SDMએ ફરિયાદીને જ ઓફિસમાં મરઘો બનાવી દીધો, પદ પરથી હટાવી દેવાયા

ત્રીજા પ્રયાસે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને હજુ પહેલું જ પોસ્ટિંગ મેળવનાર SDMને પોતાની જ ઓફીસમાં એક ફરિયાદીને મરઘો બનાવવાનું ભારે પડ્યું છે. ફરિયાદ મળતાની સાથે SDMને હટાવી દેવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક તહસીલના SDM ઉદિત પવાર આ દિવસોમાં ચર્ચામાં છે. તેમની પર એવો આરોપ છે કે તેમણે એક ફરિયાદીને પોતાની જ ઓફીસમાં મરઘો બનવાની સજા કરી હતી. SDMની ઓફિસમાં ફરિયાદીનો મરઘો બનવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે ફરિયાદ મળતાની સાથે SDM ઉદિત પવારને પદ પરથી હટાવીને નવા SDMની નિમણુંક કરી દેવામાં આવી છે.

બરેલી જિલ્લાના મીરગંજ તહસીલના SDM ઓફિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ફરિયાદીને મુરઘો થતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા પછી SDM સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

વિવાદમાં ફસાયેલા SDM ઉદિત પવાર મેરઠના રહેવાસી છે અને તેમણે 10 ધોરણ સુધીનો અભ્યાસ સેંટ મેરીઝ એકડેમીમાંથી અને 12મા ધોરણનો અભ્યાસ દીવાન પબ્લિક સ્કુલમાં કર્યો હતો. એ પછી ઉદિત પવારે IIT ગૌહાટીથી મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. ઉદિત પવારે એન્જિનિયરીંગ પુરુ કર્યા પછી 1 વર્ષ સુધી બેંગલુરુંમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી હતી. પરંતુ નોકરીમાં તેમનું મન લાગ્યું નહોતું અને નોકરી છોડીને ઘરે આવી ગયા હતા. એ પછી તેમણે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી.

ઉદિત પવારને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી હતી. પહેલા અને બીજા પ્રયાસમાં તો તેએ પ્રીલિમ્સ પણ ક્લીયર કરી શક્યા નહોતા. પરંતુ વર્ષ 2020માં ત્રીજા પ્રયાસમાં 5મો રેંક સાથે PCS પરીક્ષા ક્લીયર કરી હતી. ઉદિત પવાર અનેક ઇન્ટરવ્યૂમાં એ વાત કહી ચૂક્યા છે કે તેઓ દરરોડ 10 કલાક સેલ્ફ સ્ટડી કરતા હતા. તેમની સફળતાનો એ જ મૂળ મંત્ર હતો.

SDM ઉદિત પવાર થોડા દિવસો પહેલા બરેલીના મીરગંજ તહસીલમાં તૈનાત હતા. મીરગંજ તહસીલમાં આ તેમની પ્રથમ પોસ્ટિંગ હતી. બરેલીના ડીએમ શિવકાંત દ્વિવેદીએ કહ્યું છે કે ઉદિત પવારને ફરિયાદ મળ્યા બાદ તરત જ હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા SDMને તૈનાત કરવામાં આવ્યા છે. SDM ઉદિત પવારે પોતાના બચાવમાં કહ્યુ હતું કે, ફરિયાદી જાતે જ મરઘો બન્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.