કર્ણાટક કોંગ્રેસમાં 'કુછ તો ગડબડ હૈ', DyCMએ મંત્રીને જાહેરમાં ઠપકો આપ્યો!

On

કર્ણાટક કોંગ્રેસમાં હાલના દિવસોમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. અનેક વખત કોંગ્રેસના તારણહાર તરીકે જોવામાં આવતા DyCM DK શિવકુમાર પણ રહી રહીને ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સત્તાની વહેંચણી અંગે વિવિધ ચર્ચાઓએ પણ ત્યાંના રાજકારણને ગરમ કરી દીધું છે.

DyCM DK શિવકુમારને ત્યાંના સ્થાનિક કોંગ્રેસના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ બુધવારે તેમણે પોતાના જ મંત્રીને ઠપકો આપ્યો હતો. તેમણે મંત્રી સતીશ જારકીહોલીને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ જાહેરમાં ઠપકો આપ્યો છે.

હકીકતમાં, કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી સતીશ જારકીહોલીએ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીને પૂર્ણ-સમયના નેતાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દા પર નીચલા સ્તરે તો ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ આ મામલો ઉપરના સ્તરેથી આવવો જોઈતો હતો. જોકે, જ્યારે પાર્ટી હાઈકમાન્ડે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે તેમણે તે નિવેદન પાછું ખેંચી લીધું અને દાવો કર્યો કે, મીડિયાએ તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા છે.

આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા DyCM DK શિવકુમારે કહ્યું, શું તમે મીડિયા પાસેથી આ પોસ્ટ મેળવી શકો છો? આ કોઈ દુકાનમાંથી મળતું નથી. તે આપણે કરેલા કાર્યોનું પરિણામ હોય છે. તેમણે કહ્યું કે, આવા નિવેદનો જાહેરમાં આપવાને બદલે પક્ષની અંદર યોગ્ય માધ્યમથી આપવા જોઈતા હતા. એટલું જ નહીં, કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ મંજુનાથ ભંડારીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને વરિષ્ઠ નેતાઓને આવા નિવેદનોથી બચવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, જે નેતાઓ હાઈકમાન્ડના આદેશોનું ઉલ્લંઘન કરે છે, તેમને કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકો ગણવામાં આવશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ફક્ત પાર્ટી નેતૃત્વ, જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે, તેઓ જ આવા નિર્ણયો લેશે, અને કોઈપણ મંત્રીએ આ અંગે નિવેદન આપવું જોઈએ નહીં. આ ઘટનાક્રમે ફરી એકવાર કર્ણાટક કોંગ્રેસમાં વધતા આંતરિક મતભેદો અને વિવાદોને સપાટી પર લાવ્યા છે. જેના કારણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીની એકતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.