સુપ્રીમ કોર્ટનો નિર્ણય- મુસાફરોના સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની નથી

જો તમે વિચારી રહ્યો હોવ કે ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તમારા સામાનની ચોરી થવા પર રેલવે તમને તેના બદલે વળતર આપશે તો પહેલા આ સમાચાર વાંચી લેજો. સુપ્રીમ કોર્ટે એક નિર્ણય સંભળાવતા એ સ્પષ્ટ કરી દીધું છે કે, ટ્રેનમાં સામાન ચોરી થવા પર રેલવેની તેમાં કોઈ જવાબદારી નથી. રેલવેનું કામ ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. રેલવેની મુસાફરી દરમિયાન સામાનની સુરક્ષાની જવાબદારી માત્ર મુસાફરની છે. આ નિર્ણય સુરેન્દ્ર ભોલા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ તેના પર રેલવેની અપીલના કેસમાં આવ્યો છે.

મુસાફરનું કહેવું હતું કે, ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તેની એક લાખ રૂપિયાની રકમ ચોરી થઈ ગઈ હતી. આ કેસમાં તેણે ઉપભોક્તા કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ભારતીય રેલવેને એવો આદેશ આપવામાં આવ્યો કે, મુસાફરને એક લાખ રૂપિયાની રકમ વળતર તરીકે આપવામાં આવે. રેલવે આ નિર્ણયથી ખુશ નહોતું. તો તેણે તેની વિરુદ્ધ અપીલ કરી. રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે પણ રેલવેની અપીલ ફગાવતા સુરેન્દ્ર ભોલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ રેલવેએ આ કેસમાં સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય લીધો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડબલ બેન્ચે મુસાફરના પક્ષમાં આપવામાં આવેલા રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ અને રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના આદેશને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસાફરનો ખાનગી સામાનનો રેલવે દ્વારા આપવામાં આવતી સુવિધાઓ સાથે કોઈ લેવું-દેવું નથી. એ અમારી સમજથી બહાર છે કે કઈ રીતે ચોરીને કોઈ પણ સંદર્ભમાં રેલવે દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓમાં કમી તરીકે જોઈ શકાય છે. જ્યારે મુસાફર પોતે પોતાના ખાનગી સામાનની રક્ષા ન કરી શક્યો તો તેના માટે રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાપડ વેપારી સુરેન્દ્ર ભોલા 27 એપ્રિલ 2005ના રોજ કાશી વિશ્વનાથ એક્સપ્રેસની અનામત બર્થ પર મુસાફરી કરી રહ્યો હતો. કમરમાં બાંધેલી કપડાંની પેટીમાં એક લાખ રૂપિયા સાથે તે કપડાં ખરીદવા દિલ્હી જઈ રહ્યા હતા. 28 એપ્રિલના રોજ સવારે 3:30 વાગ્યે ઉઠવા પર તેણે જોયું કે કપડાંની પેટી અને પતલૂનનો જમણો હિસ્સો કપાયેલો છે. તપાસ બાદ તેને લાગ્યું કે, એક લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે. 28 એપ્રિલના રોજ ઉતરતા જ તેણે GRPમાં ફરિયાદ નોંધાવી. થોડા દિવસ બાદ જિલ્લા વિવાદ નિવારણ ફોરમ શાહજહાંપુરમાં એક ફરિયાદ નોંધાવી હતી.

Top News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.