...તો એ દિવસ દૂર નથી જ્યારે સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ જ નહીં રહે, રાજનાથ ચિંતિત

જાણતા-અજાણતા જ ભલે, લોકો પોતાના ઘર-પરિવારથી દૂર થતા જઈ રહ્યા છે. લોકો શહેરોમાં કમાવા ગયા, ત્યાં સારી રીતે સેટ થઈ ગયા બાદ ત્યાં જ રહેવા માંડ્યા. ક્યારેક જરૂરિયાત તો ક્યારેક મજબૂરીઓને પગલે વૃદ્ધ માતા-પિતા ગામમાં જ રહી ગયા. ભારતમાં સંયુક્ત પરિવારોની ઘટતી સંખ્યાથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ ખૂબ જ ચિંતિત છે. તેમણે શુક્રવારે એક કાર્યક્રમમાં પોતાની ચિંતા વ્યક્ત કરી. રાજનાથ સિંહે કહ્યું કે, હવે તો ન્યૂક્લિયર ફેમિલી પણ તૂટવા માંડ્યા છે. જો આ સ્પીડને અટકાવવામાં ના આવી તો એ દિવસ દૂર નથી જ્યારે સમાજમાં લગ્નનો કોન્સેપ્ટ જ સમાપ્ત થઈ જશે.

રક્ષા મંત્રીએ કહ્યું કે, ગ્લોબલાઇઝેશન બાદ જે પ્રકારે વર્ક કલ્ચર બદલાઇ રહ્યું છે, તેનાથી સમાજ પર જાણતા-અજાણતામાં નકારાત્મક પ્રભાવ એ પડ્યો છે કે લોકો પોતાના ઘર-પરિવારોથી દૂર થતા જઈ રહ્યા છે. રાજનાથ સિંહે કહ્યું, હું ક્યાંક એક લાઇન વાંચી રહ્યો હતો કે વૃક્ષ ગામમાં જ રહી જાય છે અને ફળ શહેર જાય છે... આ લાઇન આપણા વર્તમાન સમાજને ખૂબ જ બારીકાઇથી વ્યક્ત કરે છે.

રાજનાથ સિંહે કહ્યું કે, વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આવીને જોઇન્ટ ફેમિલીઝ ખંડિત થઈ અને સમાજમાં ન્યૂક્લિયર ફેમિલીઝનું ચલણ વધ્યું. કેટલાક લોકોએ તર્ક પણ આપ્યો કે જોઇન્ટ ફેમિલીઝમાં નવદંપતિને જરૂરી સ્પેસ નથી મળી શકતી. તેનો ઉપાય આવ્યો કે સમાજમાં ન્યૂક્લિયર ફેમિલીઝ બનવાની શરૂ થઈ. પરંતુ, સામાજિક બદલાવોની પોતાની એક ગતિ હોય છે... એક દિશા હોય છે જે શરૂ થયા બાદ એ જ તરફ આગળ વધતી રહે છે.

આ અંગે રાજનાથ સિંહે કહ્યું કે, ન્યૂક્લિયર ફેમિલીઝ સુધી તો બરાબર હતું પરંતુ અનેક એવા કારણ સમાજમાં ઉત્પન્ન થવા માંડ્યા જેને પગલે ન્યૂક્લિયર ફેમિલીઝ પણ તૂટી અને સબ-ન્યૂક્લિયર ફેમિલીઝ તરફ સમાજ આગળ વધ્યો. હવે જગ્યાએ-જગ્યાએ સિંગલ પેરેન્ટિંગ પણ જોવા મળવા માંડ્યુ છે. જો બદલાવની આ ગતિને રોકવામાં ના આવી તો એ દિવસ દૂર નથી જ્યારે સમાજમાં લગ્નની જ સંકલ્પના સમાપ્ત થઈ જશે અને લોકો સિંગલ હાઉસહોલ્ડના રૂપમાં દેખાવા માંડશે.

રાજનાથ સિંહે કહ્યું કે, આ પસંદની સ્વતંત્રતાનો મામલો પ્રતીત થઈ શકે છે પરંતુ, વાસ્તવમાં આ મનુષ્યને એકલતા તરફ ધકેલનારું એક મોટું સામાજિક સંકટ છે જેનાથી બચવાની આવશ્યકતા છે. ઘણા ચિકિત્સા અધ્યયન જણાવે છે કે, એકલતા વ્યક્તિની શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું મૂળ કારણ છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે શું આપણે તથાકથિત આધુનિકતાના નામ પર પોતાની સામાજિક ભલાઈને નષ્ટ કરી રહ્યા છીએ.

સિંહે કહ્યું કે, લોકો કામની શોધમાં પોતાના મૂળ સ્થાનોથી શહેરી કેન્દ્રો અને અન્ય સ્થાનો પર જાય છે. પોતાના મૂળથી કપાયેલા, તેઓ એકલા અને અસુરક્ષિત અનુભવ કરે છે જે તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ નાંખે છે. રાજનાથ સિંહે આ વાતો શુક્રવારે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન એકેડમીના 63માં સ્થાપના દિવસ પર વર્ચ્યુઅલી કહી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.