પતંજલિની આ પ્રોડ્કટમાં નોન વેજના ઉપયોગનો આરોપ, વકીલે નોટિસ આપીને જવાબ માગ્યો

મલ્ટીનેશનલ કંપની પતંજલિને પોતાની ડેન્ટલ કેર પ્રોડક્ટમાં નોન વેજિટેરિયન પદાર્થના ઉપયોગ કરવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની પોતાની ‘દિવ્ય  દંત મંજન’માં કટલ ફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે.

નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નોન વેજ પદાર્થનો ઉપયોગ કરવા છતા કંપની તેના પ્રોડક્ટ પર ગ્રીન યાની વેજીટેરિયન લેબલ લગાવે છે.પતંજલિને આ લીગલ નોટિસ એડવોકેટ શાશા જૈને મોકલી છે. આ નોટિસમાં 15 દિવસની અંદર સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે.

ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં શાશાએ 'દિવ્ય દંત મંજન'નો ફોટો અને તેમાં વપરાતી સામગ્રી પણ શેર કરી છે. શાશાએ કહ્યું, તેનાથી અમારા સમુદાય અને અન્ય શાકાહારી સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

શાશા જૈને જણાવ્યું હતું કે દિવ્ય દંત મંજનમાં માંસાહારી ઇન્ગ્રીડન્ટ સી ફોમનો ઉપયોગ અને તેનું શાકાહારી ઉત્પાદન તરીકે વેચાણ અને વેચાણ ગ્રાહક અધિકારો અને લેબલિંગ નિયમોનું ઉલ્લંઘન છે. શાશાએ કહ્યું, હું જાતે તમારી કંપનીના ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરું છું, પરંતુ હવે હું પતંજલિ ઉત્પાદનોનો ઉપયોગ કરીને અસહજતા અનુભવું છું.

સમુદ્ધ ફેન  કટલ ફિશમાંથી મળતું એક એનિમલ પ્રોડક્ટ છે. માછલીના મર્યા પછી તેના હાડકાં સમુદ્ધના પાણીમાં તરવા લાગે છે. જ્યારે પાણીની સપાટી પર મોટી સંખ્યામાં હાડકાં તરતા હોય ત્યારે દુરથી એ ફીણ જેવું લાગે છે. આમાં 80 ટકા કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, ઉપરાંત એમાં ફોસ્ફેટ, સિલિકા અને સલ્ફેટ જેવા અન્ય તત્વો પણ હોય છે.

પતંજલિની વેબસાઇટમાં જણાવ્યા મુજબ દિવ્ય દંત મંજન એ પેઢા તેમજ દાંત માટે સૌથી શક્તિશાળી ઔષધીય ઉત્પાદન છે. આ ટૂથ પાડરના ઉપયોગથી પેઢા મજબૂત થાય છે અને તેના કારણે દાંતની પાયોરિયા જેવી સમસ્યા દુર થાય છે.

ગયા વર્ષે ઉત્તરાખંડમાં આયુર્વેદિક અને યુનાની સેવાની અધિકારીઓઅ પતંજલિને 5 દવાઓના ઉત્પાદન પર રોક લગાવવા કહ્યું હતું. પતંજલિની દવા સામે ફરિયાદ નોંધાયા બાદ આ વિવાદ શરૂ થયો હતો. પતંજલિની જે 5 દવાઓનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું તેમાં દિવ્ય મધુગ્રિત,દિવ્ય આઇગ્રિટ, દિવ્ય થાયરોગ્રિટ,દિવ્ય બીપી ગ્રિટ અને દિવ્ય લિપિડોમનો સમાવેશ થાય છે. પતંજલિએ તે વખતે કહ્યુ હતુ કે આમા આયુર્વેદિક માફિયાઓનો હાથ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.