ગામવાળાઓએ મહિલા ગર્ભવતી છે એવી ખોટી ખબર ફેલાવી, કારણ જાણી તમે કહેશો...બરાબર કર્યું

મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના ઘનસોર બ્લોકના સાલીવાડા ગામના લોકોએ એક અનોખી રીત અપનાવી. તેમણે સિવની પ્રશાસનને ગામના રસ્તા અને નાળાની ખરાબ હાલત બાબતે જણાવવા માટે આ નવી રીત અપનાવી છે. ગ્રામજનોએ આરોગ્ય વિભાગને એક ગર્ભવતી મહિલાના પ્રસૂતિના ખોટા સમાચાર આપ્યા. તેમનો હેતુ હતો આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસન સુધી તેમની સમસ્યા પહોંચાડવાનો. વરસાદને કારણે ગામનો રસ્તો અને નાળુ બંને જ ખરાબ થઈ ગયા છે.

વરસાદને કારણે સાલીવાડા ગામનો કાચો રસ્તો અને અધૂરું નાળુ પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોએ જણાવ્યું કે ખરાબ રસ્તાને કારણે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ઘણી વખત પ્રશાસનને ફરિયાદ કરી, પરંતુ કોઈ સુનાવણી ન થઈ. એટલે તેમણે આરોગ્ય વિભાગને ખોટા સમાચાર આપવાનો નિર્ણય લીધો. પ્રેન્ક કર્યું. સમાચાર મળતા જ, આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ સાથે ગામમાં પહોંચી, પરંતુ પાણી ભરાયેલા નાળાને કારણે તેઓ ગામમાં પહોંચી ન શક્યા. ટીમે ફોન કરીને ગર્ભવતી મહિલાને નાળુ પાર કરાવી લાવવાનું કહ્યું. ત્યારે ગ્રામજનોએ કહ્યું કે મહિલાની ડિલિવરી થવાની નથી નથી. એક કિશોર અને એક મહિલા બીમાર છે. તેમને સારવારની જરૂર છે. પરંતુ તેઓ નાળું પાર કરીને એમ્બ્યુલન્સ સુધી નહીં પહોંચી શકે.

Villagers1
lalluram.com

બીજા દિવસે જ્યારે નાળાનું પાણી ઓછું થયું, ત્યારે ટીમ પગપાળા નાળું પાર કરીને ગામમાં પહોંચી. ગામમાં પહોંચ્યા બાદ ટીમને ખબર પડી કે આ બધી મજાક હતી. આ મજાક ગ્રામજનોએ એટલા માટે કરી હતી, જેથી તેઓ ગામની વાસ્તવિક સમસ્યાઓ જિલ્લા પ્રશાસનને બતાવી શકે. ગ્રામજનોનું કહેવું છે કે તેમણે આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે, જેથી આરોગ્ય વિભાગના માધ્યમથી જિલ્લા પ્રશાસનને ગામની ગંભીર સમસ્યાઓની સીધી અને પ્રભાવી રીતે જાણ કરી શકાય. આરોગ્ય વિભાગે ગ્રામજનોની વાત સમજી અને તેમની મજાક પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી. પરંતુ આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કરી દીધો છે કે, શું હવે ગ્રામજનોએ જમીન સ્તરની સમસ્યાઓ પ્રશાસનને બતાવવા માટે આવા પગલાં ઉઠાવવા પડશે?

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.