ઠંડીમાં સ્કૂલના છોકરાઓને બહાર બેસાડી રાખ્યા પણ મુખ્યમંત્રી મળવા ન પહોંચ્યા

મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચમી જાન્યુઆરીથી સમાધાન યાત્રા પર નીકળ્યા છે. તેના હેઠળ તે વિભિન્ન જિલ્લાઓમાં જઇ રહ્યા છે અને ત્યાંના વિકાસ કાર્યોનું નીરીક્ષણ કરી રહ્યા છે. આ દરમિયાન સીતામઢીમાં પ્રશાસનની બેદરકારી જોવા મળી હતી. છઠ્ઠી જાન્યુઆરીના રોજ નીતિશ કુમાર સીતામઢીમાં હતા. તેમના આગેવાનીને લઇને પ્રશાસન સ્કૂલના છોકરાઓનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત કરવા માટે સ્કુલના છોકરાઓને સવારે આઠ વાગાથી જ ખુલ્લી જગ્યામાં બેઠા ઠંડીમાં બપોરના બે વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. દલિત ટોલામાં સ્કૂલના છોકરાઓને 6 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. છોકરાઓ પ્રશાસનના નિર્દેશ પર મુખ્યમંત્રીની રાહ જોતા રહ્યા, પણ નીતિશ કુમારને તેમને મળવાનો સમય ન મળ્યો. મુખ્યમંત્રી બાળકો પાસે ન પહોંચી શક્યા.

આ મુદ્દાને લઇને સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ માગ કરી છે કે, અહીં સ્કૂલોમાં શિક્ષકોની બહાલી કરવામાં આવે. સડક, પાણી જેવી સુવિધાઓ નથી. પુલ પણ ધ્વસ્થ થઇ ગયો છે. શૌચાલય, સામુદાયિક ભવન બનવું જોઇએ. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર અહીં દલિત ટોલા ન પહોંચ્યા અમે લોકો તેમની રાહ જોતા જ રહી ગયા. એક તરફ સ્કૂલના છોકરાઓનો ઉપયોગ થઇ રહ્યો છે તો બીજી બાજુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે, સમાધાન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જનતા વચ્ચે નહીં જશે અને તેમની સમસ્યાઓને નહીં સાંભળશે તો પછી સમાધાન કઇ રીતે નીકળશે.

લોકસભાની ચૂંટણી 2024 માટે નીતિશ કુમારની સમાધાન યાત્રા મહત્વની છે. યાત્રા દરમિયાન મિશન દિલ્હી માટે જનતાનો મૂડ જાણશે. નીતિશ ખુલીને પોતાને વિપક્ષના વડાપ્રધાન ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ તો નથી કરી રહ્યા ને, પણ તેમની નજર હવે રાષ્ટ્રીય રાજકારણ પર છે અને કેન્દ્રના સાશનમાં પોતાની પાવરફુલ હાજરી નોંધાવવા માગે છે.

નીતિશ કુમાર વિપક્ષી દળોને એક સાથે લાવી શકે છે. તેમની નજર ક્યાંકને ક્યાંક વડાપ્રધાનની ખુરશી પર છે. જનતાના મૂડને સમજવું તેમની આ યાત્રાનો હિડન એજન્ડા છે. આ યાત્રામાં તેઓ સરકારી કામકાજનું નીરીક્ષણ કરી રહ્યા છે. વિકાસ કામોની સમીક્ષા કરી રહ્યા છે. દારૂપંધીને લઇને જાગરૂકતા અભિયાન પણ ચાલી રહ્યું છે. આ યાત્રા વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારની કોઇ જનસભા ન થશે. સમાધાન યાત્રાનું પહેલું ચરણ 29મી જાન્યુઆરી સુધી ચાલશે, તેમાં 18 જિલ્લાને કવર કરવામાં આવશે.

About The Author

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.