આજીવન કેદની સજા પૂર્ણ કરનારાઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

મંગળવારે સુપ્રીમ કોર્ટે નીતિશ કટારા હ*ત્યા કેસના આરોપી સુખદેવ પહેલવાનની અરજી પર સુનાવણી કરતી વખતે આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ અંગે મોટો નિર્ણય આપ્યો. પોતાના મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે દેશભરની વિવિધ જેલોમાં બંધ એવા તમામ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમણે કોર્ટ દ્વારા નિર્ધારિત નિશ્ચિત સમયગાળાની આજીવન કેદની સજા પૂર્ણ કરી છે. સુપ્રીમ કોર્ટે દેશના સૌથી ચર્ચિત નીતિશ કટારા હત્યા કેસના દોષિત સુખદેવ પહેલવાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, કોર્ટે એવા દોષિતો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી જેઓ સજા પૂર્ણ કર્યા પછી પણ જેલમાં છે. બેન્ચે કહ્યું કે, જેમણે પોતાની સજા પૂર્ણ કરી છે તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. બેન્ચે કહ્યું કે જો આવું વલણ ચાલુ રહેશે, તો ગુનેગાર જેલમાં જ મૃત્યુ પામશે.

Supreme Court, Life Imprisonment
aajtak.in

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા નિશ્ચિત સમયગાળા (ઉદાહરણ તરીકે 20 વર્ષ) માટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય, તો તે જેલમાં તે સમયગાળો પૂર્ણ કર્યા પછી મુક્ત થવાનો હકદાર છે. તેમને સજા માફીની પ્રક્રિયાનું પાલન કરવાની જરૂર નથી, જે આજીવન કેદની સજા પામેલા અન્ય કેદીઓના કિસ્સામાં અનુસરવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, મોટાભાગે આજીવન કેદના કેસોમાં, 14 વર્ષની સજા ભોગવ્યા પછી, રાજ્ય સરકાર સજા માફ કરવાનો નિર્ણય લે છે. સરકાર સમીક્ષા બોર્ડ અને સજા સંભળાવનાર ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશની સંમતિ પછી આ પ્રકારનો નિર્ણય લે છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે નીતિશ કટારા હ*ત્યા કેસના આરોપી સુખદેવ પહેલવાનની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો. અરજીમાં સુખદેવ પહેલવાનએ કહ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલી તેમની 20 વર્ષની સજા માર્ચ 2025માં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ સજા સમીક્ષા બોર્ડની મંજૂરીના અભાવે તેને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યો નથી. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુખદેવ પહેલવાનને 10 માર્ચે મુક્ત કરવામાં આવવો જોઈતો હતો, પરંતુ તેને અત્યાર સુધી જેલમાં રાખવામાં આવ્યો છે. સજા પૂરી થયા પછી તેમને જેલમાં રાખવો ગેરકાયદેસર છે.

Supreme Court, Life Imprisonment
subkuz.com

આ અગાઉ, દિલ્હી સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેએ કહ્યું હતું કે, સુખદેવ પહેલવાનને આપમેળે મુક્ત કરી શકાતો નથી. તેમણે કહ્યું હતું કે, આજીવન કેદનો અર્થ એ છે કે તેનું બાકીનું સામાન્ય જીવન જેલમાં વિતાવશે. સુખદેવના વકીલ સિદ્ધાર્થ મૃદુલે કહ્યું હતું કે, એક લેખિત આદેશ હતો કે, 20 વર્ષની આજીવન કેદની સજા આપવામાં આવે છે. તે આદેશ મુજબ, સજાની અવધિ 9 માર્ચે પૂર્ણ થઈ હતી.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.