'જે મારી વાત નહીં સાંભળે તેમને મારા ચપ્પલનો માર ખાવો પડશે'; BJP ધારાસભ્યનો વીડિયો વાયરલ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ધારાસભ્ય ભરત સિંહ ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનું કારણ છે તેમના મોઢામાંથી નીકળેલા તેમના નિવેદનો. રુદ્રપ્રયાગમાં એક સ્ટેજ પર ઉભા રહીને, તેઓ હાથમાં માઇક્રોફોન લઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. વીડિયોમાં, ધારાસભ્ય કહેતા સાંભળવામાં આવે છે કે, 'જે કોઈ પણ અધિકારી મારી વાત નહીં સાંભળે તેમને મારા ચપ્પલનો માર ખાવો પડશે.' આ વીડિયોના કારણે રાજકીય વાતાવરણ પણ ગરમ થઇ ગયું છે.

BJPના ધારાસભ્ય ભરત સિંહ ચૌધરીનો આ વીડિયો લગભગ એક અઠવાડિયા જૂનો છે. એમાં કહેવામાં આવ્યું છે કે, રુદ્રપ્રયાગ જિલ્લાના બર્મા પટ્ટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હોવાનું કહેવાય છે. વીડિયોમાં, તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સૈનિક સ્કૂલ બનાવવાની જાહેરાત કરનારા નેતાઓ હવે ગાયબ થઈ ગયા છે. તેમણે બર્મા વિસ્તારમાં વેટરનરી મેડિકલ કોલેજ બનાવવાનું પણ વચન આપ્યું હતું.

Bharat Singh Chaudhary
navbharattimes.indiatimes.com

જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે વિપક્ષે પણ તેમને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ઉત્તરાખંડ કોંગ્રેસે BJPના ધારાસભ્યનો વીડિયો તેના સત્તાવાર હેન્ડલ પર શેર કર્યો.

ઉત્તરાખંડ કોંગ્રેસે લખ્યું, 'CM ધામીના રત્ન અને રુદ્રપ્રયાગના BJPના ધારાસભ્ય ભરત સિંહ ચૌધરી છે. તેઓ સત્તાના નશામાં ધૂત થઈ ગયા છે, જેનો જવાબ જનતા 2027માં આપશે.'

પોતાના ભાષણ દરમિયાન, ધારાસભ્યએ કોંગ્રેસના નેતા અને રુદ્રપ્રયાગના ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. હરક સિંહ રાવત પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, જે લોકો કહેતા હતા કે 'આવી ગયા છે હરક, પડી ગયો ફરક,' તેઓ હવે દેખાતા પણ નથી. માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર લોકો ધારાસભ્યની ભાષા અને ધમકીઓ પર પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Bharat Singh Chaudhary
jagran.com

ઓક્ટોબર 2025માં, ધારાસભ્ય ભરત સિંહ ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. મહિલાઓ પ્રત્યેના તેમના વિવાદાસ્પદ નિવેદન માટે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. હકીકતમાં, રુદ્રપ્રયાગ જિલ્લાના તિલની શહેરમાં એક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માત પછી, સ્થાનિક લોકો સતત સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી લીધા અને પૂછ્યું, 'તમારા વિસ્તારમાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થતી?' જેના પર ધારાસભ્યએ જવાબ આપ્યો, 'હું તમારા જોરે ધારાસભ્ય નથી બન્યો.' આ પછી, મહિલાઓએ તેમના રાજીનામાની માંગ કરી અને તેમના વિરુદ્ધ અભદ્ર વર્તન બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

About The Author

Related Posts

Top News

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ભારતના અનેક ભાગોમાં હાલમાં રાંધણ ગેસ (LPG) ની અછત જોવા મળી રહી છે. આ સંકટની અસર માત્ર રસોડા સુધી...
National 
બોલો હોટલે ઈડલીના બિલમાં 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' ઉમેરી દીધો

ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી એક ભયાનક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુંદરણ ગામ નજીક આવેલા...
Gujarat 
ગીર સોમનાથમાં રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું

નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

મેરઠમાં એક નકલી IAS અધિકારીની ધરપકડથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. નકલી IAS અધિકારી તરીકે ઓળખીને પોલીસે ધરપકડ કરેલા રાહુલ...
National 
નકલી અધિકારી માનીને પોલીસે અસલી IAS અધિકારીને ઉઠાવી લીધા, દસ્તાવેજો બતાવ્યા પછી તો...

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.