અમૃતપાલ સિંહનો નજીકનો, કોણ છે ખાલિસ્તાની આતંકી પરમજીત પમ્મા, જાણો આખી કુંડળી

પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે શોધખોળ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન અમૃતપાલના વિદેશમાં બેઠા આતંકીઓ સાથે પણ સંબંધ હોવાની વાત સામે આવી છે. તેમાં ઘણા મુખ્ય નામ સામે આવી રહ્યા છે. એવું જ એક નામ છે પરમજીત પમ્મા. પમ્માનું નામ એક તરફ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલું છે, તો બીજી તરફ તેનો સંબંધ ખાલિસ્તાન ટાઈગર સેના સાથે પણ છે. માત્ર એટલું જ નહીં, પરમજીત પમ્માનું નામ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે.

અમૃતપાલ સાથે કેવી રીતે સંબંધ?

અમૃતપાલ સિંહ સાથે પરમજીત સિંહ પમ્મા કેવી રીતે સંપર્કમાં આવ્યો, પોલીસ એ વાતની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ સિખ યૂથ ફેડરેશનના ચીફ લખબિર સિંહ રોડે સાથે પણ અમૃતપાલ સિંહની લિન્ક છે. જેમ કે કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ દુબઈમાં એક સમયે ટ્રક ચલાવતો હતો. અહી તે પોતાના કાકાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં મદદ કરતો હતો અને તેનો સંપર્ક રોડેના ભાઈ જસવંત સાથે થયો. ત્યારબાદ જ તેની ISI સાથે નજીકતા વધી અને તેણે ધર્મના નામ પર સિખોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું.

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના કાકા અને વાહન ચાલકે જાલંધરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું, જ્યારે અમૃતપાલ સિંહ અત્યારે પણ ફરાર છે. પરમજીત પમ્મા મૂળ રૂપે પંજાબના સાહિબજાદા અજીત સિંહ નગર જિલ્લાનો રહેવાસી છે. તે વર્ષ 1992 સુધી નાના મોટા ગુનામાં સામેલ રહ્યો હતો. અહીં વર્ષ 1994માં તેણે ભારત છોડીને પાકિસ્તાનમાં શરણ લઈ લીધું અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ માટે ફંડ ભેગું કરવા લાગ્યો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ખાલિસ્તાની સંગઠન છે અને તે ભારતમાં પ્રતિબંધિત પણ છે. આ દરમિયાન પંજાબ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ પર મંગળવાર બપોર સુધી બેન લગાવી દીધો છે.

અમૃતપાલ સિંહની તપાસ મંગળવારે ચોથા દિવસે પણ ચાલી રહી છે અને રાજ્યની પોલીસે તેને પકડવા માટે સુરક્ષા વધારી દીધી છે. પંજાબમાં પટિયાલા અને અંબાલા બોમ્બ વિસ્ફોટમાં પમ્માનો હાથ હતો વર્ષ 2009માં રાષ્ટ્રીય સિખ સંગતના પ્રમુખ રૂલ્દા સિંહની હત્યામાં પણ તે સામેલ હતો. તેની વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર થઈ હતી. આ કારણે 18 ડિસેમ્બર 2015ના રોજ પોર્ટુગલમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારત સરકારે પમ્માના પ્રત્યર્પણની માગ કરી હતી. તેને પોર્ટુગલ સરકારે માનવાની ના પાડી દીધી હતી. તેના થોડા સમય બાદ પમ્મા છૂટી ગયો હતો.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.