આને કહેવાય સપૂત, માતાના કહેવા પર દીકરાએ શાળા માટે 11 કઠ્ઠા જમીન દાન કરી દીધી

એક તરફ જમીનના એક ટુકડાં માટે લોકો મરવા મારવા પર આવી જતા હોય છે, તો એક તરફ થોડી જમીન માટે લોકો  મરવા મારવા આતુર થઇ જતા હોય છે, તો બીજી તરફ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લીધે એમ માની શકાય કે માનવતા હજુ સાવ મરી પરવારી નથી. એક સાવ સામાન્ય ખેડુતે શાળા બનાવવા માટે પોતાની 11 કઠ્ઠા જમીન દાનમાં આપી દીધી છે, જેની કિંમત છે 8 લાખ રૂપિયા. ભાગલપુર જિલ્લાના બિહપુર બ્લોકના કહારપુર ગામના ખેડૂત સુબોધ યાદવે એક ઉદાહરણ રજૂ કર્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં કોસી નદીનું જળસ્તર વધવાને કારણે ખેડૂત સુબોધ યાદવના ગામમાં ધોવાણ થયું હતું. જેમાં ગામની સરકારી શાળા સ્કુલમાં સમાઇ ગઇ હતી. એ પછી પોતાની માતાના કહેવાથી સુબોધ યાદવે 11 કઠ્ઠા જમીન બિહાર સરકારને આપી દીધી છે, જેથી ગામમાં સ્કુલ બનાવી શકાય.

સુબોધ યાદવની વાત કરતા પહેલા કઠ્ઠા એટલે શું તે સમજી લઇએ. કઠ્ઠા એટલે જમીન માપણીનું એક માપ છે, જે દરેક જગ્યાએ જુદુ જુદુ હોય છે. બિહારની વાત કરીએ તો 1 કઠ્ઠા એટલે 1361 સ્કેવર ફુટ થાય છે. એ રીતે જોઇએ તો સુબોધ યાદવે 11 કઠ્ઠા જમીન દાનમાં આપી મતલબ કે તેણે 14971 સ્કેવર ફુટ જમીન આપી છે.

બિહપુર બ્લોકનું કહારપુર ગામ જિલ્લા મુખ્યાલય ભાગલપુરથી લગભગ 45 કિલોમીટર દૂર છે. આ ગામ ધોવાણગ્રસ્ત વિસ્તારમાં આવે છે. શાળા નદીમાં સમાઇ જવાને કારણે સરકારી અધિકારીઓ શાળાના નિર્માણ માટે નવી જમીન શોધી રહ્યા હતા. તેમને જમીન મળી નહોતી. નિરાશ થઈને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બીજા ગામ જઇને અભ્યાસ કરવા જવાની ફરજ પડી રહી હતી.

આ વચ્ચે સુબોધની માતા ચંડિકા દેવીને આ વાતની જાણકારી મળી. તેમણે પોતાના પુત્ર સુબોધને જમીનની શોધમાં આવેલા અધિકારીઓને જમીન દાનમાં આપી દેવાની વાત કહી હતી. એ પછી દસ્તાવેજી પ્રક્રિયા પુરી કરવામાં આવી અને સરકારને જમીન દાનમાં આપી દેવામાં આવી.

સુબોધ યાદવનું કહેવું છે કે ગામનવા બાળકોને ભણવા માટે બીજા ગામ જવું પડતું હતું. હવે નવી શાળા બનીને તૈયાર થઇ જશે તો બાળકો પોતાના જ ગામની શાળામાં  ભણી શકશે. તેમને હવે કોઇ મુશ્કેલી નહીં પડે. યાદવે કહ્યું કે ચોમાસાની સિઝનમાં તેમણે હવે બીજા ગામ ભણવા નહીં જવું પડશે. સુબોધ યાદવે જે જમીન દાનમાં આપી છે તેની કિંમત 8 લાખ રૂપિયા છે. ભલે કદાચ તમને રકમ નાની લાગતી હોય, પરંતુ એક ગરીબ ખેડુત માટે આ મોટી વાત છે.

DEO સંજય કુમારે જણાવ્યું કે જમીનદાતાના નામથી જ શાળાનું નામ રહેશે. સુબોધ યાદવે આગ્રહ કર્યો હતો કે શાળાનું નામ તેની માતા ચંડિકા દેવીના નામ પરથી રાખવામાં આવે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.