BMC ચૂંટણીમાં DyCM અજિત પવાર એકલા કેમ? BJP કેમ સાથે નથી લઈ રહ્યું? કાકા સાથે જોડાણની યોજના પણ નિષ્ફળ!

મહારાષ્ટ્રમાં આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે જૂથો વચ્ચે જોડાણની વાટાઘાટો શુક્રવારે ફરી નિષ્ફળ ગઈ. અહેવાલો અનુસાર, DyCM અજિત પવાર અને શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથો વચ્ચે બેઠકોની વહેંચણી પર વાતચીત નિષ્ફળ ગઈ હતી, જેના કારણે શરદ પવાર જૂથ મહા વિકાસ આઘાડી (MVA) તરફ પરત ફર્યું. સૂત્રો કહે છે કે, સૂત્રોના જણાવ્યા અનુસાર પુણેમાં યોજાયેલી બેઠકમાં DyCM અજિત પવાર જૂથે શરદ પવાર જૂથને ફક્ત 35 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો. શરદ પવાર જૂથે આ દરખાસ્તને નકારી કાઢી અને મિટિંગમાંથી ઉઠીને બહાર નીકળી ગયા. ત્યારપછી, શરદ પવાર જૂથે ઉદ્ધવ ઠાકરેના શિવસેના (UBT) અને કોંગ્રેસ સાથે જોડાણની વાટાઘાટો શરૂ કરી દીધી. પુણેની એક હોટલમાં યોજાયેલી આ બેઠકમાં શરદ પવાર જૂથ તરફથી બાપુસાહેબ પથારે અને અંકુશ કાકડે, કોંગ્રેસ તરફથી અરવિંદ શિંદે અને રમેશ બાગવે અને શિવસેના (ઉદ્ધવ જૂથ) તરફથી વસંત મોરે હાજર રહ્યા હતા.

CM-Fadanvis-DyCM-Ajit-Pawar1
ndtv.in

અહીં તમને જણાવી દઈએ કે, DyCM અજિત પવાર અને શરદ પવાર વચ્ચેના સંબંધો ત્રણ વર્ષ પહેલાં ત્યારે બગડ્યા હતા જ્યારે DyCM અજિત પવાર તેમના કાકા શરદ પવારને છોડીને BJPની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાયા હતા. હવે, બંને પવારો પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ સાથે લડવા માટે તૈયાર હતા, પરંતુ બેઠકોની વહેંચણી અંગેના મતભેદોને કારણે આ ગઠબંધન શક્ય બન્યું ન હતું. DyCM અજિત પવાર અને શરદ પવાર વચ્ચેના આ મતભેદો પાર્ટીમાં અને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી રહ્યા છે. આ ચૂંટણીઓમાં શરદ પવાર જૂથનું પુનરાગમન મહા વિકાસ આઘાડી (MVA)ની સ્થિતિને મજબૂત બનાવી શકે છે, જેણે અગાઉ શિવસેના (ઉદ્ધવ જૂથ) અને કોંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડવાનું વિચાર્યું હતું.

DyCM-Ajit-Pawar2
ndtv.in

આ દરમિયાન, NCP (શરદ પવાર)ના વરિષ્ઠ નેતા જયંત પાટીલે BMC ચૂંટણીઓ અંગે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી. આ બેઠક બાંદ્રાના 'માતોશ્રી' ખાતે થઈ હતી, જ્યાં બંને પક્ષો વચ્ચે સંભવિત ગઠબંધનની ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે (MNS) દ્વારા તેમના ગઠબંધનની જાહેરાત કર્યાના બે દિવસ પછી આ બેઠક આવી હતી. જેમ જેમ નામાંકનની સમયમર્યાદા નજીક આવી રહી છે, તેમ તેમ તમામ પક્ષો વચ્ચે ગઠબંધનના પ્રયાસો તેજ બન્યા છે.

આ દરમિયાન, શાસક મહાયુતિ ગઠબંધનમાં, બેઠકોની વહેંચણી અંગે અવરોધ ઉભો થઇ રહ્યો છે. શિવસેના (શિંદે જૂથ) અને BJP વચ્ચે 17 બેઠકો પર કોઈ સમજૂતી થઈ નથી, જોકે CM દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકમાં 210 બેઠકો પર સમજૂતી થઈ છે. અહીં તમને જણાવી દઈએ કે, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની 165 બેઠકો માટે ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે, જે રાજ્યના રાજકારણમાં એક વળાંક લાવી શકે છે.

Sharad-Pawar-DyCM-Ajit-Pawar
ndtv.in

BJPBMC ચૂંટણીમાં DyCM અજિત પવારને શા માટે સામેલ ન કર્યા તે અંગે રાજકીય ચર્ચા તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BJPDyCM અજિત પવાર સાથે સત્તાવાર રીતે જોડાણ શરૂ કર્યું નથી, તેમ છતાં DyCM અજિત પવારની આગેવાની હેઠળના તેમના પક્ષ, NCPના ઘણા વરિષ્ઠ નેતાઓ BJP સાથે વાતચીત કરી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, DyCM અજિત પવાર અને તેમના જૂથ તાજેતરના સમયમાં BJPની નજીક આવ્યા છે, પરંતુ, BJPBMC ચૂંટણીમાં તેમના અને તેમના પક્ષ પર સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સૂત્રો કહે છે કે, BMC ચૂંટણીમાં, BJPએ નિર્ણય લીધો છે કે, જોડાણો પર આધાર રાખવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.