પંકજા મુંડેની ભાજપને ચેતવણી, મને ટિકિટ ન આપવી પાર્ટી માટે...

ભારતીય જનતા પાર્ટીના નેતા પંકજા મુંડેએ તાજેતરમાં ઇશારા ઇશારામાં પોતાની પાર્ટીને સીધો પડકાર ફેંકી દીધો છે. પંકજાએ કહ્યું કે 2024માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ટિકીટ નહીં આપવાનો નિર્ણય કોઇ પણ રાજકીય પાર્ટી માટે સારો નહીં હોય. તમને જણાવી દઇએ કે પંકજા મુંડે ભાજપના દિવગંત નેતા અને નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ગોપીનાથ મુંડેની દીકરી છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદ સંભાળી ચૂકેલા પંકજા મુંડેએ એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મારી પાર્ટી મને ચૂંટણીમાં કેમ નહીં ઉતારશે? મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. જો તે આવો નિર્ણય લેશે તો તેણે લોકોના સવાલોના જવાબ આપવા પડશે.

પંકજાને તેમના પિતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ 2019માં  પાર્લી વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. પંકજાએ એમ પણ કહ્યું હતું કે તે કોઈ નવા મતવિસ્તારની શોધમાં નથી. તેમણે તેમની બહેન, લોકસભાના સભ્ય પ્રીતમ મુંડેને બદલવાની શક્યતાને પણ નકારી કાઢી હતી.

NCP નેતા સુપ્રિયા સુલે દ્રારા પંકજા મુંડે માટે કરવામાં આવેલી સહાનુભુતી ટીપ્પણી પર પંકજાએ કહ્યુ કે, કદાચ તેઓ હજુ પણ એ જ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છે જેનાથી લગભગ 10-12 વર્ષ પહેલાં હું પસાર થઇ હતી. નોંધનીય છે કે, ધનંજય મુંડે હવે NCPના અજિત પવાર જૂથ સાથે છે, જેણે શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિવસેના-ભાજપ-NCP સરકારમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

ભાજપ નેતા પંકજા મુંડેએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે તેમના પરિવાર દ્રારા નિયંત્રિત એક સહકારી ખાંડ મિલને GST વિભાગ તરફથી નોટીસ મળી છે. પંકજાએ કહ્યું હતું કે આ ઘટના બે-ત્રણ મહિના પહેલા થઇ હતી અને હમણાં પણ થઇ છે. હું આની પર સકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છું.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડેએ તાજેતરમાં દાવો કર્યો  હતો  કે તેઓ મરાઠી હોવાને કારણે તેમને પણ મુંબઈમાં ઘર નહોતું મળી શક્યું. મુંડેએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ શેર કર્યું અને દાવો કર્યો કે સરકારી ઘર છોડ્યા પછી જ્યારે તે મુંબઈમાં ઘર શોધી રહી હતી ત્યારે તેણે સમાન ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ નેતાએ કહ્યું કે તેઓ મરાઠી હોવાને કારણે તેમને ઘણી જગ્યાએ ઘર મળી શક્યું નહોતું.

Related Posts

Top News

મુંબઇની જે કોલેજમાં ભણ્યા ત્યાં મુકેશ અંબાણીએ આપી દીધું 152 કરોડનું દાન

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઇની જે કોલેજમાં ભણ્યા હતા ત્યાં 152 કરોડનું દાન કર્યું છે....
Education 
મુંબઇની જે કોલેજમાં ભણ્યા ત્યાં મુકેશ અંબાણીએ આપી દીધું 152 કરોડનું દાન

4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાજસ્થાન એક એવું રાજ્ય છે જ્યાં દર 5 વર્ષે કોંગ્રેસ અને BJP વચ્ચે સત્તા બદલાયા કરતી હોય છે. હાલમાં,...
National 
4 વર્ષે ગેહલોત-પાયલટે બંધ રૂમમાં 1 કલાક ચર્ચા કરી, મુલાકાતથી રાજસ્થાનનું રાજકારણ ગરમાયું

રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું...
Politics 
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું

ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ

દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં પરિસ્થિતિ નાજુક બની ગઈ છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ કારણે અહીંના લોકોનું જીવન...
World 
ચીનના કારણે પાકિસ્તાનના ગધેડાની કિંમત રૂ. 2 લાખ થઇ, જાણી લો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.