ગોબરથી બન્યા 35 ફૂટના હનુમાનજી, 1000 વર્ષ સુધી ખરાબ નહીં થાય મૂર્તિ

રાજસ્થાનના જયપુરથી ગોબર અને માટીથી બનેલી ઉત્તર મુખી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેની ઊંચાઇ 35 ફૂટ છે અને સ્થાપના મહાલક્ષ્મી નારાયણ ધામ પરિસરમાં કરવામાં આવી છે. સંકટ મોચન ગોબરિયા હનુમાનજીની પૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગત 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એ સિવાય 20 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું ગર્ભગૃહ પણ બનાવવામાં આવ્યું છે. આખા મંદિર પર ગોબરનો લેપ કરવામાં આવ્યો છે, તેમાં મુખ્ય મૂર્તિનો આકાર 35 ફૂટ ઊંચો, 18 ફૂટ પહોળો અને 4 ફૂટ મોટો છે.

હનુમાનજીની આ વિશાળકાય પ્રતિમાને બનાવવા માટે ગોબરની 23 હજાર ઈંટ લાગી છે. સાથે જ ગોબરથી જ દોઢ ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા અને એક ફૂટ ઊંચી લક્ષ્મીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. મંદિરના પૂજારી વિષ્ણુ દત્ત શર્માએ જણાવ્યું કે, ગાયના ગોબર અને માટીથી બનેલી મૂર્તિ બનાવવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો છે. તેને 7 કારીગરોએ મળીને બનાવી છે. તેને બનાવવામાં 17 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જો કે, પરિયોજના પૂરી કરવામાં 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેમાં અત્યારે 121 ફૂટની ગાયના ગોબરની મહાલક્ષ્મીજીની મૂર્તિ સહિત કેટલાક અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થશે.

મંદિર મેનેજમેન્ટનો દાવો છે કે, ગાયના ગોબરની આ વિશાળકાય પ્રતિમા એક હજાર વર્ષ સુધી જેવીની તેવી બનેલી રહેશે. તેના માટે મૂર્તિ બનાવવામાં ગોબર સિવાય મેદો, લાકડી, ચૂનો અને પથ્થર વગેરેનું મિશ્રણ કરવામાં આવ્યું છે. સાથે જ સિંદુર ભેળવીને ચડાવવામાં આવ્યું છે. એ સિવાય આખા સ્ટ્રક્ચરને ગોબરથી બનેલા ગર્ભગૃહથી કવર કરવામાં આવ્યું છે. મંદિરની છત ઉપર ટીન શેડ લગાવવામાં આવ્યો છે જેથી વરસાદમાં પણ મૂર્તિ પૂરી રીતે સુરક્ષિત રહે. હવે ભક્ત આ અનોખા મંદિરમાં પોતાની અરજી લઇને આવે છે અને હનુમાનજી આગળ કષ્ટ હરવાની કામનાઓ કરે છે.

છત્તીસગઢમાં એક 350 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં સુરહિન ગાયના ગોબરથી બનેલી હનુમાનજીની પ્રતિમા આવેલી છે. તે આજે પણ જેવીની તેવી છે. આ મંદિર પર લોકોની અતૂટ આસ્થા છે. મંદિર પરિસરમાં એક કુંડ છે, જેનું પાણી અમૃત માનવામાં આવે છે. ચર્મ રોગના પીડિત પણ સારા થઇ જાય છે. આ પાવન તપોભૂમિનું નામ છે શ્રી સૂક્ખડનાથ ધામ.  છત્તીસગઢના દુર્ગ જિલ્લાના મુખ્યાલયથી દુર્ગ-ભિંભૌરી મુખ્ય માર્ગ પર નારધા ગામના એક મંદિરમાં હનુમાનજીની એવી પ્રતિમા છે જે ગાયના ગોબરથી નિર્મિત છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.