મૌલવીનો લવારો- મનાલી ફરવા ગયેલી વિધવા મુસ્લિમ મહિલાને એક ખૂણામાં બેસી પ્રાર્થના કરવાની સલાહ આપી

કેરળમાં એક ઈસ્લામિક મૌલવી દ્વારા પોતાના પરિવાર સાથે પ્રવાસે ગયેલી 55 વર્ષીય મુસ્લિમ વિધવા સાથે દુર્વ્યવહાર અને ટીકા કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ આક્રોશ ફેલાઇ ગયો છે. ઇબ્રાહિમ સકાફી પૂજાકથિરી નામના મૌલવીની ટિપ્પણી, જે એક ભાષણ દરમિયાન કરવામાં આવી હતી, તેની સખત નિંદા કરવામાં આવી છે. જેમાં ઘણાએ મહિલા સ્વતંત્રતા અને અધિકારો પર તેના મંતવ્યો પર સવાલ ઉઠાવ્યા છે.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોઝિકોડની રહેવાસી વિધવા મહિલા નફીસુમ્માનો મનાલીમાં પોતાની પુત્રીઓ સાથે બરફનો આનંદ લેવા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. ક્લિપમાં, તે ખુશીથી બરફ ફેંકતી અને અન્ય લોકોને જીવનમાં આવી ક્ષણોનો અનુભવ કરવા પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી. જો કે, મૌલવીને તેની ખુશી પસંદ ન આવી અને તેણે ઘણી એવી વાતો કહી દીધી જે પછી મહિલાઓ પ્રત્યે મૌલવીની મંશા  પર સવાલોના ઘેરામાં આવી ગઇ.

muslim-woman2

ઈબ્રાહિમ સકાફીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, તમે એક વૃદ્ધ મહિલાનો વીડિયો જોયો હશે. તેના પતિનું 25 વર્ષ અગાઉ મોત થઇ ગયું હતું. એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવાને બદલે તે બીજા રાજ્યમાં જઈને બરફમાં રમતી નજરે પડી અને તે બધાને એમ કહેતી નજરે પડી રહી છે કે આ જ જિંદગી છે અને આજ બધી સમસ્યાનું મૂળ છે.

નફીસુમ્માની પુત્રી જિસ્નાએ મૌલવીના નિવેદન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. જિસ્નાએ કહ્યુંકે, 'મારી માતા ખૂબ જ દુઃખી છે અને રડી રહી છે. તે બહાર જઈ શકતી નથી કારણ કે દરેક તેને મૌલવીના શબ્દો બાબતે પૂછે છે. જિસ્નાએ સવાલ કર્યો કે શું એક મહિલા જેણે પતિ ગુમાવી દીધો છે, તેને દુનિયા જોવાનો કોઈ અધિકાર નથી?

muslim-woman3

સોશિયલ મીડિયા યુઝર્સ અને એક્ટિવિસ્ટ લોબીએ નફીસુમ્માને સમર્થન આપતા આ વાત પર ભાર આપ્યો કે, વિધવાઓએ પણ  અન્ય લોકોનો આનંદ લેવાનો અધિકાર છે. ઘણા લોકોએ પ્રતિબંધાત્મક વિચારોને પડકારવાની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું છે જે મહિલાઓ, ખાસ કરીને વિધવાઓને તેમનું જીવન જીવવાની રીતોનક્કી કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નફીસુમ્મા પોતાના પરિવાર સાથે રજાઓ માણતી જોવા મળે છે. આ વીડિયો પર પ્રતિક્રિયાઓનો પૂર આવી ગયો છે અને યુઝર્સ નફીસુમ્મા અને તેની ખુશી જોઈને ખુશ થઇ રહ્યા છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.