ઠંડીમાં સ્કૂલના છોકરાઓને બહાર બેસાડી રાખ્યા પણ મુખ્યમંત્રી મળવા ન પહોંચ્યા

મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચમી જાન્યુઆરીથી સમાધાન યાત્રા પર નીકળ્યા છે. તેના હેઠળ તે વિભિન્ન જિલ્લાઓમાં જઇ રહ્યા છે અને ત્યાંના વિકાસ કાર્યોનું નીરીક્ષણ કરી રહ્યા છે. આ દરમિયાન સીતામઢીમાં પ્રશાસનની બેદરકારી જોવા મળી હતી. છઠ્ઠી જાન્યુઆરીના રોજ નીતિશ કુમાર સીતામઢીમાં હતા. તેમના આગેવાનીને લઇને પ્રશાસન સ્કૂલના છોકરાઓનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત કરવા માટે સ્કુલના છોકરાઓને સવારે આઠ વાગાથી જ ખુલ્લી જગ્યામાં બેઠા ઠંડીમાં બપોરના બે વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. દલિત ટોલામાં સ્કૂલના છોકરાઓને 6 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. છોકરાઓ પ્રશાસનના નિર્દેશ પર મુખ્યમંત્રીની રાહ જોતા રહ્યા, પણ નીતિશ કુમારને તેમને મળવાનો સમય ન મળ્યો. મુખ્યમંત્રી બાળકો પાસે ન પહોંચી શક્યા.

આ મુદ્દાને લઇને સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ માગ કરી છે કે, અહીં સ્કૂલોમાં શિક્ષકોની બહાલી કરવામાં આવે. સડક, પાણી જેવી સુવિધાઓ નથી. પુલ પણ ધ્વસ્થ થઇ ગયો છે. શૌચાલય, સામુદાયિક ભવન બનવું જોઇએ. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર અહીં દલિત ટોલા ન પહોંચ્યા અમે લોકો તેમની રાહ જોતા જ રહી ગયા. એક તરફ સ્કૂલના છોકરાઓનો ઉપયોગ થઇ રહ્યો છે તો બીજી બાજુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે, સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જનતા વચ્ચે નહીં જશે અને તેમની સમસ્યાઓને નહીં સાંભળશે તો પછી સમાધાન કઇ રીતે નીકળશે.

લોકસભાની ચૂંટણી 2024 માટે નીતિશ કુમારની સમાધાન યાત્રા મહત્વની છે. યાત્રા દરમિયાન મિશન દિલ્હી માટે જનતાનો મૂડ જાણશે. નીતિશ ખુલીને પોતાને વિપક્ષના વડાપ્રધાન ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ તો નથી કરી રહ્યા ને, પણ તેમની નજર હવે રાષ્ટ્રીય રાજકારણ પર છે અને કેન્દ્રના સાશનમાં પોતાની પાવરફુલ હાજરી નોંધાવવા માગે છે.

નીતિશ કુમાર વિપક્ષી દળોને એક સાથે લાવી શકે છે. તેમની નજર ક્યાંકને ક્યાંક વડાપ્રધાનની ખુરશી પર છે. જનતાના મૂડને સમજવું તેમની આ યાત્રાનો હિડન એજન્ડા છે. આ યાત્રામાં તેઓ સરકારી કામકાજનું નીરીક્ષણ કરી રહ્યા છે. વિકાસ કામોની સમીક્ષા કરી રહ્યા છે. દારૂપંધીને લઇને જાગરૂકતા અભિયાન પણ ચાલી રહ્યું છે. આ યાત્રા વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારની કોઇ જનસભા ન થશે. સમાધાન યાત્રાનું પહેલું ચરણ 29મી જાન્યુઆરી સુધી ચાલશે, તેમાં 18 જિલ્લાને કવર કરવામાં આવશે.

Top News

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.