કર્ણાટક કોંગ્રેસમાં 'કુછ તો ગડબડ હૈ', DyCMએ મંત્રીને જાહેરમાં ઠપકો આપ્યો!

કર્ણાટક કોંગ્રેસમાં હાલના દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. અનેક વખત કોંગ્રેસના તારણહાર તરીકે જોવામાં આવતા DyCM DK શિવકુમાર પણ રહી રહીને ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સત્તાની વહેંચણી અંગે વિવિધ ચર્ચાઓએ પણ ત્યાંના રાજકારણને ગરમ કરી દીધું છે.

DyCM DK શિવકુમારને ત્યાંના સ્થાનિક કોંગ્રેસના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ બુધવારે તેમણે પોતાના જ મંત્રીને ઠપકો આપ્યો હતો. તેમણે મંત્રી સતીશ જારકીહોલીને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ જાહેરમાં ઠપકો આપ્યો છે.

હકીકતમાં, કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી સતીશ જારકીહોલીએ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીને પૂર્ણ-સમયના નેતાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દા પર નીચલા સ્તરે તો ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ આ મામલો ઉપરના સ્તરેથી આવવો જોઈતો હતો. જોકે, જ્યારે પાર્ટી હાઈકમાન્ડે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે તેમણે તે નિવેદન પાછું ખેંચી લીધું અને દાવો કર્યો કે, મીડિયાએ તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા છે.

આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા DyCM DK શિવકુમારે કહ્યું, શું તમે મીડિયા પાસેથી આ પોસ્ટ મેળવી શકો છો? આ કોઈ દુકાનમાંથી મળતું નથી. તે આપણે કરેલા કાર્યોનું પરિણામ હોય છે. તેમણે કહ્યું કે, આવા નિવેદનો જાહેરમાં આપવાને બદલે પક્ષની અંદર યોગ્ય માધ્યમથી આપવા જોઈતા હતા. એટલું જ નહીં, કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ મંજુનાથ ભંડારીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને વરિષ્ઠ નેતાઓને આવા નિવેદનોથી બચવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, જે નેતાઓ હાઈકમાન્ડના આદેશોનું ઉલ્લંઘન કરે છે, તેમને કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકો ગણવામાં આવશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ફક્ત પાર્ટી નેતૃત્વ, જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે, તેઓ જ આવા નિર્ણયો લેશે, અને કોઈપણ મંત્રીએ આ અંગે નિવેદન આપવું જોઈએ નહીં. આ ઘટનાક્રમે ફરી એકવાર કર્ણાટક કોંગ્રેસમાં વધતા આંતરિક મતભેદો અને વિવાદોને સપાટી પર લાવ્યા છે. જેના કારણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીની એકતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.