સરકારને આ રીતે મૂર્ખ બનાવી શકાય નહીં, LGને ફરી સુપ્રીમ કોર્ટનો ઝટકો

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે દિલ્હી અને LG વચ્ચેનો બીજો વિવાદ સામે આવ્યો. દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના વડાની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે LG V.K. સક્સેના પર આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે 11 મેના રોજના સેવા પર નિયંત્રણ ને લઈને તેના આદેશનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, LGએ સરકારની સલાહ મુજબ કામ કરવું પડશે. દિલ્હી સરકારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રાજીવ કુમાર શ્રીવાસ્તવને DERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને LGની મંજૂરીમાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.

ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચુડ, જસ્ટિસ P.S. નરસિમ્હા અને જસ્ટિસ K.V. વિશ્વનાથને આ મામલાની સુનાવણી કરી હતી. મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ બેંચને જણાવ્યું કે, પાંચ મહિના પહેલા LGને દરખાસ્ત મોકલવામાં આવી હતી. જો કે, લેફ્ટનન્ટ ગવર્નરે એમ કહીને તેમના નિર્ણયમાં વિલંબ કરવાનું ચાલુ રાખ્યું હતું કે, નિમણૂક માટે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સંમતિ જરૂરી છે કે, કેમ તે જાણવા માટે તેમને કાનૂની અભિપ્રાયની જરૂર છે. ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 84(2)ને ટાંકીને સિંઘવીએ કહ્યું કે, માત્ર સંબંધિત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સંમતિ જરૂરી છે. ચીફ જસ્ટિસે આ વાત પર સહમતિ દર્શાવતા કહ્યું કે, 'જે વ્યક્તિની નિમણૂક થઈ રહી છે, તે મદ્રાસ હાઈકોર્ટના જજ છે, તો કોનો સંપર્ક કરવામાં આવશે, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો, કોઈ હાઈકોર્ટમાંથી એવું કેમ કરવામાં આવશે? '

LG તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ લેફ્ટનન્ટ ગવર્નર એન્ટ્રી 1, 2 અને 18 સંબંધિત બાબતોમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે. તેમણે કહ્યું કે, 'અન્ય કિસ્સાઓમાં, મતભેદ થવાના કિસ્સામાં, રાજ્યપાલ રાષ્ટ્રપતિનો સંદર્ભ લઈ શકે છે અને તે નિર્ણય બાકી હોય, રાજ્યપાલ પોતે તાકીદે નિર્ણય લઈ શકે છે.' તેના પર ચીફ જસ્ટિસે કહ્યું, 'રાજ્યપાલ આ રીતે એક સરકારને મૂર્ખ બનાવી શકે નહીં. જે શક્તિની વાત કરવામાં આવી રહી છે તેનો ઉપયોગ અપવાદ તરીકે પણ થઈ શકે છે.' કોર્ટે LGને બે અઠવાડિયામાં નિમણૂક અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. 

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.