બે દીકરીનો પિતા બીજા લગ્ન કરી રહ્યો હતો, છેલ્લી ઘડીએ પહેલી પત્ની આવી ગઈ, અને પછી

ઉત્તર પ્રદેશના એટામાં કપટથી લગ્ન કરનાર બે બાળકોના પિતાનું જૂઠ ત્યારે સામે આવ્યું જ્યારે તેની પ્રથમ પત્ની અને તેના ભાઈઓએ સ્ટેજ પર હંગામો મચાવ્યો. તેમજ વરરાજાને માર માર્યો હતો. આ પછી દુલ્હન પક્ષના લોકોએ કપટી વર અને તેના માતા-પિતાને પોલીસને હવાલે કરી દીધા. દુલ્હનના પિતાની તહરીર પર કેસ નોંધીને પોલીસે વરરાજાને જેલમાં મોકલી દીધો છે, અને તક મળતાં જ છટકી ગયેલા વરરાજાના પરિવારના સભ્યોની શોધખોળ ઝડપી કરી છે.

વાસ્તવમાં, બીજા લગ્ન માટે એટા આવેલા કપિંજલ યાદવ નિવાસી પટ્ટી હરનામ સિંહ સિયાના બુલંદશહરના પ્રથમ લગ્ન 18 એપ્રિલ, 2012ના રોજ કાસગંજ નિવાસી શ્વેતા યાદવ સાથે ખૂબ જ ધામધૂમથી થયા હતા. શ્વેતાના પિતાએ લગ્નમાં ખૂબ ખર્ચ કર્યો હતો અને 20 લાખ રૂપિયા પણ આપ્યા હતા. કપિંજલને તેની પ્રથમ પત્ની શ્વેતાથી બે પુત્રીઓ પણ છે. બે દીકરીઓ થયા પછી અચાનક કપિંજલ અને તેના પરિવારનું વર્તન એકદમ બદલાઈ ગયું, ત્યારબાદ શ્વેતા તેની બંને દીકરીઓને લઈને તેના માં-બાપના ઘરે પિયરે આવી ગઈ.

પત્ની શ્વેતા કાસગંજ જવા નીકળી કે તરત જ કપિંજલ અને તેના પરિવારના સભ્યોએ એટામાં તેના લગ્ન નક્કી કરી દીધા. 15મી માર્ચે કપિંજલ ખૂબ જ ધામધૂમથી જાન લઈને દાખીની રિસોર્ટ ખાતે પહોંચી ગયો હતો. મોડી સાંજ સુધી લગ્નની તમામ વિધિઓ ખૂબ જ આરામથી શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી, પરંતુ જયમાલા દરમિયાન પ્રથમ પત્ની શ્વેતા અને તેના ભાઈએ લગ્નનો વિરોધ કરતા સ્ટેજ પર હંગામો મચાવી દીધો હતો. સાથે જ તેમણે વરરાજા કપિંજલને ખુબ માર માર્યો હતો અને કપટી વરરાજાનો આખો ખેલ બગાડી નાખ્યો હતો.

આ સમગ્ર મામલાની જાણ થતાં જ કન્યા અને તેના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ હક્ક બક્કા થઇ ગયા હતા. બનાવટ કરીને લગ્ન કરવા આવેલા કપિંજલ સાથે દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ બનેલા સમગ્ર બનાવથી દુઃખી થઈને દુલ્હનના પિતાએ પોલીસને બોલાવી અને વરરાજા અને તેના પરિવારને પોલીસને હવાલે કરી દીધા હતા.

બીજી તરફ, પ્રથમ પત્ની શ્વેતાના ભાઈ મનોજ કુમારની અરજી પર પોલીસે વરરાજા કપિંજલ અને તેના પરિવારના સભ્યો સામે ગુનો નોંધી, છેતરપિંડી કરનાર વરરાજાને જેલમાં મોકલી આપ્યો હતો અને તક જોઈને પોલીસ સ્ટેશનેથી ભાગી છૂટેલા વરરાજાના કુટુંબીજનોની શોધખોળ શરૂ કરી છે.

આ પહેલા જાનૈયાઓ અને કન્યા પક્ષના માણસો વચ્ચે સમજૂતી માટે લાંબા સમય સુધી પંચાયત ચાલતી હતી. પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. 15 લાખનો ખર્ચ થયો હોવાની વાત સ્વજનોએ કરી હતી.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.