થાળીમાં ઝેર! જીરું-લવિંગ પણ નકલી, 247 ક્વિન્ટલ ભેળસેળયુક્ત મસાલા જપ્ત, ત્રણની ધરપકડ

શું તમારા રસોડામાં વપરાતા મસાલા સંપૂર્ણપણે સલામત છે? શું તમારા રોજિંદા ભોજનમાં વપરાતા જીરું, અજવાઈન, લવિંગ, વરિયાળી અને સરસવ સંપૂર્ણપણે શુદ્ધ છે? હૈદરાબાદમાં ખાદ્ય ભેળસેળ અંગેના એક મોટા ખુલાસાથી આ પ્રશ્નો વધુ ગંભીર બન્યા છે. પોલીસ અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની સંયુક્ત કાર્યવાહીમાં એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં રોજિંદા ખાદ્ય પદાર્થોમાં ખતરનાક રસાયણો અને ભેળસેળયુક્ત પદાર્થોથી ભરેલા પછી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

હૈદરાબાદ પોલીસની H-FAST એટલે કે હૈદરાબાદ ફૂડ એડલ્ટરેશન સર્વેલન્સ ટીમ અને GHMC ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને 13 મસાલા ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 25.3 ટન ભેળસેળયુક્ત મસાલા જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણ FIR નોંધવામાં આવી છે અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી બધાને ચોંકાવી દે તેવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, લોકોના રસોડા સુધી પહોંચતા મસાલાઓમાં કાપડના રંગો, ઔદ્યોગિક રસાયણો, કૃત્રિમ ખાદ્ય રંગો, ટેલ્કમ પાવડર અને ચોખાના ભૂસાનું તેલ જેવા પદાર્થો ભેળવવામાં આવી રહ્યા હતા. આ મસાલાને ચળકતા અને ભારે દેખાવા માટે કરવામાં આવી રહ્યું હતું, જેનાથી નફો મહત્તમ થાય.

hyderabad-food-adulteration4
ndtv.com

તપાસમાં બહાર આવ્યું છે કે જીરું, અજવાઇન, લવિંગ, શાહી જીરું, વરિયાળી અને સરસવના બીજ જેવા રોજિંદા મસાલાઓમાં પણ આવી જ ભેળસેળ કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હલકી અને રેજેક્ટ કરવામાં આવેલા સરસવના સ્ટોકમાં રસાયણો સાથે ભેળવી તેને બજારમાં ફરીથી વેચવાની યોજના છે.તો, લવિંગ અને શાહી જીરાને ઉચ્ચ ગુણવત્તાવાળા દેખાડવા માટે કૃત્રિમ રંગોથી કોટ કરવામાં આવી રહ્યા હતા.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ એક દિવસની કામગીરી નહોતી. H-FASTએ છેલ્લા 140 દિવસોમાં સતત ઝુંબેશ ચલાવી. આ સમયગાળા દરમિયાન કુલ 659 દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન 202 FIR નોંધવામાં આવી હતી, અને 247 ટનથી વધુ ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરેલી વસ્તુઓની યાદી ખૂબ જ ચિંતાજનક છે. કાર્યવાહી દરમિયાન 27 ટનથી વધુ સડેલા આદુ અને લસણની પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી; અધિકારીઓ અનુસાર આ ઉત્પાદનોમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, 12 ટનથી વધુ બગડેલું ચિકન અને મટન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અધિકારીઓએ આશરે 60 ટન ચિકન કચરો જપ્ત કર્યો હતો જે હોટલોને સપ્લાય કરવા માટે સંગ્રહિત કરવામાં આવી રહ્યો હતો.

hyderabad-food-adulteration
aajtak.in

આ કાર્યવાહી દરમિયાન 25.8 ટન ફળો પણ મળી આવ્યા હતા. જેમને રસાયણોનો ઉપયોગ કરીને પકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 9.2 ટન ભેળસેળયુક્ત અથાણાં અને 3.8 ટન ભેળસેળયુક્ત ચાના પાંદડા જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુરિયા, ડિટર્જન્ટ અને પામ તેલનો ઉપયોગ કરીને સેન્થેટિક પનીર બનાવવામાં આવી રહ્યું હતું. આ સાથે જ ભેળસેળયુક્ત દહીં, ઘી અને ક્રીમ પણ જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ખાદ્ય ઉત્પાદનો બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. દરોડા દરમિયાન તપાસવામાં આવેલી ઘણી ફેક્ટરીઓની સ્થિતિ ભયાનક હોવાનું જાણવા મળ્યું હતું; અધિકારીઓએ જણાવ્યું કે માખીઓ, વંદા અને ગંદી ગટર વચ્ચે ખાદ્ય પદાર્થ બનાવવામાં આવી રહ્યા હતા. આવી અસ્વચ્છ પરિસ્થિતિઓમાં તૈયાર કરાયેલ સામગ્રી જાહેર આરોગ્ય માટે સીધો ખતરો બની શકે છે.

આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓનું કહેવું છે કે, લાંબા સમય સુધી આવા ભેળસેળયુક્ત ખોરાકનું સેવન ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેમના મતે કેન્સર, લીવર અને કિડનીને નુકસાન, પેટની ગંભીર બીમારીઓ, એલર્જી, ચામડીના રોગો અને તંત્રિકા તંત્ર પર લાંબા ગાળાની અસર પડે છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી ફક્ત ખોરાકમાં ભેળસેળનો ખુલાસો નથી; પરંતુ એ વાતના પણ સંકેત છે કે તેઓ ઉચ્ચ નફો કમાવા માટે લોકોના આરોગ્ય સાથે કેટલી હદે ચેડા થઈ રહ્યા છે તે દર્શાવે છે. આ જ કારણે, H-FAST અને GHMC સતત દેખરેખ અને દરોડા પાડી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ફક્ત લાઇસન્સ પ્રાપ્ત વિક્રેતાઓ પાસેથી જ ખાદ્ય સામગ્રી ખરીદે. સાથે જ જો, કોઈ ખાદ્ય ઉત્પાદન અંગે કોઈ શંકા હોય, તો તાત્કાલિક તેની જાણ H-FAST અથવા પોલીસને કરો, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય અને ભેળસેળયુક્ત ખાદ્ય ઉત્પાદનો જાહેર જનતા સુધી પહોંચતા અટકાવી શકાય.

About The Author

Related Posts

Top News

થાળીમાં ઝેર! જીરું-લવિંગ પણ નકલી, 247 ક્વિન્ટલ ભેળસેળયુક્ત મસાલા જપ્ત, ત્રણની ધરપકડ

શું તમારા રસોડામાં વપરાતા મસાલા સંપૂર્ણપણે સલામત છે? શું તમારા રોજિંદા ભોજનમાં વપરાતા જીરું, અજવાઈન, લવિંગ, ...
National 
થાળીમાં ઝેર! જીરું-લવિંગ પણ નકલી, 247 ક્વિન્ટલ ભેળસેળયુક્ત મસાલા જપ્ત, ત્રણની ધરપકડ

7050mAh બેટરી અને DSLR જેવા કેમેરા સાથે Vivo S2 લોન્ચ, જાણો કિંમત

જો તમે પણ નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં એક નવો અને શાનદાર વિકલ્પ આવી ગયો...
Tech and Auto 
7050mAh બેટરી અને DSLR જેવા કેમેરા સાથે Vivo S2 લોન્ચ, જાણો કિંમત

કાવડ યાત્રા એ ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી, રૂ. 10000 કરોડનું અર્થતંત્ર પણ છે

કાવડ યાત્રાના મહત્વ વિશે, શિવ પુરાણમાં જણાવાયું છે કે જે કોઈ શિવલિંગને ગંગા જળથી અભિષેક કરે છે તે પાપોથી...
National 
કાવડ યાત્રા એ ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી, રૂ. 10000 કરોડનું અર્થતંત્ર પણ છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-08-2026 દિવસ: શુક્રવાર મેષ: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા આવક ઓછી દેખાય, કૌટુંબિક પ્રશ્નો વધે, પ્રવાસ ટાળવો. વૃષભ: ધીરજની કસોટી થતી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.