- National
- સટ્ટાબાજીના કિંગ કોન્સ્ટેબલની ગર્લફ્રેન્ડ દોઢ કરોડના સોના સાથે પકડાઈ
સટ્ટાબાજીના કિંગ કોન્સ્ટેબલની ગર્લફ્રેન્ડ દોઢ કરોડના સોના સાથે પકડાઈ
ઝાંસી કેસમાં દોઢ કરોડ રૂપિયાનું સોનું, લાખોની ચાંદી અને રોકડ રકમ જપ્ત કરવાના કેસમાં ધરપકડ કરાયેલી યુવતી યશસ્વીની માતાએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. માતાનો આરોપ છે કે, UP પોલીસમાં તૈનાત કોન્સ્ટેબલ રજતે તેની પુત્રીને પ્રેમ સંબંધમાં ફસાવીને તેનું જીવન બરબાદ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, તેની પુત્રી અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી અને સબ-ઇન્સ્પેક્ટર બનવા માંગતી હતી, પરંતુ રજતના સંપર્કમાં આવ્યા પછી તેનું જીવન બદલાઈ ગયું.

હકીકતમાં, શુક્રવારે ઝાંસી પોલીસે સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પોશ કોલોની રોયલ સિટીમાં દરોડો પાડ્યો હતો અને આશરે દોઢ કરોડ રૂપિયાનું સોનું, 11 લાખ રૂપિયાની ચાંદી અને 19 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ કેસમાં બે મહિલાઓ યશસ્વી અને નિશા ખાનની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કોન્સ્ટેબલ રજત સહિત અન્ય ઘણા આરોપીઓ ફરાર હોવાનું કહેવાય છે.

યશસ્વીની માતાએ બતાવ્યું હતું કે, રજત અને તેનો પતિ એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ સમય દરમિયાન, તે તેના ઘરે આવવા લાગ્યો. જોકે તે ઘરમાં આવતો ન હતો, પરંતુ તેની પુત્રી કોલેજ આવતી જતી વખતે તેની નજીક આવી ગયો. માતાના જણાવ્યા મુજબ, જ્યારે તેને આ સંબંધની જાણ થઈ, ત્યારે તેણે તેની પુત્રીના લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દીધા, પરંતુ તેણે તેનો ઇનકાર કરી દીધો.

માતાએ કહ્યું, 'મારી પુત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, તે ફક્ત રજત સાથે જ રહેશે. તેઓ લગભગ 8 વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા. અમને પાછળથી ખબર પડી કે, રજત પહેલાથી જ પરિણીત હતો અને તેના બે બાળકો પણ હતા. તેણે અમારી પુત્રીની સાથે છેતરપિંડી કરી.' તેણે આરોપ લગાવ્યો કે, તેની પુત્રી રજત પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતી હતી, પરંતુ તે તેને ટાળ્યા કરતો હતો. માતાએ પ્રશ્ન કર્યો કે, જો રજત ખરેખર તેની પુત્રીને પ્રેમ કરતો હતો, તો તે પોલીસ તપાસ દરમિયાન કેમ ભાગી ગયો? તેણે કહ્યું કે રજત ફક્ત તેની પોતાની જરૂરિયાતો માટે તેની પુત્રીનો ઉપયોગ કર્યો હતો.

માતાના જણાવ્યા મુજબ, પરિવારે તેની પુત્રીને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માની. ત્યાં સુધી કે તેને રજતથી દૂર કરવા માટે તેની સગાઇ બીજી જગ્યાએ કરી નાખી હતી, પરંતુ તેણે સંબંધ તોડી નાખ્યો. ત્યારે જ પરિવારને તેમના પ્રેમ સંબંધની ખબર પડી.
પોલીસ સ્ટેશનમાં થયેલી તેની મુલાકાતને યાદ કરતાં, માતાએ કહ્યું કે તેની પુત્રીએ હવે ઘરે પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે. તેણે કહ્યું કે તે અપમાન સાથે ઘરે આવવા માંગતી નથી. તેણે ઉમેર્યું કે જો તેની પુત્રી પાછી આવશે, તો પરિવાર તેને સ્વીકારશે, પરંતુ પહેલાની જેમ તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.

