5 વર્ષ સુધી પિતા-પુત્રી કેદ રહ્યા, પિતાએ ગુમાવ્યો જીવ; પુત્રી તો...

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં એક નિવૃત્ત રેલવે કર્મચારી અને તેની માનસિક રીતે વિકલાંગ પુત્રીને 5 વર્ષ સુધી તેમના ઘરમાં કેદ રાખવામાં આવ્યા. આ અમાનવીય વર્તનના પરિણામે શખ્સે જીવ ગુમાવવો પડ્યો, જ્યારે તેની પુત્રીની સ્થિતિ એટલી બગડી ગઈ કે તે માત્ર હાડપિંજર બનીને રહી ગઈ છે.

પીડિત ઓમ પ્રકાશ સિંહ રાઠોડ (70 વર્ષ) ભારતીય રેલવેમાં સીનિયર ક્લાર્ક પદ પરથી નિવૃત્ત થયો હતો. વર્ષ 2016માં તેની પત્નીના અવસાન બાદ ઓમ પ્રકાશ તેની 27 વર્ષીય માનસિક રીતે વિકલાંગ પુત્રી, રશ્મિ સાથે એક અલગ ઘરમાં રહેવા લાગ્યો. ઘરકામમાં મદદ કરવા માટે, પરિવારે રામ પ્રકાશ કુશવાહ અને તેની પત્ની રામ દેવીને રાખી લીધા. NDTVના અહેવાલ મુજબ, ઓમ પ્રકાશના ભાઈ, અમર સિંહે જણાવ્યું કે રામ પ્રકાશ અને રામ દેવીએ ધીમે-ધીમે તેમના ઘર પર પૂરી રીતે નિયંત્રણ મેળવી લીધો.

daughter-father2
indiatv.in

અમર સિંહે આરોપ લગાવ્યો કે સંભાળ રાખનારાઓએ ઓમ પ્રકાશ અને રશ્મિને ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં બંધ કરી દીધા. જ્યારે તેઓ પોતે ઉપરના માળે રહેતા હતા, સમય સાથે પિતા અને પુત્રીને ખોરાક, દવા અને મૂળભૂત માનવીય સન્માનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે, ‘જ્યારે પણ કોઈ સંબંધી મળવા આવતા, ત્યારે નોકર તેમને બહાના બતાવીને પાછા મોકલી દેતો હતો અને કહેતો હતો કે, ઓમ પ્રકાશ કોઈને મળવા માંગતો નથી.

સોમવાર, 29 ડિસેમ્બરના રોજ આ મામલો એ સમયે સામે આવ્યો, જ્યારે પરિવારને ઓમ પ્રકાશના અવસાનની જાણ કરવામાં આવી. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઓમ પ્રકાશનું શરીર અત્યંત નબળું દેખાઇ રહ્યું હતું. રશ્મિ એક અંધારાવાળા ઓરડામાં નગ્ન અવસ્થામાં અને બેભાન હાલતમાં મળી આવી હતી.

ઓમ પ્રકાશના સંબંધી પુષ્પા સિંહ રાઠોડે કહ્યું કે, ‘તેના શરીર પર કોઈ માંસ બચ્યું નહતું; ફક્ત એક હાડપિંજર રહી ગયું હતું. પરિવારજનો ઓમ પ્રકાશને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પરિવાર હાલમાં રશ્મિની સંભાળ રાખી રહ્યો છે. સંબંધીઓએ દોષિત નોકર દંપતી સામે શક્ય તેટલી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.