નવા વર્ષમાં ક્યારે અને કેટલી વાર થશે સૂર્ય-ચંદ્ર પર ગ્રહણ? ભારત પર શું થશે અસર

જ્યોતિષ, ધાર્મિક તેમજ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચંદ્ર અને સૂર્યગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2023 શરૂ થવા જઈ રહ્યુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે થાય છે. માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમ્યાન કોઈપણ  શુભ કાર્ય કરવું જોઈએ નહીં. કારણ કે તે સમયે સૂતક કાળ રહે છે.તો વર્ષમાં આવતા ચંદ્ર અને સૂર્યગ્રહણ વિશે અમે તમને જાણકારી આપીશું. તો ચાલો તમને જણાવીએ કે આ ગ્રહણ ક્યાંરે થશે, ક્યાં દેખાશે અને ભારતમાં ક્યારે સુતક કાળ શરૂ થશે?

વર્ષ 2023એ દસ્તક દીધી છે. રવિવારથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. 2022ની જેમ નવા વર્ષમાં પણ ઘણા ગ્રહણ થશે, જેની અસર આખી દુનિયા પર જોવા મળશે. આ વર્ષે બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થવાના છે. જ્યોતિષ, ધાર્મિક તેમજ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએથી ચંદ્ર અને સૂર્યગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ ગ્રહણ ક્યાં દેખાશે અને ભારતમાં ક્યારે સુતક કાળ શરૂ થશે?

નવા વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થશે. પંચાંગ મુજબ સવારે 7:04 થી 12.29 સુધી ચાલશે. વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023 એટલે કે શનિવારે થશે.

પંચાંગ અનુસાર, વર્ષ 2023ના બંને સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી, બંનેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. 14 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકા અને આર્કટિકમાં જોવા મળશે.

નવા વર્ષમાં પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે, 2023 ના રોજ થશે, જે રાત્રે 00:45 વાગ્યે શરૂ થશે અને રાત્રે 1:00 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે બીજું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 01.06 થી 02.22 સુધી ચાલશે. આ બંને ગ્રહણ ભારતમાં જોવા મળશે. એટલે સુતક સમય લાગશે.

વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણપૂર્વ યુરોપ, હિંદૂ અને પ્રશાંત મહાસાગર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.