ઠંડીમાં સ્કૂલના છોકરાઓને બહાર બેસાડી રાખ્યા પણ મુખ્યમંત્રી મળવા ન પહોંચ્યા

મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચમી જાન્યુઆરીથી સમાધાન યાત્રા પર નીકળ્યા છે. તેના હેઠળ તે વિભિન્ન જિલ્લાઓમાં જઇ રહ્યા છે અને ત્યાંના વિકાસ કાર્યોનું નીરીક્ષણ કરી રહ્યા છે. આ દરમિયાન સીતામઢીમાં પ્રશાસનની બેદરકારી જોવા મળી હતી. છઠ્ઠી જાન્યુઆરીના રોજ નીતિશ કુમાર સીતામઢીમાં હતા. તેમના આગેવાનીને લઇને પ્રશાસન સ્કૂલના છોકરાઓનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત કરવા માટે સ્કુલના છોકરાઓને સવારે આઠ વાગાથી જ ખુલ્લી જગ્યામાં બેઠા ઠંડીમાં બપોરના બે વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. દલિત ટોલામાં સ્કૂલના છોકરાઓને 6 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. છોકરાઓ પ્રશાસનના નિર્દેશ પર મુખ્યમંત્રીની રાહ જોતા રહ્યા, પણ નીતિશ કુમારને તેમને મળવાનો સમય ન મળ્યો. મુખ્યમંત્રી બાળકો પાસે ન પહોંચી શક્યા.

આ મુદ્દાને લઇને સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ માગ કરી છે કે, અહીં સ્કૂલોમાં શિક્ષકોની બહાલી કરવામાં આવે. સડક, પાણી જેવી સુવિધાઓ નથી. પુલ પણ ધ્વસ્થ થઇ ગયો છે. શૌચાલય, સામુદાયિક ભવન બનવું જોઇએ. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર અહીં દલિત ટોલા ન પહોંચ્યા અમે લોકો તેમની રાહ જોતા જ રહી ગયા. એક તરફ સ્કૂલના છોકરાઓનો ઉપયોગ થઇ રહ્યો છે તો બીજી બાજુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે, સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જનતા વચ્ચે નહીં જશે અને તેમની સમસ્યાઓને નહીં સાંભળશે તો પછી સમાધાન કઇ રીતે નીકળશે.

લોકસભાની ચૂંટણી 2024 માટે નીતિશ કુમારની સમાધાન યાત્રા મહત્વની છે. યાત્રા દરમિયાન મિશન દિલ્હી માટે જનતાનો મૂડ જાણશે. નીતિશ ખુલીને પોતાને વિપક્ષના વડાપ્રધાન ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ તો નથી કરી રહ્યા ને, પણ તેમની નજર હવે રાષ્ટ્રીય રાજકારણ પર છે અને કેન્દ્રના સાશનમાં પોતાની પાવરફુલ હાજરી નોંધાવવા માગે છે.

નીતિશ કુમાર વિપક્ષી દળોને એક સાથે લાવી શકે છે. તેમની નજર ક્યાંકને ક્યાંક વડાપ્રધાનની ખુરશી પર છે. જનતાના મૂડને સમજવું તેમની આ યાત્રાનો હિડન એજન્ડા છે. આ યાત્રામાં તેઓ સરકારી કામકાજનું નીરીક્ષણ કરી રહ્યા છે. વિકાસ કામોની સમીક્ષા કરી રહ્યા છે. દારૂપંધીને લઇને જાગરૂકતા અભિયાન પણ ચાલી રહ્યું છે. આ યાત્રા વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારની કોઇ જનસભા ન થશે. સમાધાન યાત્રાનું પહેલું ચરણ 29મી જાન્યુઆરી સુધી ચાલશે, તેમાં 18 જિલ્લાને કવર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.