પાકિસ્તાનને પૂછાય તો તે પણ કહી દેશે શિવસેના કોની છેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં શિવસેના પર ભલે એકનાથ શિંદેનો અધિકાર થઈ ગયો છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે તેને લઈને સતત પ્રહાર કરી રહ્યા છે. તેમણે ફરી એક વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યો છે. જલગાંવમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા ઉદ્ધવ ઠાકરેએ સભાને સંબોધિત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે, જલગાંવમાં જે માહોલ છે, તેનાથી ખબર પડી ગયું કે અસલી શિવસેના કોની છે. પાકિસ્તાનને પૂછવામાં આવે તો તે પણ કહી દેશે કે શિવસેના કોની છે, પરંતુ આપણે ત્યાં કેટલાક લોકોને મોતિયા થઈ ગયા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પંચને મોતિયા થઈ ગયા છે. શિવસેના કોની છે. એ ચૂંટણી પંચને સમજ પડતી નથી. કેટલાક લોકોને લાગ્યું કે એ જ શિવસેના છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 40 ગદ્દાર (શિંદે ગ્રુપના ધારાસભ્ય) ગયા, તેનાથી કંઈ ફરક પડતો નથી, જેમને ચૂંટીને આપ્યા, તેઓ ગદ્દાર થઈ ગયા, પરંતુ તેમને ચૂંટનાર મારી સાથે છે. તેમને જે રીતે ઘોડા પર ચડાવવામાં આવ્યા, એ જ પ્રકારે ઉતારવાનો સમય આવી ગયો છે.

તેમણે આગળ કહ્યું કે, સત્ય બોલો તો પોલીસ પાછળ લગાવી દેવામાં આવે છે. હું પોલીસન કહેવા માગું છું, તમે પણ ખેડૂતના પુત્ર છો. મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારનો અર્થ સંકટ. તેમની સરકાર બનતા જ વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો. બાળ ઠાકરેના નામનો ઉપયોગ કરીને ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, તેઓ બાપ બદલે છે અને ચોરે છે. ભાજપ મારા માટે પડકાર નથી. ભાજપથી થનારું નુકસાન અમારા માટે પડકાર છે.

ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. પુલવામાં હુમલાને લઈને સત્યપાલ મલિકે સાચું કહ્યું તો તેમની પાછળ CBI લગાવી દેવામાં આવી. રાજનૈતિક ફાયદા માટે સૈનિકોનો ઉપયોગ કર્યો. રાહુલ ગાંધીએ અદાણી પર પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ કોણ આપશે? વડાપ્રધાનનો મિત્ર બીજા નંબરનો અમીર કઈ રીતે થયો? વિપક્ષી નેતા સવાલ પૂછે છે તો જેલમાં નાખી દેવામાં આવે છે. કેટલા લોકોને જેલમાં નાખશો. એક વખત જેલ ભરો આંદોલન જ કરીએ છીએ.

મોંઘવારી અત્યારે પણ ઓછી થઈ નથી. અમે હિન્દુત્વ અત્યારે પણ છોડ્યું નથી. ન તો છોડીશું. ભાજપવાળા બતાવે કે તેમનું હિન્દુત્વ કેવું છે. હિન્દુત્વ શું છે, ભાજપને ખબર જ નથી. રાજ્યમાં મહિલાઓ પર કેસ કરવામાં આવી રહ્યું છે. વૈશાલી શિંદેને મારવામાં આવી, એ જ તમારું હિન્દુત્વ છે. ચૂંટણી ક્યારેય પણ થઈ શકે છે. ભાજપવાળા જાહેર કરે, શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડશો? તમે ચોરેલું ધનુષ-બાણ લઈને આવો, હું પોતાનું નામ અને મશાલ લઈને આવીશ. જોઈએ મહારાષ્ટ્ર કોને વોટ આપે છે. અત્યારે ચૂંટણી કરાવી લો. અમારી પૂરી તૈયારી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.