ઉદ્ધવ સરકાર મને જેલમાં મોકલવા માંગતી હતી, કમિશનરને આપી હતી જવાબદારીઃ DyCM ફડણવીસ

મહારાષ્ટ્રના DyCM દેવેન્દ્ર ફડણવીસે ખુલાસો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરે સરકાર તેમને જેલમાં મોકલવા માંગતી હતી. DyCM ફડણવીસે કહ્યું કે, આ ટાર્ગેટ પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને આપવામાં આવ્યો હતો. DyCM ફડણવીસે કહ્યું કે, જોકે તેમણે કંઈ ખોટું કર્યું નથી, જેના કારણે પોલીસ કમિશનરને સફળતા મળી નથી. એક ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન DyCM ફડણવીસે આ વાત કહી.

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહાવિકાસ આઘાડી સરકારે તત્કાલિન મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને મને જેલમાં ધકેલી દેવાનો ટાર્ગેટ આપ્યો હતો. સરકારે મને કોઈક રીતે ફસાવીને મારી સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. DyCM ફડણવીસે કહ્યું કે, આ સત્ય છે અને તમે કોઈપણ પોલીસ અધિકારીને પૂછી શકો છો. DyCM ફડણવીસે કહ્યું કે, મેં કંઈ ખોટું કર્યું નથી, તેથી જ તેઓ સફળ થઈ શક્યા નથી. DyCM ફડણવીસે કહ્યું કે, તેમની ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ અંગત દુશ્મની નથી પરંતુ તેમણે મારા ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે. જો તેઓ BJP સાથે ગઠબંધન કરવા માંગતા ન હતા (2019ની વિધાનસભા ચૂંટણી પછી), તો તેમણે મને કહેવું જોઈતું હતું.

DyCM ફડણવીસે કહ્યું કે, તાજેતરમાં એક કાર્યક્રમમાં મારી વાહિની (ઉદ્ધવ ઠાકરેની પત્ની સ્મિતા ઠાકરે)ની સાથે મુલાકાત થઇ હતી, મેં તેમને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને મારી શુભકામનાઓ જણાવો, કારણ કે આ જ મહારાષ્ટ્રની સંસ્કૃતિ છે અને હું તેને છોડી શકતો નથી. અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે CM એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને પોતાની પાર્ટી બનાવી હતી, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. CM એકનાથ શિંદેએ BJPના સમર્થનથી સરકાર બનાવી અને રાજ્યના નવા CM બન્યા. CM શિંદેની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસને DyCM બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં, મહાવિકાસ અઘાડીની સરકાર પડી અને CM એકનાથ શિંદેની પાર્ટી અને BJP સત્તામાં આવ્યા પછી 1986 બેચના IPS અધિકારી સંજય પાંડેની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે.

અહીં તમને જણાવી દઈએ કે, DyCM દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કહ્યું હતું કે, અગાઉની સરકાર બદલાની ભાવના સાથે કામ કરી રહી હતી. મેં ગૃહમાં પેનડ્રાઈવ રજૂ કરી હતી, જેમાં વકીલો અને કેટલાક નેતાઓ ખોટા કેસો બનાવીને અમને જેલમાં નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. (ભાજપના નેતાઓ) ગિરીશ મહાજન, પ્રવીણ દરેકરને નિશાન બનાવવામાં આવ્યા હતા, પ્રસાદ લાડને નિશાન બનાવવામાં આવ્યા હતા અને મને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સંજય પાંડેને કોઈક રીતે મને જેલમાં ધકેલી દેવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.