હજુ મહારાષ્ટ્રમાં કંઈ થવાનું બાકી છે કે? ઉદ્ધવ ઠાકરેના 8 સાંસદો બંધ દરવાજે DyCM શિંદેને મળ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. એવી અટકળો ચાલી રહી છે કે કંઈક નવું અને મોટું થવાનું છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે જૂથના 8 સાંસદોએ મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. રાજકીય વર્તુળોમાં આ વાતની વ્યાપક ચર્ચા થઈ રહી છે. જોકે, અરવિંદ સાવંત અને ઓમપ્રકાશ રાજે નિમ્બાલકરે જણાવ્યું છે કે, આવી કોઈ બેઠક થઈ નથી. ઉદ્ધવ જૂથના કુલ 9 સાંસદો એમ જ છે.

IMF1
iasgyan.in

આ મુદ્દા પર પૂછવામાં આવતા, ઉદ્ધવ ઠાકરેના જૂથના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને તેમાં કોઈપણ જાતની જરા પણ સચ્ચાઈ નથી. ઓપરેશન ટાઇગર પર કટાક્ષ કરતા રાઉતે જવાબ આપ્યો કે, ઓપરેશન એક વાર થાય છે, પછી ભલે તે એક વાર થાય કે ન થાય. શરીર પર વારંવાર ઓપરેશન કરવું એ શબ પર ઓપરેશન કરવા જેવું છે. CM દેવેન્દ્ર ફડણવીસે પોતાની પાર્ટીના શબ પર ઓપરેશન કર્યું છે. હાલમાં જે ઓપરેશન ચાલી રહ્યું છે તે, CM ફડણવીસ દ્વારા DyCM શિંદેની પાર્ટી માટે કરવામાં આવી રહ્યું છે, અને કાલે મારું નામ પણ તેમાં સામેલ કરવામાં આવશે.

Uddhav-Thackeray-DyCM-Eknath-Shinde3
tv9hindi.com

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિવસેનાના 9 સાંસદો એકસાથે છે. યાદીમાંના કેટલાક નામ વાંચીને મને હસવું આવ્યું. કોઈએ મને તે યાદી મોકલાવી હતી, તે જોઈને મને ખુબ હસવું આવ્યું અને તે મુર્ખામીભર્યું છે. જેણે પણ આની જાણ કરી છે, તેણે એવું કર્યું છે કે હસવું આવી જાય. કાલે, તેઓ એની અંદર મારું નામ પણ સામેલ કરશે. તેઓ તેમાં અમારા આદિત્ય સાહેબનું નામ પણ સામેલ કરશે. આવા સમાચાર વાતાવરણ ગરમ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે, જેથી બતાવી શકાય કે, અમે કંઈક કરી રહ્યા છીએ.

Uddhav-Thackeray2
livehindustan.com

તેમણે વધુમાં કહ્યું કે, જો CM ફડણવીસ રાષ્ટ્રીય રાજકારણમાં મોટી છલાંગ લગાવવા માંગે છે, તો તેમણે આ સંકુચિત માનસિકતા છોડી દેવી જોઈએ. હું દરેકનો પક્ષ લઉં છું, હું લોકશાહીમાં માનું છું. તેથી, તેમણે એવું વલણ અપનાવવું જોઈએ કે તેઓ વિપક્ષી ધારાસભ્યો અને સાંસદોને સમાન ન્યાય આપશે, તો જ તેઓ મોટી છલાંગ લગાવી શકશે. નહીં તો, CM ફડણવીસ મહારાષ્ટ્રમાં ફક્ત ત્યાં સુધી જ રહેશે, જ્યાં સુધી PM નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તામાં રહેશે.

જે 8 સાંસદો DyCM શિંદેને મળ્યાની વાત સામે આવી છે તેમાં, અરવિંદ સાવંત, સંજય પાટિલ, સંજય દેશમુખ, નાગેશ પાટિલ, રાજારામ વાકચુરે, ઓમ રાજેનિમ્બાલકર, રાજાભાઉ વાઝે, સંજય જાધવનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

લગ્ન કરવાની ના પાડી તો પુરુષે HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું; મહિલાએ ટૂંકાવ્યું જીવન

હૈદરાબાદમાં 24 વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવી લીધું છે. ગયા મહિને લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ એક પુરુષે તેને HIV પોઝિટિવ...
National 
લગ્ન કરવાની ના પાડી તો પુરુષે HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું; મહિલાએ ટૂંકાવ્યું જીવન

હજુ મહારાષ્ટ્રમાં કંઈ થવાનું બાકી છે કે? ઉદ્ધવ ઠાકરેના 8 સાંસદો બંધ દરવાજે DyCM શિંદેને મળ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. એવી અટકળો ચાલી રહી છે કે કંઈક નવું અને મોટું થવાનું છે...
National 
હજુ મહારાષ્ટ્રમાં કંઈ થવાનું બાકી છે કે? ઉદ્ધવ ઠાકરેના 8 સાંસદો બંધ દરવાજે DyCM શિંદેને મળ્યા

મોટોરોલા અને નથિંગના ફોનના ભાવમાં વધારો! હવે સ્માર્ટફોન ખરીદવાનો ખર્ચ વધી જશે

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં ફરી એકવાર મોબાઇલ ફોન...
Tech and Auto 
મોટોરોલા અને નથિંગના ફોનના ભાવમાં વધારો! હવે સ્માર્ટફોન ખરીદવાનો ખર્ચ વધી જશે

આ લોકો અમદાવાદ ફ્લાઈટ પકડીને IPL મેચ જોવા નહીં, પણ મોબાઈલ ફોન ચોરવા આવતા

અમદાવાદમાં પોલીસે IPL મેચ દરમિયાન ભીડનો લાભ લઈને મોબાઇલ ફોન ચોરી કરનારી એક હાઇટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ...
Gujarat 
આ લોકો અમદાવાદ ફ્લાઈટ પકડીને IPL મેચ જોવા નહીં, પણ મોબાઈલ ફોન ચોરવા આવતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.