બોલો કેરળમાં ડાબેરી પાર્ટીના ઉમેદવારને હરાવવા કોંગ્રેસના નેતાઓએ પોતાની પાર્ટી છોડી ભાજપ સાથે હાથ મેળવ્યા

કેરળની એક ગ્રામ પંચાયતમાં, ડાબેરીઓને દૂર રાખવા માટે કોંગ્રેસ અને BJP એ હાથ મેળવ્યા છે. CPI(M)ના નેતૃત્વ હેઠળના ડાબેરી લોકશાહી મોરચાને સત્તાથી દૂર રાખવા માટે, પંચાયતના કોંગ્રેસના સભ્યોએ પાર્ટી છોડી દીધી અને BJP સાથે મળી ગયા હતા. ત્યારપછી તેમણે ત્રિશૂરમાં મત્તાથુર પંચાયતના પ્રમુખ તરીકે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા કોંગ્રેસના બળવાખોર નેતાને પસંદ કર્યા. એક અન્ય કોંગ્રેસના બળવાખોર જેણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, તે  ડાબેરી ઉમેદવાર હતા.

આ નાટકીય ઘટના પછી, રાજ્યના શાસક CPI(M)એ ફરી એકવાર પોતાના સૂત્રનું પુનરાવર્તન કર્યું, 'આજની કોંગ્રેસ આવતીકાલની BJP છે.' આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, CM પિનરાઈ વિજયને રવિવારે ફેસબુક પોસ્ટમાં કહ્યું, 'કેરળની મત્તાથુર પંચાયતમાં ગઈકાલે જે બન્યું તે એક ખતરનાક પ્રવૃત્તિ દર્શાવે છે, કોંગ્રેસના સભ્યો સત્તા કબજે કરવા માટે BJP સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે.'

Kerala Panchayat
facebook.com

CM પિનરાયી વિજયને આગળ લખ્યું, 'આ પક્ષપલટાની રાજનીતિ પક્ષપલટાને સામાન્ય બનાવીને અને લોકશાહી આદેશને નબળી પાડીને સંઘ પરિવારના પ્રોજેક્ટને સીધી રીતે મજબૂત બનાવે છે. અગાઉ અરુણાચલ પ્રદેશ, ગોવા અને પુડુચેરીમાં પણ જોવા મળેલ આ જ પ્રકારનું વર્તન કેરળમાં BJPની મહત્વાકાંક્ષાઓને વેગ આપે છે. કોંગ્રેસ નેતૃત્વએ આ ખતરનાક વલણનો સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.'

હકીકતમાં કેરળમાં, શુક્રવારે પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના પદો માટે ચૂંટણીઓ યોજાઈ હતી, જે નક્કી કરે છે કે, પંચાયતના શાસક મંડળ પર કયો પક્ષ શાસન કરશે. 24 સભ્યોની મત્તાથુર પંચાયતમાં, LDFએ સૌથી વધુ 10 બેઠકો જીતી હતી. કોંગ્રેસના આઠ સભ્યો હતા, જ્યારે BJP પાસે ફક્ત ચાર હતા. અપક્ષ ઉમેદવારો તરીકે ચૂંટણી લડતા બે કોંગ્રેસના બળવાખોરો પણ જીત્યા હતા.

ચૂંટણીની થોડી મિનિટો પહેલા જ, કોંગ્રેસના સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને BJP દ્વારા નિયુક્ત બળવાખોર નેતાને ટેકો આપ્યો. પાર્ટી છોડી ગયેલા કોંગ્રેસના એક સભ્યને BJPના સમર્થનથી ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ જોસેફ તાજેતે રવિવારે જણાવ્યું હતું કે, પક્ષપલટાના આરોપસર આઠ ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો અને બે બળવાખોર સભ્યોને પક્ષપલટાના આરોપસર પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પાર્ટીએ BJP સાથે જોડાણ કરનારા સભ્યોને વ્હીપ મોકલી આપ્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી આ સભ્યો વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણી પંચમાં અરજી દાખલ કરશે.

Kerala Panchayat
jagran.com

ત્રિશૂરના વરિષ્ઠ BJP નેતા B. ગોપાલકૃષ્ણને કહ્યું કે CPI(M) બળવાખોર કોંગ્રેસ નેતાને ઉમેદવાર તરીકે ઉભા રાખીને ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના સભ્યોના રાજીનામા અંગે તેમણે કહ્યું કે, તેઓએ BJP પાસેથી સમર્થન માંગ્યું હતું. તેમણે કહ્યું, 'અમે માંગ કરી હતી કે, કોંગ્રેસના સભ્યો પાર્ટી છોડી દે, અને જ્યારે તેઓએ કોંગ્રેસ છોડી દીધી, ત્યારે અમે તેમનું સ્વાગત કર્યું.'

પંચાયત પ્રમુખ ટેસી જોસેફ (જેમણે કોંગ્રેસ છોડી દીધી હતી)એ રવિવારે મીડિયાને જણાવ્યું હતું કે, 'BJPના સભ્યોએ CPI(M)ના વિરોધને કારણે અમને મત આપ્યો હશે. ડાબેરી પક્ષો તેમના અગાઉના શાસનના ભ્રષ્ટાચારને છુપાવવા માટે પંચાયતમાં સત્તા જાળવી રાખવા માંગતા હતા. અમારો પ્રયાસ આનો સામનો કરવાનો હતો, અને અંતે BJPએ અમને ટેકો આપ્યો.'

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.