નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર આવ્યું કોંગ્રેસનું રિએક્શન

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિંહા રાવ અને દેશમાં હરિત ક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપી છે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ આ નિર્ણયનું સ્વાગત કરે છે. તો લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસે પોતાની પાર્ટીના નેતા પી.વી. નરસિંહા રાવને ભારત રત્ન કેમ ન આપ્યો? આ સવાલના જવાબમાં ચૌધરી બોલ્યા- અરે! તો શું થયું, કોઈએ તો આપ્યો. આ સરકારનો નિર્ણય છે.

એ સિવાય સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે, ખૂબ શુભેચ્છા. ચૌધરી ચરણ સિંહ માટે ખુશ છે. અમે ખૂબ ખુશ છીએ. તો RLD નેતા જયંત ચૌધરીએ ભાજપ સાથે ગઠબંધન પર સપા નેતાએ કહ્યું કે, અત્યારે જયંત સાથે કોઈ વાત થઈ નથી. અખબારોમાં વાંચી રહ્યા છીએ. બધાને શુભેચ્છા.બીજી તરફ નરેન્દ્ર મોદીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા RLDના અધ્યક્ષ જયંત ચૌધરીએ લખ્યું કે, દિલ જીતી લીધું.'

RLD પ્રમુખ જયંત ચૌધરીએ મીડિયા સાથે ચર્ચામાં કહ્યું કે, આ મારા માટે ખૂબ મોટો દિવસ અને ભાવાત્મક ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને ધન્યવાદ આપવા માગું છું કેમ કે આ તેમના દૃષ્ટિકોણનો હિસ્સો હતો. 3 એવોર્ડ આપવામાં આવ્યા છે. દેશની ભાવનાઓ સરકારના આ નિર્ણય સાથે જોડાયેલો છે.

BSP સુપ્રીમો માયાવતીએ X પર લખ્યું, વર્તમાન ભાજપ સરકાર દ્વારા જે પણ હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમનું સ્વાગત છે, પરંતુ આ મામલે ખાસ કરીને દલિત હસ્તીઓનો તિરસ્કાર અને ઉપેક્ષા કરવાનું ક્યારેય ઉચિત નથી. સરકાર એ તરફ પણ જરૂર ધ્યાન આપે. બાબા સાહેમ ડૉ. ભીમરાવ આંબેડકારને આટલા લાંબા ઇંતજાર બાદ વીપી સિંહની સરકાર દ્વારા ભારત રત્નની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ દલિત અને ઉપેક્ષિતોના મસીહા માન્યવર કાશીરામજીનો તેમના હિતોમાં કરવામાં આવેલો સંઘર્ષ કોઈ ઓછો નથી. તેમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.

દેશના ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાતથી ખૂબ જ ખુશી થઈ. આજીવન ખેડૂતો માટે સમર્પિત ચૌધરી સાહેબે ખેડૂત કલ્યાણ માટે અનેક કાર્ય કર્યા. ચૌધરી સાહેબ જીવનપર્યાત લોકતાંત્રિક મૂલ્યોનું સંરક્ષણ પ્રત્યે સમર્પિત રહે અને તેમણે ઇમરજન્સીનો સારી રીતે સામનો કર્યો. તેમણે પોતાના નિર્ણયોથી આખા દેશને એ બતાવ્યું કે, ખેડૂતના પુત્ર દેશના ભરણ-પોષણથી લઈને નીતિગત નિર્ણય પણ લઈ શકે છે. ચૌધરી સાહેબના સન્માનના માધ્યમથી દેશના કરોડો ખેડૂતો અને મહેનતુ લોકોને સન્માનિત કરવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.

Related Posts

Top News

આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં ઉનાળાનો અંત આવતાં ચોમાસાની સગોળે તૈયારી થઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે 10...
Gujarat 
આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન, અંબાલાલ પટેલની મોટી આગાહી

દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ગયા જિલ્લાના ગહલોર ગામની મુલાકાત લીધી હતી.. આ ગામ માઉન્ટેન...
National  Politics 
દશરથ માંઝીની પૌત્રી લડવા માગે છે બિહાર વિધાનસભાની ચૂંટણી, રાહુલ ગાંધી પાસે માગી ટિકિટ

શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા તૂટી ગઈ છે. બંને વચ્ચે શબ્દ યુદ્ધ ચાલુ છે....
World 
શું મસ્ક નવી પાર્ટી બનાવશે? X પર લખ્યું- 'ધ અમેરિકા પાર્ટી'; 'સોશિયલ મીડિયા પોલમાં 80 ટકા સમર્થન'

આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ

તમે કેરીની વેરાયટી બાબતે સાંભળ્યું જ હશે, પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કેવી હોય છે અને તે કેવી દેખાય છે....
National 
આ કેરીનો કિલોનો ભાવ છે 3 લાખ રૂપિયા, અડધો ડઝન જર્મન શેફર્ડ, ગાર્ડ અને CCTV કરે છે દેખરેખ
Copyright (c) Khabarchhe All Rights Reserved.