DIGની પત્નીના ત્રાસથી મહિલા હોમગાર્ડે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, બંને પગ ગુમાવ્યા

ઓરિસ્સામાં એક મહિલા હોમગાર્ડે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં મહિલાએ બંને પગ ગુમાવ્યા. આરોપ છે કે ડીઆઈજી રેન્કના એક અધિકારીની પત્નીના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મહિલા હોમગાર્ડે પોતાના બંને પગ ગુમાવવા પડ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર વાયરલ થઇ રહી છે અને લોકો ગુસ્સામાં છે. ઓરિસ્સા માનવાધિકારી વિભાગે આ મામલાને ધ્યાનમાં લેતા ડીજીપીને તપાસનો આદેશ આપ્યો છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે.

ઓફિશ્યલ સૂત્રો અનુસાર, રાજ્ય સરકારે મંગળવારે નોર્થ સેન્ટ્રલ રેન્જના ડીઆઈજી બૃજેશ કુમાર રાયને સ્ટેટ પોલીસ હેડક્વોર્ટરમાં ટ્રાન્સફર કરી દીધા છે.

હોમગાર્ડના ડીજી સુધાંશુ સાંરગીને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવેલી ફરિયાદમાં પીડિત મહિલા હોમગાર્ડે વરિષ્ઠ IPS અધિકારીની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે તે વરિષ્ઠ અધિકારીના ઘરે કામ કરતી હતી અને યોગ્ય રીતે કામ ન કરવાનો આરોપ લગાવી તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. રાયે આ આરોપોને ફગાવતા કહ્યું કે, સૌરિદ્રી સાહૂ નામની મહિલા હોમગાર્ડ પારિવારિક મુશ્કેલીઓને લીધે પરેશાન હતી. હોમગાર્ડના ડીજીનું કહેવું છે કે આ આરોપેને તપાસવામાં આવશે.

મામલો શું

ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, 4 ઓગસ્ટના રોજ અમુક કપડા ન ધોવાના કારણે અધિકારીની પત્નીએ તેને ઘસડીને બહાર કાઢી અને અપશબ્દો કહ્યા. આનાથી પરેશાન થઇને તેણે ટ્રેનની આગળ કૂદી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. 4 ઓગસ્ટના રોજ આ ઈરાદાની સાથે તે રેલવે ટ્રેકના કિનારે ઊભી હતી અને ત્યારે જ ટ્રેનના વાઈબ્રેશનના કારણે તે ટ્રેક પર પડી ગઇ. તેની વચ્ચે તે ટ્રેનમાં આવી ગઇ અને તેના બંને પગ કપાઇ ગયા.

હાલમાં મહિલા હોમગાર્ડનું કટકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે મહિલાએ હજુ સુધી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી નથી. તેણે ઓરિસ્સાના ગવર્નર ગણેશી લાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક અને અન્યને પત્ર લખ્યા છે.

આરોપીએ શું કહ્યું

મહિલાના આરોપોને ફગાવતા 2009 બેચના IPS અધિકારી રાયે કહ્યું કે મહિલા પારિવારિક કારણોથી પરેશાન હતી. તે માનસિક રીતે સ્વસ્થ નથી. અમે તેની સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. કોઇએ જરૂર તેને અમારા સામે ઉશ્કેરી છે.

જણાવીએ કે, મહિલા હોમગાર્ડ તેની બે દીકરીઓ સાથે રહે છે. તેમના પતિ દુનિયામાં હયાત નથી.

About The Author

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.