જ્યારે આતંકવાદીએ મને જોયો અને મેં તેને જોયો, રાહુલે કેમ્બ્રિજમાં કાશ્મીરની...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં UKના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં કેમ્બ્રિજમાં એક સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો એક કિસ્સો પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કાશ્મીરમાં જ્યારે તેમનો એક આતંકવાદીનો સામનો થયો ત્યારે શું થયું? રાહુલે દાવો કર્યો હતો કે સુરક્ષા દળોએ તેમને કાશ્મીરમાં પગપાળા યાત્રા ન કરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં તેમણે આ યાત્રા કાઢી.

રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે હું યાત્રા કરી રહ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે અમને મારી નાંખવામાં  આવશે. તેમ છતાં અમે યાત્રા કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું કે, મારે વાત કરવી છે. સુરક્ષાકર્મીઓએ કહ્યું કે, આવું ન કરો, તમે લોકોને નજીક આવવાનું આમંત્રણ ન આપો. રાહુલે કહ્યું, તો પણ મેં તેને બોલાવ્યો હતો, તે વ્યક્તિ મારી પાસે આવ્યો.

રાહુલે વધુમાં કહ્યું કે, તે વ્યક્તિએ તેમને પૂછ્યું કે, શું તમે ખરેખર અમારી સમસ્યા સાંભળવા આવ્યા છો? મેં કહ્યું, હા. રાહુલે કહ્યું કે, જ્યારે અમે આગળ ચાલી રહ્યા હતા. તે વ્યક્તિએ મને કહ્યું 'ત્યાં જુઓ, તમે તેમને જોઈ રહ્યા છો.' રાહુલે કહ્યું, ક્યાં? તેમણે કહ્યું, 'ત્યાં'. મેં કહ્યું, 'હા'. રાહુલે કહ્યું કે, તે વ્યક્તિએ મને કહ્યું કે તે આતંકવાદી છે. સામાન્ય રીતે આતંકવાદીઓએ મને મારી નાખવો જોઈએ. એવા વાતાવરણમાં હું હતો. હું તેની સામે જોઈ રહ્યો હતો, તે મારી તરફ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે, હું મુશ્કેલીમાં છું. આતંકવાદીએ મને કેમ મારવો જોઈએ? પરંતુ અમે એકબીજાને જોતા હતા. હું તેને જોઉં છું અને કંઈ થતું નથી. અમે આગળ વધીએ છીએ.'

રાહુલે કહ્યું કે, 'આવું કેમ થયું, એટલા માટે નહીં કે તેની પાસે કંઈ કરવાની શક્તિ ન હતી. આવું એટલા માટે થયું, કારણ કે, હું તેને સાંભળવા આવ્યો હતો. હું કોઈ હિંસાના ઈરાદાથી આવ્યો નથી અને ઘણા બધા લોકો તે જોઈ રહ્યા હતા.'

રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયા અને ન્યાયતંત્ર કબજે થઈ ગયું છે. દલિતો અને લઘુમતીઓ, આદિવાસીઓ પર હુમલા થઈ રહ્યા છે. જો કોઈ ટીકા કરે તો તેને ધમકાવવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું કાશ્મીર જઈ રહ્યો હતો ત્યારે સુરક્ષાના લોકો મારી પાસે આવ્યા હતા. તેણે કહ્યું કે, અમારે તમારી સાથે વાત કરવી છે. તેમણે કહ્યું કે, હું કાશ્મીરમાં યાત્રા નહિ કરી શકું. આ ખરાબ વિચાર છે. મારા પર ગ્રેનેડ ફેંકી શકાય છે. પરંતુ મેં તેમને કહ્યું કે, મને મારા પક્ષના લોકો સાથે વાત કરી લેવા દો. મેં તેમને કહ્યું કે, હું યાત્રા કરીશ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.