યુનિફોર્મ સિવિલ કોડ પર PM મોદીનું મોટું નિવેદન, જૂઓ વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ સમાન નાગરિક ધારા પર મોટું નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે વિપક્ષોને પણ આડે હાથે લીધા છે.

PM મોદીએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે એક ઘરમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે. વડાપ્રધાને કહ્યું કે બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે. તેમણે  વિપક્ષ પર આડકતરું નિશાન સાધાને કહ્યું કે, કેટલાક લોકો યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમેરિકાના પ્રવાસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ પર મોટું નિવેદન આપ્યું છે.PM મોદીએ કહ્યું કે દેશ કેવી રીતે બેવડી વ્યવસ્થા સાથે ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટે કહ્યું છે. PM મોદીએ પસમંદા મુસ્લિમો પર પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજકારણે પસમંદા મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુસ્લિમ વોટ બેંકની સાથે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મુસલમાનોને નાગરિક સંહિતાના નામે ભડકાવવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ હવે ત્રિપલ તલાક બંધ થઇ ચૂક્યા છે. તેમણે આગળ કહ્યુ કે, ત્રિપલ તલાક એ મુસલમાન દીકરીઓ સાથે અન્યાય છે. PM મોદીએ કહ્યું કે જે લોકો ત્રિપલ તલાકની તરફેણ કરી રહ્યા છે તે વોટ બેંકના ભૂખ્યા છે.તેઓ મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય કરી રહ્યા છે. ત્રિપલ તલાક આખા પરિવારને નષ્ટ કરી નાંખે છે. PM મોદીએ કહ્યું  કે,તાજેતરમાં, હું ઇજિપ્તમાં હતો તેમણે લગભગ 80-90 વર્ષ પહેલાં ત્રિપલ તાલક તલાક નાબૂદ કરી દીધા છે.

PM મોદીએ વિપક્ષી એકતા પર પણ પ્રહારો કર્યા.PM મોદીએ કહ્યું કે આ લોકો જુગલબંધી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે,વિપક્ષ કૌભાંડોની ખાતરી આપી શકે છે.PM મોદીએ કહ્યું કે વિરોધ પક્ષોને કૌભાંડોનો અનુભવ છે. વિરોધ એ ભ્રષ્ટાચારની ગેરંટી છે. તેમણે RJD, TMCના કૌભાંડો ગણ્વ્યા હતા. તેમણે કહ્યું કે હું તમામ કૌભાંડીઓ અને ગરીબોને લૂંટનારાઓ સામે કાર્યવાહીની ખાતરી આપું છું. તેમણે કહ્યું કે દેશને લૂંટનારાઓનો ચોક્કસ હિસાબ થશે.

About The Author

Related Posts

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.