સુપ્રીમ કોર્ટનો નિર્ણય- મુસાફરોના સામાનની સુરક્ષાની જવાબદારી રેલવેની નથી

જો તમે વિચારી રહ્યો હોવ કે ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તમારા સામાનની ચોરી થવા પર રેલવે તમને તેના બદલે વળતર આપશે તો પહેલા આ સમાચાર વાંચી લેજો. સુપ્રીમ કોર્ટે એક નિર્ણય સંભળાવતા એ સ્પષ્ટ કરી દીધું છે કે, ટ્રેનમાં સામાન ચોરી થવા પર રેલવેની તેમાં કોઈ જવાબદારી નથી. રેલવેનું કામ ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. રેલવેની મુસાફરી દરમિયાન સામાનની સુરક્ષાની જવાબદારી માત્ર મુસાફરની છે. આ નિર્ણય સુરેન્દ્ર ભોલા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજી બાદ તેના પર રેલવેની અપીલના કેસમાં આવ્યો છે.

મુસાફરનું કહેવું હતું કે, ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તેની એક લાખ રૂપિયાની રકમ ચોરી થઈ ગઈ હતી. આ કેસમાં તેણે ઉપભોક્તા કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ભારતીય રેલવેને એવો આદેશ આપવામાં આવ્યો કે, મુસાફરને એક લાખ રૂપિયાની રકમ વળતર તરીકે આપવામાં આવે. રેલવે આ નિર્ણયથી ખુશ નહોતું. તો તેણે તેની વિરુદ્ધ અપીલ કરી. રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ અને રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે પણ રેલવેની અપીલ ફગાવતા સુરેન્દ્ર ભોલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ રેલવેએ આ કેસમાં સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય લીધો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડબલ બેન્ચે મુસાફરના પક્ષમાં આપવામાં આવેલા રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ અને રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના આદેશને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસાફરનો ખાનગી સામાનનો રેલવે દ્વારા આપવામાં આવતી સુવિધાઓ સાથે કોઈ લેવું-દેવું નથી. એ અમારી સમજથી બહાર છે કે કઈ રીતે ચોરીને કોઈ પણ સંદર્ભમાં રેલવે દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓમાં કમી તરીકે જોઈ શકાય છે. જ્યારે મુસાફર પોતે પોતાના ખાનગી સામાનની રક્ષા ન કરી શક્યો તો તેના માટે રેલવેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાપડ વેપારી સુરેન્દ્ર ભોલા 27 એપ્રિલ 2005ના રોજ કાશી વિશ્વનાથ એક્સપ્રેસની અનામત બર્થ પર મુસાફરી કરી રહ્યો હતો. કમરમાં બાંધેલી કપડાંની પેટીમાં એક લાખ રૂપિયા સાથે તે કપડાં ખરીદવા દિલ્હી જઈ રહ્યા હતા. 28 એપ્રિલના રોજ સવારે 3:30 વાગ્યે ઉઠવા પર તેણે જોયું કે કપડાંની પેટી અને પતલૂનનો જમણો હિસ્સો કપાયેલો છે. તપાસ બાદ તેને લાગ્યું કે, એક લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે. 28 એપ્રિલના રોજ ઉતરતા જ તેણે GRPમાં ફરિયાદ નોંધાવી. થોડા દિવસ બાદ જિલ્લા વિવાદ નિવારણ ફોરમ શાહજહાંપુરમાં એક ફરિયાદ નોંધાવી હતી.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.