એક જ ઘરમાં 233 મતદારો! હિન્દુ-મુસ્લિમ-શીખ બધા જ સામેલ, ગોરખપુરની SIR યાદી પર હોબાળો

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં ચોંકાવનારી વિસંગતતાઓ સામે આવી છે. ચૂંટણી પંચ દ્વારા 6 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ યાદીમાં ઘણી ચોંકાવનારી વિસંગતતાઓ સામે આવી છે. આ ડ્રાફ્ટ યાદી, ખાસ કરીને મહાનગરના વોર્ડ નંબર 16માં, એક જ ઘર નંબર પર 233 મતદારોના નામ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ સહિત વિવિધ સમુદાયોના લોકો સામેલ છે, જે અલગ-અલગ પરિવારોમાંથી છે.

NDTVના અહેવાલ મુજબ, આ ઘટના ગોરખપુર જિલ્લાના દિગ્વિજયનગર વિસ્તારમાં બૂથ નંબર 260 સાથે જોડાયેલી છે. અહી ઘર નંબર-617માં મતદાર યાદીમાં 378 થી 610 નંબર સુધી કુલ 233 નામો નોંધાયેલા છે. આમાં જાવેદ, રઝાક, સુદર્શન સિંહ, ગરિમા સિંહ, મહફૂઝ, હાશ્મી અને શાહનવાઝ જેવા નામોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોનું  કહેવું  છે કે આ સ્પષ્ટપણે ટેક્નિકલ અથવા ડેટા એન્ટ્રીની ભૂલ છે, કારણ કે આટલા બધા લોકો એક જ ઘરમાં નહીં રહી શકે.

SIR1
indiatoday.in

આ અંગે પર પ્રતિક્રિયા આપતા સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઋષિ મોહન બર્માએ કહ્યું કે, યાદીમાં ગંભીર વિસંગતતાઓ છે. ઘર નંબર-617ની કોઈ ઇમારત જનપ્રિયા વિહાર કોલોનીમાં અસ્તિત્વમાં નથી. અહેવાલો અનુસાર, આ સમસ્યા 2003ની જૂની મતદાર યાદીમાં પણ હતી, જ્યારે 550થી વધુ નામો એ જ રીતે નોંધાયેલા હતા. કાઉન્સિલરે કહ્યું કે, SIR દરમિયાન ગણતરી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફીડિંગ કરાવવામાં આવી હતી, પરંતુ ભૂલો સુધારવાની તક ચૂકી ગઈ. હવે, મતદારોએ ફરીથી તેને સુધારવા પડશે.

નોંધનીય છે કે, ગોરખપુરમાં SIR દરમિયાન, કુલ 6.45 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ એવા ઘણાં લોકો છે, જેમણે 2022 અને 2024ની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને હવે કાઢી નાખવામાં આવ્યા છે. કાઉન્સિલર બર્માએ ભાર મૂક્યો હતો કે 100% મતદાન સુનિશ્ચિત કરવા માટે સચોટ અને સાચી મતદાર યાદી તૈયાર કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ હંમેશાં મતદાનમાં વધારો દર્શાવે છે, પરંતુ સાચી મતદાર યાદી વિના આ શક્ય નથી.

SIR2
thehindu.com

હાલમાં, દાવાઓ-આપત્તિઓ માટે 6 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, મતદાર ગણતરી ફોર્મ ભરીને બદલાવ કરી શકાય છે. ભાજપના કાઉન્સિલરે જણાવ્યું કે તેઓ ઘરે ઘર જઇને લોકોને જાગૃત કરી રહ્યા છે અને સુધારા માટે ફોર્મ ભરવાની સલાહ આપી રહ્યા છે. આ સમગ્ર મામલો મતદાર યાદીની ચોકસાઈ પર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે આખા ઉત્તર પ્રદેશમાં SIR બાદ લગભગ 2.89 કરોડ નામો કાઢી નાખવામાં આવ્યા છે અને ઘણા જિલ્લાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

About The Author

Related Posts

Top News

રસોડાની વસ્તુથી લઈને તબીબી સારવાર સુધી, બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

આજે, 1 ફેબ્રુઆરી, 2026ના રોજ, દેશના અર્થતંત્રને આકાર આપતું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી...
Business 
રસોડાની વસ્તુથી લઈને તબીબી સારવાર સુધી, બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

શું છે STT? બજેટમાં જેના વધારાની જાહેરાત થતા શેરબજારમાં ભૂકંપ આવી ગયો

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ ભાષણ દરમિયાન કરવામાં આવેલી એક જાહેરાતે શેરબજારમાં અફરાતફરી મચાવી દીધી છે. આઈટી સેક્ટર માટેની...
Business 
શું છે STT? બજેટમાં જેના વધારાની જાહેરાત થતા શેરબજારમાં ભૂકંપ આવી ગયો

બજેટમાં કોને શું મળ્યું, જાણી લો તમામ માહિતી

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું કેન્દ્રિય બજેટ 2026-27 લોકસભામાં રજૂ કર્યું. આ તેમનું નવમું બજેટ હતું અને વિશેષ વાત...
Business 
બજેટમાં કોને શું મળ્યું, જાણી લો તમામ માહિતી

UP આવ્યા પછી મુસ્લિમ છોકરી આ રીતે હિન્દુ બની જતી અને લગ્ન માટે 1 લાખમાં સોદો કરાતો

પશ્ચિમ બંગાળની રહેવાસી નૂરજહાં ખાતૂન અને આયેશા જ્યારે UPના સંભલમાં આવી ત્યારે તેમની ઓળખ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. અહીં...
National 
UP આવ્યા પછી મુસ્લિમ છોકરી આ રીતે હિન્દુ બની જતી અને લગ્ન માટે 1 લાખમાં સોદો કરાતો

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.