ગામવાળાઓએ મહિલા ગર્ભવતી છે એવી ખોટી ખબર ફેલાવી, કારણ જાણી તમે કહેશો...બરાબર કર્યું

મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના ઘનસોર બ્લોકના સાલીવાડા ગામના લોકોએ એક અનોખી રીત અપનાવી. તેમણે સિવની પ્રશાસનને ગામના રસ્તા અને નાળાની ખરાબ હાલત બાબતે જણાવવા માટે આ નવી રીત અપનાવી છે. ગ્રામજનોએ આરોગ્ય વિભાગને એક ગર્ભવતી મહિલાના પ્રસૂતિના ખોટા સમાચાર આપ્યા. તેમનો હેતુ હતો આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસન સુધી તેમની સમસ્યા પહોંચાડવાનો. વરસાદને કારણે ગામનો રસ્તો અને નાળુ બંને જ ખરાબ થઈ ગયા છે.

વરસાદને કારણે સાલીવાડા ગામનો કાચો રસ્તો અને અધૂરું નાળુ પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોએ જણાવ્યું કે ખરાબ રસ્તાને કારણે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ઘણી વખત પ્રશાસનને ફરિયાદ કરી, પરંતુ કોઈ સુનાવણી ન થઈ. એટલે તેમણે આરોગ્ય વિભાગને ખોટા સમાચાર આપવાનો નિર્ણય લીધો. પ્રેન્ક કર્યું. સમાચાર મળતા જ, આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ સાથે ગામમાં પહોંચી, પરંતુ પાણી ભરાયેલા નાળાને કારણે તેઓ ગામમાં પહોંચી ન શક્યા. ટીમે ફોન કરીને ગર્ભવતી મહિલાને નાળુ પાર કરાવી લાવવાનું કહ્યું. ત્યારે ગ્રામજનોએ કહ્યું કે મહિલાની ડિલિવરી થવાની નથી નથી. એક કિશોર અને એક મહિલા બીમાર છે. તેમને સારવારની જરૂર છે. પરંતુ તેઓ નાળું પાર કરીને એમ્બ્યુલન્સ સુધી નહીં પહોંચી શકે.

Villagers1
lalluram.com

બીજા દિવસે જ્યારે નાળાનું પાણી ઓછું થયું, ત્યારે ટીમ પગપાળા નાળું પાર કરીને ગામમાં પહોંચી. ગામમાં પહોંચ્યા બાદ ટીમને ખબર પડી કે આ બધી મજાક હતી. આ મજાક ગ્રામજનોએ એટલા માટે કરી હતી, જેથી તેઓ ગામની વાસ્તવિક સમસ્યાઓ જિલ્લા પ્રશાસનને બતાવી શકે. ગ્રામજનોનું કહેવું છે કે તેમણે આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે, જેથી આરોગ્ય વિભાગના માધ્યમથી જિલ્લા પ્રશાસનને ગામની ગંભીર સમસ્યાઓની સીધી અને પ્રભાવી રીતે જાણ કરી શકાય. આરોગ્ય વિભાગે ગ્રામજનોની વાત સમજી અને તેમની મજાક પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી. પરંતુ આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કરી દીધો છે કે, શું હવે ગ્રામજનોએ જમીન સ્તરની સમસ્યાઓ પ્રશાસનને બતાવવા માટે આવા પગલાં ઉઠાવવા પડશે?

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.