌભાગ્ય મળ્યું છે. મને વિશ્વાસ છે કે કલ્કિ ધામ ભારતીય આસ્થાના વધુ એક વિરાટ કેન્દ્રના રૂપમાં ઉભરીને સામે આવશે.'

તીર્થ સ્થળોના વિકાસ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે વધુ એક આપણાં તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ શહેરોમાં હાઇ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે જો મંદિર બની રહ્યું છે તો દેશભરમાં નવી મેડિકલ કૉલેજ પણ બની રહી છે. આ પરિવર્તન આ વાતનું પ્રમાણ છે કે સમયનું ચક્ર ફરી ચૂક્યું છે એક નવો સમય આજે આપણા દરવાજા પર દસ્તક દઈ રહ્યો છે એટલે મેં લાલ કિલ્લાથી કહ્યું હતું આ જ સમય છે, યોગ્ય સમય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું પ્રમોદ કૃષ્ણમને એક રાજનીતિક વ્યક્તિના રૂપમાં દૂરથી જાણતો હતો, પરંતુ જ્યારે થોડા દિવસ અગાઉ તેમની સાથે મુલાકાત થઈ તો ખબર પડી કે તેઓ એવા ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં કેટલી મહેનતથી લાગ્યા રહે છે. કલ્કિ મંદિર માટે તેમને પહેલાંની સરકારોના સમય લાંબી લડાઈ લડવી પડી. કોર્ટના ચક્કર પણ લગાવવા પડ્યા. આજે અમારી સરકારમાં તેઓ નિશ્ચિંત થઈને આ કામને શરૂ કરી શક્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી કલ્કિ ધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમાં સામેલ થવા સવારે સંભલ પહોંચ્યા હતા. અહી હેલીપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા કાર્યક્રમ સ્થળ પહોંચ્યા અને પૂજામાં સામેલ થયા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કલ્કિ ધામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું, પૂજા દરમિયાન વડાપ્રધાન મોદીના વધુ એક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજી તરફ કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.