આજીવન કેદની સજા પૂર્ણ કરનારાઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

મંગળવારે સુપ્રીમ કોર્ટે નીતિશ કટારા હ*ત્યા કેસના આરોપી સુખદેવ પહેલવાનની અરજી પર સુનાવણી કરતી વખતે આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ અંગે મોટો નિર્ણય આપ્યો. પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે દેશભરની વિવિધ જેલોમાં બંધ એવા તમામ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમણે કોર્ટ દ્વારા નિર્ધારિત નિશ્ચિત સમયગાળાની આજીવન કેદની સજા પૂર્ણ કરી છે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી ચર્ચિત નીતિશ કટારા હત્યા કેસના દોષિત સુખદેવ પહેલવાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, કોર્ટે એવા દોષિતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી જેઓ સજા પૂર્ણ કર્યા પછી પણ જેલમાં છે. બેન્ચે કહ્યું કે, જેમણે પોતાની સજા પૂર્ણ કરી છે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. બેન્ચે કહ્યું કે જો આવું વલણ ચાલુ રહેશે, તો ગુનેગાર જેલમાં જ મૃત્યુ પામશે.

Supreme Court, Life Imprisonment
aajtak.in

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા નિશ્ચિત સમયગાળા (ઉદાહરણ તરીકે 20 વર્ષ) માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય, તો તે જેલમાં તે સમયગાળો પૂર્ણ કર્યા પછી મુક્ત થવાનો હકદાર છે. તેમને સજા માફીની પ્રક્રિયાનું પાલન કરવાની જરૂર નથી, જે આજીવન કેદની સજા પામેલા અન્ય કેદીઓના કિસ્સામાં અનુસરવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, મોટાભાગે આજીવન કેદના કેસોમાં, 14 વર્ષની સજા ભોગવ્યા પછી, રાજ્ય સરકાર સજા માફ કરવાનો નિર્ણય લે છે. સરકાર સમીક્ષા બોર્ડ અને સજા સંભળાવનાર ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશની સંમતિ પછી આ પ્રકારનો નિર્ણય લે છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે નીતિશ કટારા હ*ત્યા કેસના આરોપી સુખદેવ પહેલવાનની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો. અરજીમાં સુખદેવ પહેલવાનએ કહ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલી તેમની 20 વર્ષની સજા માર્ચ 2025માં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ સજા સમીક્ષા બોર્ડની મંજૂરીના અભાવે તેને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યો નથી. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુખદેવ પહેલવાનને 10 માર્ચે મુક્ત કરવામાં આવવો જોઈતો હતો, પરંતુ તેને અત્યાર સુધી જેલમાં રાખવામાં આવ્યો છે. સજા પૂરી થયા પછી તેમને જેલમાં રાખવો ગેરકાયદેસર છે.

Supreme Court, Life Imprisonment
subkuz.com

આ અગાઉ, દિલ્હી સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેએ કહ્યું હતું કે, સુખદેવ પહેલવાનને આપમેળે મુક્ત કરી શકાતો નથી. તેમણે કહ્યું હતું કે, આજીવન કેદનો અર્થ એ છે કે તેનું બાકીનું સામાન્ય જીવન જેલમાં વિતાવશે. સુખદેવના વકીલ સિદ્ધાર્થ મૃદુલે કહ્યું હતું કે, એક લેખિત આદેશ હતો કે, 20 વર્ષની આજીવન કેદની સજા આપવામાં આવે છે. તે આદેશ મુજબ, સજાની અવધિ 9 માર્ચે પૂર્ણ થઈ હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-08-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.