ત્રિપુરા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસ-BJP વચ્ચે મારામારી, જુઓ તસવીરો

ત્રિપુરાના મજલિસપુરમાં બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘર્ષણ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના માત્ર અડધા કલાક બાદ થયું છે. ઘર્ષણમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં કોંગ્રેસના નેતા ડૉ. અજય કુમાર સામેલ છે. આ ઘર્ષણ મજલિસપુર મતવિસ્તારની સીટના રાનીરબાજાર મોહનપુર વિસ્તારમાં થઇ. કોંગ્રેસના ધારાસભ્ય સુદીપ રાય બર્મને દાવો કર્યો કે, ઇજાગ્રસ્ત થયેલા ઘણા પાર્ટીના કાર્યકર્તા અત્યારે પણ રાનીરબાજાર પોલીસ સ્ટેશનમાં છે.

તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિના કારણે તેમને હૉસ્પિટલ મોકલી શકાયા નથી. તેમણે આરોપ લગાવ્યો કે, એક મંત્રી, વિપક્ષ પર હુમલાનું નેતૃત્વ કરી રહ્યા હતા. સુદીપ રાય બર્માને માગ કરી કે ચૂંટણી પંચ, મજલિસપુર સહિત 5 વિધાનસભાની સીટો પર અલગથી ચૂંટણી કરાવે છે.

કોંગ્રેસ નેતા ડૉ. અજય કુમારે એક વીડિયો શેર કરતા ટ્વીટ કરી કે, આજ થાય છે ભાજપના રાજમાં અવાજ ઉઠાવો તો, હુમલો કરાવી દે છે. ચિંતાની કોઇ વાત નથી. હું સારો છું અને લડાઇ ચાલુ રાખીશ.’

વીડિયોમાં તેઓ હૉસ્પિટલના બેડ પર સૂતા નજરે પડી રહ્યા છે. તેમના ઘણી જગ્યાઓ પર ઇજાના નિશાન પણ નજરે પડી રહ્યા છે. આરોપ છે કે મજલિસપુરમાં બાઇક રેલી દરમિયાન તેમના પર પથ્થરમારો થયો. આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સુશાંત સિંહે તેમને રોક્યા અને પછી અચાનક તેમના કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી 16 જાન્યુઆરીના રોજ થશે, જ્યારે મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્રિપુરા સાથે નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

આ બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરોના રોજ મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચના રોજ મતગણતરી થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ત્રણેય રાજ્યમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા પણ લાગૂ થઇ ગઇ છે.

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. તો મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભાઓનો કાર્યકાળ ક્રમશઃ 15 અને 22 માર્ચના રોજ સમાપ્ત થઇ રહ્યો છે, ત્રણેય રાજ્યોની વિધાનસભાઓમાં 60-60 સીટો છે. ત્રિપુરામાં જ્યાં ભાજપની સરકાર છે તો નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી સત્તામાં છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની સરકાર છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.