સ્વતંત્રતા સંગ્રામમાં RSSનું કોઈ યોગદાન નથી:CM નીતિશ કુમારે સંઘ પર પ્રહારો કર્યા

બિહારના CM નીતિશ કુમારે એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને PM મોદી પર જોરદાર નિશાન સાધ્યું. CM નીતિશ કુમારે કહ્યું કે, RSSને સ્વતંત્રતા સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી. આ સાથે PM નરેન્દ્ર મોદીને નવા દેશના નવા પિતા બનાવવા પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

CM નીતીશ કુમારે કહ્યું, 'તેમને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી. શું RSSનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ યોગદાન હતું? અમારા પિતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતા, અમે તેમની પાસેથી સ્વતંત્રતા સંગ્રામની દરેક વાત જાણી હતી. બાપુના યોગદાનને તો આપણે ક્યારેય ભૂલી ન શકીએ. 'નવા રાષ્ટ્રપિતા' વિશે અમને સાંભળવા મળ્યું છે, ન્યૂઝ પેપરોમાં વાંચ્યું છે. બતાવો 'નવા ભારત'ના 'નવા પિતા' એ દેશ માટે શું કર્યું?, બતાવો, ભારત ક્યાં આગળ વધ્યું છે. એટલું જ ને કે, નવી ટેક્નૉલૉજી આવી, પરંતુ તેનો પણ તેઓએ બળપૂર્વક ઉપયોગ કર્યો.'

આ પહેલા રાહુલ ગાંધીની PM પદની ઉમેદવારી અંગે CM નીતિશ કુમારે કહ્યું હતું કે, વિપક્ષ વતી અમને રાહુલ ગાંધીના PM તરીકેના ચહેરાથી કોઈ સમસ્યા નથી. આ માટે વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે વાત કરશે અને તેમને એક કરવાની જરૂર છે. અમને કોઈ સમસ્યા નથી. બેઠક કરીને ચર્ચા કરીશું. CM નીતિશ કુમારે કહ્યું કે, પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવું દરેકનું પોતાનું કામ છે. અમને પાર્ટીના કામથી કોઈ મતલબ નથી. જેવા આ લોકો તેમના કામમાંથી મુક્ત થઈ જશે. ત્યાર પછી ફરીથી બેઠક બોલાવીશું.

CM નીતિશ કુમારે કહ્યું કે, અમે બેઠકમાં એકબીજા સાથે વાત કરીશું અને ભવિષ્ય અંગે નિર્ણય કરીશું. તેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અત્યારે પોતપોતાના કાર્યક્રમ ચાલે છે. CM  નીતીશ કુમારે કહ્યું કે, તેમને રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર બનાવે તેમાં કોઈ વાંધો નથી. જો કે, તેમણે ફરી વખત કહ્યું કે, તેઓ દાવેદાર નથી.

અહીં તમને જણાવી દઈએ કે, પૂર્વ સાંસદ CM અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની ચૂંટણીમાં વિપક્ષ તરફથી PM પદના સંયુક્ત ઉમેદવાર હશે. ભારત જોડો યાત્રા માટે કમલનાથે ખુલ્લેઆમ રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કહ્યું, તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ PM પદના ઉમેદવાર પણ હશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.