UPA સરકારે MSP આપવાનો કેમ કર્યો હતો ઇનકાર? કૃષિમંત્રી સવાલોમાં કેટલો દમ

દેશની સંસદમાં શુક્રવારે દેશના કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે MSPની ગેરંટીને લઇને UPA સરકારની જે કેબિનેટ નોટની ચર્ચા કરી, એ સાચી છે. કોઇ પણ સરકાર MSPમાં ગેરંટી આપતી કેમ બચે છે. UPA સરકારના મંત્રીઓએ જે જવાબ આપ્યા તેને આજે યોગ્ય માની શકાય છે કેમ કે સરકારની વાતો પર ડિમાન્ડ કરનારાઓને ભરોસો હોતો નથી. પોતે પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધી જે પ્રકારે ખેડૂત નેતાઓને આશ્વાસન પર આશ્વાસન આપી રહ્યા છે, તેમણે પણ સમજવું પડશે કે ખેડૂતોને ખોટો દિલાસો આપવાનું સારું નથી. ખેડૂત નેતા હોય કે રાજનીતિક પાર્ટી, પક્ષ હોય કે વિપક્ષ કોઇને પણ ખેડૂતોની ભલાઇ સાથે મતલબ જ નથી. બધા પોત પોતાની રાજનીતિક રોટલા સેકવામાં જ લાગ્યા છે.

શિવરાજે રાજ્યસભામાં MSPની ગેરંટી પર આવેલા એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસે સ્વામીનાથન આયોગની ભલામણો માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે, એ સમયે કૃષિ મંત્રી કાન્તિલાલ ભૂરિયાએ કહ્યું કે, તેને નહીં સ્વીકારી શકાય. શિવરાજે ખેડૂત નેતા શરદ પવાર જે એ સમયે UPA સરકારમાં મંત્રી હતા, તેમના એક નિવેદનનો પણ ક્વોટ આપ્યો અને કહ્યું કે, સરકાર CACPની ભલામણોના આધાર પર MSP નક્કી થાય છે, એટલે જાણવાની જરૂરિયાત છે કે ઉત્પાદન ખર્ચ અને MSP વચ્ચે કોઇ આંતરિક સંબંધ નહીં હોય શકે. મતલબ સ્પષ્ટ હતો એક શરદ પવાર પણ MSP પર ગેરંટી આપવા પર સહમત નહોતા.

શિવરાજ સિંહે UPA સરકારના વધુ એક મંત્રી કેવી થૉમસના નિવેદન બાબતે જણાવ્યું કે કઇ રીતે થોમસે પણ MSPની ગેરંટી ન આપવાની વકીલાત કરી હતી. થૉમસે કહ્યું હતું કે, MSPને સ્વીકારી નહીં શકાય કેમ કે MSPની ભલામણ કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ દ્વારા વસ્તુનિષ્ઠ માપદંડના આધાર પર પ્રાસંગિક કારકોની વ્યવસ્થા પર વિચાર કરતા કરવામાં આવે છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, આ કેબિનેટ નોટ એ સમયની કોંગ્રેસ સરકારની છે જેમાં MSP આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

મંત્રીએ કહ્યું કે, MSPને ઉત્પાદનની એવરેજ ખર્ચથી 50 ટકા વધુ નક્કી કરવાની ભલામણ પણ UPA સરકારે કેબિનેટમાં એમ કહેતા સ્વીકારી નહોતી કેમ કે CACP દ્વારા પ્રાસંગિક કારકોની વ્યવસ્થા પર વિચાર કરતા વસ્તુનિષ્ઠ માપદંડના રૂપમાં MSPની ભલામણ કરવામાં આવી છે એટલે ખર્ચ પર ઓછામાં ઓછી 50 ટકા વૃદ્ધિ નિર્ધારિત કરવી બજારને બરબાદ કરી શકે છે. સૌથી પહેલા દેશના માત્ર 6 ટકા ખેડૂતોને જ MSPની ગેરંટી આપીને 10 લાખ કરોડ ખર્ચ કરવાનું કોઇ પણ સરકાર નહીં ઇચ્છે. આ 6 ટકા પણ 80 ટકા પંજાબ અને હરિયાણાના ખેડૂત છે. બાકી 20 ટકા દેશભરના ખેડૂત છે.

મીડિયા રિપોર્ટના માધ્યમથી સમજીએ, અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટર (1977-1981)એ ડેરી ફાર્મર્સની આર્થિક દશા સુધારવા માટે દર 6 મહિનામાં 6 સેંટ પર ગેલેનના હિસાબે મૂલ્ય વધારાની જાહેરાત કરી દીધી, પરંતુ મોંઘા દૂધના વેચાણમાં સમસ્યા થવાની હતી એટલે સરકારે એક રેટ નક્કી કરી દીધી કે તેનથી નીચા દર પર ખરીદી સંભવ નહીં થાય. ત્યારબાદ બધા ડેરી ફાર્મવાળી વસ્તુ બનાવીને અમેરિકન સરકારને વેચવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે, સરકાર પાસે વસ્તુનો ઢગ બની ગયો. કાર્ટર સરકારે લગભગ 2 બિલિયન ડોલર ડેરી ફાર્મરના સપોર્ટમાં ખર્ચ કરી દીધો. કાર્ટર બાદ રોનાલ્ડ રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, તેમણે દર 6 મહિને દૂધનો ભાવ વધારવાના આદેશને રદ્દ કરી દીધો. આ ઉદાહરણથી સમજી શકાય છે કે MSPની ગેરંટી આપીને કોઇ પણ સરકાર પોતાની ફજેતી કરાવવા નહીં માગે.

દેશમાં MSP લાગૂ કરવા પાછળ સૌથી મોટી સમસ્યા આર્થિક બતાવવામાં આવે છે. દેશમાં કુલ કૃષિ ઉત્પાદનનો લગભગ 40 લાખ કરોડ રૂપિયા હોય છે. કહેવામાં આવે છે કે  એટલી ખરીદી માટે એટલા પૈસા ક્યાંથી આવશે. અત્યારે જે 24 પાકો પર MSP લાગૂ છે, તેનું બજાર મૂલ્ય 10 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. અત્યારે સરકાર MSP પર ખરીદી માટે અઢી લાખ કરોડ ખર્ચ કરી રહી છે. MSPવાળા 24 પાકોની ખરીદી માટે 10 લાખ કરોડ રૂપિયા થશે. જો બધી ખરીદી થઇ પણ ગઇ તો ક્યાં રાખવામાં આવશે. દેશમાં અત્યારે માત્ર 47 ટકા અન્ન ભંડારની વ્યવસ્થા છે.

Related Posts

Top News

કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી...
Gujarat 
કેરળમાં તો ચોમાસું વહેલું આવ્યું, ગુજરાતમાં આ તારીખે એન્ટ્રી કરશે

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા...
Gujarat 
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.