ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- જ્યાં સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી..

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હમેંશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, ચમત્કારની વાત હોય, હિંદુ રાષ્ટ્રની વાત હોય ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં રહેતા હોય છે. હવે તેમણે કર્ણાટકના લોકો માટે એક નિવેદન આપ્યું છે જેને કારણે ભારે ચર્ચા ઉભી થઇ છે. પોતાને બાગેશ્વર સરકાર તરીકે ઓળખાવતા ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસો પહેલા ગુજરાતની 10 દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ઓડિશાના ટ્રેન અકસ્માત વિશે પોતાને ખબર હોવાની વાત કહી એ વાતનો પણ ભારે વિવાદ ઉભો થયો હતો.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના નિવેદનોને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. હવે તેમણે કર્ણાટકને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે કર્ણાટકમાં પણ રામ અને હનુમાનના નામની ચર્ચા થશે. જ્યાં સુધી હિન્દુઓ એક નહીં થાય, જયા સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી હું તમને બધાને જગાડતો રહીશ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, અમે કર્ણાટકના લોકોને ભૂત નહીં, પરંતુ ભગવાન પકડાવીશું. અમારા Wi-Fi માં તમામ સિગ્નલો છે. તમે જે સાંભળી શકો તે જ પૂછજો. દુનિયામાં એવું કોઈ નથી કે જેનું કોઇ કાંડ ન હોય. જેઓ કહે છે કે ભગવાન નથી તેમને થપ્પડ મારવા માટે આ સિદ્ધિઓ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન શું છે તેના પર હું પુસ્તક લખી રહ્યો છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે ધર્માતરણ કરાવી રહ્યા છે, તેમને હવે છોડવામાં નહીં આવશે. સનાતનને છોડીને હનુમાનની શક્તિઓનીનો સામનો કરવાની કોઇનામાં તાકાત નથી. તેમને ઉઘાડા પાડી દઇશું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારો એક જ સ્વાર્થ છે ભારત રામમય થઇ જાય.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારી પાર્ટી બજરંગ બલીની પાર્ટી છે. જે સાક્ષીની સાથે થયું તે ફરી બીજા કોઇ સાથે ન થાય તેના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ધર્મના વિરોધી નથી, અમે કટ્ટર સનતાની છીએ. તેમણે કહ્યું કે ઇનકા જલના રહેગા અને હમારા જલવા રહેગા.

કર્ણાટક વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા કર્ણાટકમાં  બજરંગ બલીના પાઠ કરાવ્યા હતા. જો કે આમ છતા ભાજપ કર્ણાટકમાં ચૂંટણી હારી ગયું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.