મંદિર ઉપર પડ્યું ભારે ભરખમ વૃક્ષ, 7 લોકોના મોત, 30ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પારસ ગામથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક મંદિરના ટિન શેડ પર વરસાદના કારણે એક ખૂબ જૂનું વૃક્ષ પડી ગયું અને ટિન શેડ ધરાશાયી થઈ ગયું. આ દરમિયાન ટિન શેડ નીચે ઊભા લોકોમાંથી 7 લોકોના મોત થઈ ગયા, તો 30-40 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા હોવાની જાણકારી મળી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને આર્થિક રાહત આપવાનો ભરોસો આપ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, ભારે તોફાની વરસાદના કારણે વૃક્ષ પડ્યું હતું અને ટિન શેડ પડવાથી લોકો દબાવાના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. પ્રશાસનનું કહેવું છે કે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને અત્યાર સુધી આ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત થયા છે. અત્યારે 30 ઇજાગ્રસ્તોની સારવાર અકોલાની જ મેડિકલ કૉલેજમાં કરવામાં આવી રહી છે. અકોલાના મંદિરમાં થયેલા આ અકસ્માતને લઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આ ઘટના દર્દનાક છે, હું પીડિતોને વિનમ્ર સન્માન કરું છું. તેમણે પીડિતોને આર્થિક મદદ પ્રદાન કરવાની પણ વાત કહી.

આ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર નીમા અરોડાએ જાણકારી આપી છે કે જે સમયે આ અકસ્માત થયો એ સમયે ટિન શેડ નીચે 40 લોકો ઉપસ્થિત હતા અને તેમાંથી 36 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું કે, 4 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા અને 3 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો. બધા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત લોકોને સારવાર મેડિકલ કૉલેજમાં જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી ઘણી જગ્યાઓ પર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં પણ તેજ હવાઓ ચાલી શકે છે અને સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તો 5 દિવસોમાં દેશના મોટા હિસ્સામાં તાપમાન વધવાની આશંકા છે. ઘટનાની જાણકારી મળતા જ ગ્રામજનો સાથે બાલાપુર પોલીસ ત્યાં પહોંચી. પોલીસ અને ગ્રામજનોએ ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને બહાર કાઢીને હૉસ્પિટલ મોકલાવ્યા. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલી રહ્યું હતું. સ્થાનિક હિન્દુ-મુસ્લિમ બધા ધર્મના લોકોએ વૃક્ષની કાપણી કરી. શેડને ગેસ કટરથી કાપીને દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.