ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો નિર્ણય, 6 મહિના માટે હડતાળ પર પ્રતિબંધ, આ છે કારણ

પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય સરકાર હેઠળના સત્તાવાળાઓને લાગુ પડશે.

એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. દેવેશ ચતુર્વેદીએ આ સંદર્ભે એક સૂચના બહાર પાડી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે Essential Services Maintenance Act (ESMA )એક્ટ લાગુ થયા બાદ પણ જો કોઈ કર્મચારી હડતાળ પર જતા કે વિરોધ કરતા જોવા મળશે તો હડતાળ કરનારાઓની એક્ટના ઉલ્લંઘન બદલ વોરંટ વગર ધરપકડ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકાર પહેલા પણ આવો જ નિર્ણય લઇ ચૂકી છે.રાજ્ય સરકારે 2023માં છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ESMA એક્ટ લાગુ કરીને હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જ્યારે કર્મચારીઓ હડતાળ પર જાય છે ત્યારે ESMA એટલે કે Essential Services Maintenance Act ઉપયોગ કરવામાં આવે છે. આ કાયદાનો ઉપયોગ હડતાલ રોકવા માટે થાય છે. ખાસ વાત એ છે કે આ કાયદો વધુમાં વધુ છ મહિના માટે લાગુ કરી શકાય છે.

MSP પર કાયદેસર ગેરંટીની માંગ અને બીજી ઘણી માંગણીઓ સાથે સાથે ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે. ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો માર્ચનું આહ્વાન કર્યું હતું. પરંતુ પોલીસે ખેડૂતોને પંજાબ અને હરિયાણા બોર્ડર પર રોક્યા છે.

આ પહેલા કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને દેશમાં એક વર્ષથી વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન 26 નવેમ્બર 2020થી શરૂ થયું હતું. તે સમયે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હીની સરહદો પર અડીંગો જમાવ્યો હતો.

ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પર અડગ હતા. ગયા વર્ષે, 19 નવેમ્બર, 2021 ના રોજ, એક વર્ષ લાંબા આંદોલન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ ત્રણ કાયદા હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

ત્રણેય કાયદા પરત ખેંચાયા બાદ ખેડૂતોએ આંદોલન છેડવાની પણ જાહેરાત કરી હતી. જો કે, સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે તેમની વધુ માંગણીઓ છે અને જો તે સંતોષવામાં નહીં આવે તો તેઓ ફરીથી આંદોલન કરશે.

About The Author

Related Posts

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.