તોડીને બનાવેલી સરકાર લાંબા સમય સુધી ચાલતી નથી અને લોકો વિદ્રોહ કરી દે છેઃ વાડ્રા

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતાઓ તરફથી ભ્રષ્ટાચારને લઈને લગાવવામાં આવેલા આરોપો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની નિંદા કરતા બિઝનેમેન રોબર્ટ વાડ્રાએ સોમવારે કહ્યું કે, સરકારો પાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા બનાવવામાં આવેલી સરકારો લાંબા સમય સુધી નહીં ચાલે અને સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી નીડર છે. રોબર્ટ વાડ્રા જે પ્રિયંકા ગાંધીના પતિ છે. તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારના એક્શનથી તેઓ આશ્ચર્યચકિત નથી. કોંગ્રેસ નેતાઓ પર એટલો દબાવ બનાવવામાં આવી રહ્યો છે જેટલા તેઓ ઊભરી રહ્યા છે.

રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, હું આશ્ચર્યચકિત નથી. આ ધારણા ઉત્પન્ન કરવાની તેમની રીત છે. આ પ્રકારની કર્ણાટકમાં 40 ટકા કમિશનની સરકાર હતી. એ જ પ્રકારે અહીં (મધ્ય પ્રદેશમાં) છે. તેઓ ત્યાં પણ સરકાર પાડે છે અને પોતાની રાજનીતિ ચલાવે છે. એ સરકાર લાંબા સમય સુધી ચાલતી નથી અને લોકો વિદ્રોહ કરી દે છે. પ્રિયંકા ગાંધી નીડર છે, રાહુલ ગાંધી નીડર છે, સોનિયાજી નીડર છે.

તેમણે કહ્યું કે, અમે જનતાનો અવાજ સામે રાખીશું. તેઓ કાયદાકીય રૂપે કે એજન્સીઓ દ્વારા કે કોઈ અન્ય રીતે અમારા પર દબાવ નાખશે, પરંતુ તેઓ જેટલો અમારા પર દબાવ નાખશે, અમે એટલી મજબૂતીથી ઉભરીશું. ઈન્દોર પોલીસે સોમવારે કહ્યું હતું કે એક ભાજપના પદાધિકારી નિમેશ પાઠકે ફરિયાદ નોંધાવી છે, જેમાં કહ્યું છે કે એક નકલી ચિઠ્ઠી, જેમાં વ્યક્તિનું નામ જ્ઞાનેન્દ્ર અવસ્થી છે તેને સોશિયલ મીડિયા પર આરોપ સાથે ફેલાવવામાં આવી રહી છે, રાજ્યના કોન્ટ્રાક્ટરો પાસે 50 ટકા કમિશન માગવામાં આવી રહ્યું છે.

પ્રિયકા ગાંધી વાડ્રાએ પોતાની ટ્વીટમાં એક મીડિયા રિપોર્ટના સંદર્ભે શિવરાજ સિંહ ચૌહાણ સરકાર વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું કે, મધ્ય પ્રદેશના કોન્ટ્રાક્ટરોના એક સંગઠને હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક ફરિયાદ પત્ર લખ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે તેમને પેમેન્ટ ત્યારે જ મળશે જ્યારે તે 50 ટકા કમિશન રાજ્યની સરકારને આપશે. મધ્ય પ્રદેશમાં ભાજપ પોતાના જ ભ્રષ્ટાચારના બધા રેકોર્ડથી આગળ નીકળી ગઈ છે. કર્ણાટકની જનતાએ 40 ટકા કમિશનવાળી સરકારને હટાવી દીધી, હવે મધ્ય પ્રદેશના લોકો રાજ્યમાં 50 ટકા કમિશનવાળી સરકાર હટાવી દેશે.

About The Author

Related Posts

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.