'જે મારી વાત નહીં સાંભળે તેમને મારા ચપ્પલનો માર ખાવો પડશે'; BJP ધારાસભ્યનો વીડિયો વાયરલ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ધારાસભ્ય ભરત સિંહ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનું કારણ છે તેમના મોઢામાંથી નીકળેલા તેમના નિવેદનો. રુદ્રપ્રયાગમાં એક સ્ટેજ પર ઉભા રહીને, તેઓ હાથમાં માઇક્રોફોન લઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. વીડિયોમાં, ધારાસભ્ય કહેતા સાંભળવામાં આવે છે કે, 'જે કોઈ પણ અધિકારી મારી વાત નહીં સાંભળે તેમને મારા ચપ્પલનો માર ખાવો પડશે.' આ વીડિયોના કારણે રાજકીય વાતાવરણ પણ ગરમ થઇ ગયું છે.

BJPના ધારાસભ્ય ભરત સિંહ ચૌધરીનો આ વીડિયો લગભગ એક અઠવાડિયા જૂનો છે. એમાં કહેવામાં આવ્યું છે કે, રુદ્રપ્રયાગ જિલ્લાના બર્મા પટ્ટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હોવાનું કહેવાય છે. વીડિયોમાં, તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સૈનિક સ્કૂલ બનાવવાની જાહેરાત કરનારા નેતાઓ હવે ગાયબ થઈ ગયા છે. તેમણે બર્મા વિસ્તારમાં વેટરનરી મેડિકલ કોલેજ બનાવવાનું પણ વચન આપ્યું હતું.

Bharat Singh Chaudhary
navbharattimes.indiatimes.com

જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે વિપક્ષે પણ તેમને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ઉત્તરાખંડ કોંગ્રેસે BJPના ધારાસભ્યનો વીડિયો તેના સત્તાવાર હેન્ડલ પર શેર કર્યો.

ઉત્તરાખંડ કોંગ્રેસે લખ્યું, 'CM ધામીના રત્ન અને રુદ્રપ્રયાગના BJPના ધારાસભ્ય ભરત સિંહ ચૌધરી છે. તેઓ સત્તાના નશામાં ધૂત થઈ ગયા છે, જેનો જવાબ જનતા 2027માં આપશે.'

પોતાના ભાષણ દરમિયાન, ધારાસભ્યએ કોંગ્રેસના નેતા અને રુદ્રપ્રયાગના ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. હરક સિંહ રાવત પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, જે લોકો કહેતા હતા કે 'આવી ગયા છે હરક, પડી ગયો ફરક,' તેઓ હવે દેખાતા પણ નથી. માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર લોકો ધારાસભ્યની ભાષા અને ધમકીઓ પર પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Bharat Singh Chaudhary
jagran.com

ઓક્ટોબર 2025માં, ધારાસભ્ય ભરત સિંહ ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. મહિલાઓ પ્રત્યેના તેમના વિવાદાસ્પદ નિવેદન માટે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. હકીકતમાં, રુદ્રપ્રયાગ જિલ્લાના તિલની શહેરમાં એક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માત પછી, સ્થાનિક લોકો સતત સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા અને પૂછ્યું, 'તમારા વિસ્તારમાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થતી?' જેના પર ધારાસભ્યએ જવાબ આપ્યો, 'હું તમારા જોરે ધારાસભ્ય નથી બન્યો.' આ પછી, મહિલાઓએ તેમના રાજીનામાની માંગ કરી અને તેમના વિરુદ્ધ અભદ્ર વર્તન બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

About The Author

Related Posts

Top News

ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા...
National 
ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે

સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બજેટ અને એન્ટ્રી-લેવલ યુઝર્સને ટારગેટ કરે છે. કંપનીએ Samsung Galaxy A07...
Tech and Auto 
સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે

કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?

ઉત્તરાખંડના કોટદ્વારમાં બજરંગ દળના લોકોએ એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ બદલવાને લઇને હોબાળો કર્યો હતો. પટેલ માર્ગ પર આવેલી દુકાનના...
National 
કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?

મહારાષ્ટ્રનામાં નવો અધ્યાય લખશે સુનેત્રા પવાર, શું શાસક-વિપક્ષ બંને માટે ચેતવણીની ઘંટડી સાબિત થશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું પરિવર્તન આવે તે અંગેની અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રને આજે તેના...
National 
મહારાષ્ટ્રનામાં નવો અધ્યાય લખશે સુનેત્રા પવાર, શું શાસક-વિપક્ષ બંને માટે ચેતવણીની ઘંટડી સાબિત થશે?

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.