અતીક-અશરફની હત્યાનો બદલો લઇશું, આતંકી સંગઠન અલ-કાયદાની ધમકી

અતીક અને અશરફ હત્યા કેસમાં મોટી આતંકી ધમકી મળી છે. અલ-કાયદાએ અતીકની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠન અલ-કાયદાએ સાત પાનાનું મેગેઝિન બહાર પાડીને કહ્યું કે તેઓ બંને ભાઇઓના હત્યાકાંડનો બદલો લેશે.

માફિયા અતીક અહમદ અને તેના ભાઇ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરી દેવામાં આવી હતી. એના બે દિવસ પહેલા જ અતીક અહમદના પુત્ર અસદને ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. અતીક હજુ તો પુત્રને ગુમાવવાના ગમમાં હતો અને 15 એપ્રિલે જ્યારે તેને અને તેના ભાઇ અશરફને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે મીડિયને બાઇટ આપવા માટે બંને ભાઇઓ રોકાયા હતા અને તે સમયે અતીક અને અશરફનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. હત્યારાઓએ જયશ્રી રામના નારા લગાવીને પોલીસને સરેન્ડર કરી દીધું હતું.

અતીક- અશરફના હત્યારા અરૂણ મોર્ય, સની સિંહ અને લવલેશ તિવારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ હત્યારાઓએ પોલીસ અને મીડિયાની હાજરીમાં પત્રકાર બનીને પહોંચ્યા હતા અ 18 રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું. જેમાંથી 8 ગોળી અતીકને વાગી હતી. હજુ હત્યાકાંડની તપાસ ચાલી રહી છે.

પટનામાં શુક્રવારની નમાજ બાદ અતીક અહેમદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશમાં અતીક અહેમદની હત્યા બાદ આ ઘટનાએ રાજકીય રંગ લીધો છે. કેટલાક તેને ષડયંત્ર કહી રહ્યા છે તો કેટલાક આ હત્યાકાંડને હિંદુ-મુસ્લિમ એંગલ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અલકાયદાની ધમકીએ આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે.

ઇદ પહેલા પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ એવી કોશિશ કરી રહી છે કે અતીકની ગેંગના માણસો જલ્દી પોલીસની પકડમાં આવી જાય.. જેથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ વિક્ષેપ ન ઉભો થાય.

જો કે અતીક- અશરફની હત્યા પછી તપાસમાં જોડાયેલી પોલીસની ટીમોએ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. અતીક ગેંગના પંટરોના લગભગ 800 ફોન અચાનક બંધ થઇ ગયા છે. આ બધા નંબરો પોલીસે સર્વેલન્સ પર મુક્યા હતા. બંધ થયેલા મોબાઇલ નંબરોની ડિટેલ કઢાવવામાં આવી રહી છે.

આ વચ્ચે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીક અહમદના પુત્ર અસદના મોબાઇલની ચેટ પરથી એક મોટો ખુલાસો થયો છે. અસદ અને તેમના વકીલની એક ચેટ પોલીસના હાથમાં આવી છે. અતીકના પરિવારના વકીલ  સૌલક હનીફે ઉમેશ પાલની હત્યાના 5 દિવસ પહેલા અસદને ઉમેશ પાલનો ફોટો મોકલ્યો હતો. હવે પોલીસ આ વાતની પણ તપાસ કરી રહી છે. હત્યાકાંડ સાથે જોડાયેલી તમામ કડીઓને પોલીસ જોડી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.