પંકજા મુંડેની ભાજપને ચેતવણી, મને ટિકિટ ન આપવી પાર્ટી માટે...

ભારતીય જનતા પાર્ટીના નેતા પંકજા મુંડેએ તાજેતરમાં ઇશારા ઇશારામાં પોતાની પાર્ટીને સીધો પડકાર ફેંકી દીધો છે. પંકજાએ કહ્યું કે 2024માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ટિકીટ નહીં આપવાનો નિર્ણય કોઇ પણ રાજકીય પાર્ટી માટે સારો નહીં હોય. તમને જણાવી દઇએ કે પંકજા મુંડે ભાજપના દિવગંત નેતા અને નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ગોપીનાથ મુંડેની દીકરી છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદ સંભાળી ચૂકેલા પંકજા મુંડેએ એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મારી પાર્ટી મને ચૂંટણીમાં કેમ નહીં ઉતારશે? મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. જો તે આવો નિર્ણય લેશે તો તેણે લોકોના સવાલોના જવાબ આપવા પડશે.

પંકજાને તેમના પિતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ 2019માં  પાર્લી વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. પંકજાએ એમ પણ કહ્યું હતું કે તે કોઈ નવા મતવિસ્તારની શોધમાં નથી. તેમણે તેમની બહેન, લોકસભાના સભ્ય પ્રીતમ મુંડેને બદલવાની શક્યતાને પણ નકારી કાઢી હતી.

NCP નેતા સુપ્રિયા સુલે દ્રારા પંકજા મુંડે માટે કરવામાં આવેલી સહાનુભુતી ટીપ્પણી પર પંકજાએ કહ્યુ કે, કદાચ તેઓ હજુ પણ એ જ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છે જેનાથી લગભગ 10-12 વર્ષ પહેલાં હું પસાર થઇ હતી. નોંધનીય છે કે, ધનંજય મુંડે હવે NCPના અજિત પવાર જૂથ સાથે છે, જેણે શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિવસેના-ભાજપ-NCP સરકારમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

ભાજપ નેતા પંકજા મુંડેએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે તેમના પરિવાર દ્રારા નિયંત્રિત એક સહકારી ખાંડ મિલને GST વિભાગ તરફથી નોટીસ મળી છે. પંકજાએ કહ્યું હતું કે આ ઘટના બે-ત્રણ મહિના પહેલા થઇ હતી અને હમણાં પણ થઇ છે. હું આની પર સકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છું.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડેએ તાજેતરમાં દાવો કર્યો  હતો  કે તેઓ મરાઠી હોવાને કારણે તેમને પણ મુંબઈમાં ઘર નહોતું મળી શક્યું. મુંડેએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ શેર કર્યું અને દાવો કર્યો કે સરકારી ઘર છોડ્યા પછી જ્યારે તે મુંબઈમાં ઘર શોધી રહી હતી ત્યારે તેણે સમાન ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ નેતાએ કહ્યું કે તેઓ મરાઠી હોવાને કારણે તેમને ઘણી જગ્યાએ ઘર મળી શક્યું નહોતું.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.