સમલૈંગિક લગ્ન અંગે સુપ્રીમે આપી દીધો ઐતિહાસિક ચુકાદો, જાણો શું કહ્યું ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવિધાન પીઠે મંગળવારે સમલૈંગિક લગ્નને મૌલિક અધિકારના રૂપમાં કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે સમલૈંગિક કપલોને સામેલ કરવામાં નિષ્ફળ રહેવાના કારણે સ્પેશિયલ મેરેજ એક્ટના પ્રાવધાનોને શૂન્ય કે ગેરકાયદેસર માનવાથી પણ ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટની બેન્ચ તેના પર સહમત થઈ કે સમાન લિંગવાળા કપલોને સામેલ કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટના પ્રાવધાનોને શબ્દોમાં નહીં વાંચી શકાય.

પીઠનું માનવું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં કોઈ પણ પ્રકારના બદલાવ કરવો વિધાયી ક્ષેત્રમાં ઘૂસણખોરી સમાન હશે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં બદલાવને લઈને કાયદાકીય અડચણના કારણે જ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો. જો કે, કોર્ટે સરકારને એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપતા LGBTQ સમુદાયની ચિંતાઓ પર ધ્યાન તેમજ તેમને કોઈ પણ પ્રકારના ઉત્પીડનથી બચાવવાની આવશ્યકતા પર ભાર આપ્યો.

સુપ્રીમ કોર્ટના બેંચનું સ્પષ્ટ માનવું હતું કે, સમલૈંગિકને કાયદાકીય માન્યતા પ્રાપ્ત કરવા માટે કાયદાકીય આધાર ઉપયુક્ત નથી. તેના માટે સેકડો કાયદામાં સંશોધનની આવશ્યકતા હશે. તેની સાથે જ વ્યક્તિગત કાયદાઓની હાલની વ્યવસ્થા અને કોઈ પણ સામાન્ય નાગરિક સંહિતાની અનુપસ્થિતિ, એ મુખ્ય કારણ રહ્યા જેના કારણે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો. કોર્ટે સમલૈંગિક સમુદાયની ફરિયાદોને દૂર કરવા માટે કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક વિશેષ સમિતિ બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો.

CJI ડી.વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.કે. કૌલે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સમલૈંગિક કપલોને દત્તક લેવાનો અધિકાર છે. જો કે, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ, હિમા કોહલી અને પી.એસ. નરસિંહાએ તેના પર અસહમતી દર્શાવી અને CARA નિયમોને યથાવત રાખ્યા. જેમાં સમલૈંગિક અને અપરિણીત કપલને સામેલ ન કરવામાં આવ્યા. CJIએ કહ્યું કે, જીવન સાથે પસંદ કરવું જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. સાથી પસંદ કરવા અને એ સાથી સાથે જીવન જીવવાની ક્ષમતા, જીવન અને સ્વતંત્રતાના અધિકારના દાયરામાં આવે છે. જીવનના અધિકાર અંતર્ગત જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. LGBTQ સમુદાય સહિત બધા વ્યક્તિને સાથી પસંદ કરવાનો અધિકાર છે.

CJIએ આપ્યા નિર્દેશ:

CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિક અધિકારોને સુનિશ્ચિત કરવા માટે ઉચિત પગલાં ઉઠાવવાના નિર્દેશ આપ્યા.

CJIએ કેન્દ્ર સરકારને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવા કહ્યું.

આ કમિટી રાશન કાર્ડોમાં સમલૈંગિક કપલોને પરિવારના રૂપમાં સામેલ કરવા પર નિર્ણય લેશે.

કમિટી તેના પર વિચાર કરશે કે શું ચિકિત્સા નિર્ણય, જેલ યાત્રા, શબ પ્રાપ્ત કરવાના અધિકાર હેઠળ પરિવાર માની શકાય છે.

એ સિવાય કમિટી સંયક્ત બેંક ખાતા માટે નામાંકન કરવા, નાણાકીય લાભ, પેન્શન, ગ્રેચ્યુટી વગેરે સાથે મળવાના અધિકાર સુનિશ્ચિત કરવાના મુદ્દે વિચાર કરશે

CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે તેઓ સુનિશ્ચિત કરે કે સમલૈંગિક સમુદાય માટે સેફ હાઉસ, ડૉક્ટરના ટ્રીટમેન્ટ, એક હેલ્પલાઈન ફોન નંબર જેના પર તેઓ પોતાની ફરિયાદ કરી શકે. સામાજિક ભેદભાવ ન હોય, પોલીસ તેમને પરેશાન ન કરે. જો તેઓ ઘર ન જાય તો તેમને બળજબરીપૂર્વક ન મોકલે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.