ગુજરાતના આ શહેરની 400 શાળામાં નહીં અપાય નવરાત્રી વેકેશન

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન શાળાઓમાં વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે સરકારના નિર્ણયના વિરોધમાં ખાનગી શાળાના સંચાલકો આવ્યા છે. સુરતની અલગ અલગ શાળાના સંચાલકો દ્વારા સરકારને શાળામાં નવરાત્રી વેકેશન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવશે. જો કે આ અગાઉ પણ અમદાવાદ અને વડોદરામાં ઇંગ્લીશ મીડિયમ શાળાના સંચાલકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નવરાત્રીમાં શાળામાં વેકેશન નહીં રાખવા અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે શાળાઓમાં નવરાત્રી વેકેશનની વાત કરવામાં આવી હતી. ત્યારે સૌ પ્રથમ સુરતની ખાનગી શાળાઓ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને વેકેશન ન રાખવા માટે યોગ્ય દલીલો પણ સરકાર સામે સુરતની શાળાઓના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શાળાના સંચાલકોની વાતનો અસ્વીકાર કરીને સરકાર દ્વારા ખાનગીઓ શાળાઓમાં વેકેશન જાહેર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

આ બાબતે સુરતની ખાનગી શાળાના સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ સવજીભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુરતમાં શાળાના નવરાત્રી વેકેશન ન આપવાના મુખ્ય બે પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે, સેમેસ્ટર સીસ્ટમ હોવાના કારણે આ વેકેશનની અસર બાળકોના અભ્યાસ પર પડે છે. બાળકોના હિતને ધ્યાનમાં લઈ સરકાર આ બાબતે વિચારણા કરે એ બાબતે સરકાર સામે અમારી પહેલાથી જ રજૂઆત રહી છે. અમારી બીજી વાત એ છે કે, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોઈ પણ શિક્ષક કે આચાર્ય મંડળ સાથે સરકારે વિચારણા કરી નથી. મહત્ત્વની વાત તો એ કહી શકાય કે, 10 તારીખથી 19 તારીખ સુધી નવરાત્રી વેકશન છે અને 20 તારીખે બાળકોને સીધું પરીક્ષા આપવા માટે શાળાએ આવવાનું છે. બાળક શાળામાં 9 દિવસ અભ્યાસથી વંચિત રહે અને પછી સીધી પરીક્ષા આપવા માટે આવે તો બાળકનું પરિણામ નબળું આવી શકે છે. નબળું પરિણામ આવવાના કારણે બાળકના મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.