ખબર છે ભાજપે અને કોંગ્રેસે 2016-17ના વર્ષમાં કેટલી આવક કરી?

વર્ષ 2016-17 દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આવક અને ખર્ચ જાહેર કર્યા છે. ભાજપે 99 દિવસ અને કોંગ્રેસે 138 દિવસ મોડા અહેવાલો આપ્યા છે. આ સમય દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન હતી તેથી તેનો હિસાબ બાકી છે. જ્યારે પણ ગુજરાતની ચૂંટણી ખર્ચના હિસાબ જાહેર કરાશે ત્યારે ભારે મોટી આવક ભાજપની હશે. કોંગ્રેસને ઓછું ફંડ મળ્યું હતું. જોકે, ગુજરાતની વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં દરેક બેઠક દીઠ રૂ. 5 કરોડનું ઓછાંમાં ઓછું ખર્ચ ઉમેદવારોએ કર્યું હતું પણ તે કાળું નાણું હોવાથી તે ક્યારેય જાહેર નહીં થાય. જેમાં ભાજપના ઉમેદવારોએ બેફામ આવક મેળવી હતી. પક્ષો દ્વારા થયેલાં ખર્ચ અંગે તો કાળું નાણું વ્યાપક રીતે મેળવાયું અને ખર્ચ પણ કર્યો હતો. ઉમેદવારો પાસેથી જ પક્ષોએ કરોડો રૂપિયા મેળવ્યા હતા.

નાણાકીય વર્ષ 2016-2017 માટે ભાજપ અને કોંગ્રેસના કુલ આવક અને ખર્ચ:

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સમગ્ર દેશમાંથી 7 રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, BSP, NCP, CPM, CPI અને AITC) એ રૂ.1,559.17 કરોડની આવક જાહેર કરી છે. જ્યારે આ 7 રાષ્ટ્રીય પક્ષોએ રૂ.1,228.26 કરોડનો કુલ ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું છે.

ભાજપે રૂ. 710 કરોડનો ખર્ચ કર્યો:

ભાજપે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 710.057 કરોડનો સૌથી વધું ખર્ચ જાહેર કર્યો હતો, જ્યારે કોંગ્રેસનો કુલ રૂ. 321.66 કરોડનો કુલ ખર્ચ થયો હતો. જે કુલ આવક કરતાં રૂ. 96.30 કરોડ વધારે છે.

2015-16 અને 2016-17ની આવકની સરખામણી:

2015-16 અને 2016-17 વચ્ચે ભાજપે 81.18 ટકા વધારે આવક કરી છે. જે 57.86 કરોડ હતું જે વધીને રૂ.1,034 કરોડ આવક વધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 14 ટકા ઓછી આવક મેળવાઈ છે. જે રૂ. 261.56 કરોડથી ઘટીને રૂ. 225.36 કરોડ આવક થઈ છે.

2016-17માં ભાજપે રૂ. 997.12 કરોડની આવક દાન દ્વારા મેળવી છે. તે જ રીતે કોંગ્રેસ દ્વારા રૂ. 50.62 કરોડ દાન દ્વારા મેળવેલાં છે. જે કૂલ આવકના 96.41 ટકા આવક છે. જ્યારે કોંગ્રેસે કુપન ઇસ્યુ કરીને રૂ. 115.64 કરોડની આવક મેળવી છે. જે કુલ આવકના 51.32 ટકા થવા જાય છે.

ખર્ચ:

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભાજપ માટે મહત્તમ ખર્ચ રૂ. 606.64 કરોડની સરખામણીએ ચૂંટણી કે સામાન્ય પ્રચાર પર હતો, ત્યારબાદ વહીવટી ખર્ચ રૂ. 69.78 કરોડ હતો.

કોંગ્રેસનો ચૂંટણી પાછળ રૂ. 149.65 કરોડનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ વહીવટી અને સામાન્ય ખર્ચ રૂ. 115.65 કરોડનો ખર્ચ કર્યો હતો.

નાણાકીય વર્ષ 2016-17 માટે સ્વૈચ્છિક યોગદાનથી 7 રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ આવક 74.98% (1,169.07 કરોડ) આવક મેળવી છે.

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન, રાષ્ટ્રીય પક્ષોએ બેંકો અને FDના વ્યાજમાંથી રૂ. 128.60 કરોડની આવક મેળવી છે.

7.98% અથવા રૂ. 124.46 કરોડ, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા કૂપન્સને લગતા આવક મારફતે આવક પેદા કરી હતી.

અવલોકન:

સાતમાંથી ચાર રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, NCP અને CPI) છેલ્લા પાંચ વર્ષથી તેમના ઓડિટ અહેવાલોને રજૂ કરવામાં મોડું કરે છે. ટોચના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ, લગભગ 6 મહિનાની સરેરાશથી તેમના ઓડિટ રિપોર્ટ્સને રજૂ કરવામાં વિલંબ કર્યો છે.

એ જોવામાં આવ્યું છે કે 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં 51% નો વધારો થયો છે, બીજા શબ્દોમાં રૂ. 525.99 કરોડ નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક રૂ. 1,033.18 કરોડ વધીને નાણાકીય વર્ષ 2016-17માં રૂ. 1,559.17 કરોડ થઈ છે.

નાણાકીય વર્ષ 2016-17 માટે સ્વૈચ્છિક યોગદાનથી 7 રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ 74.98% (રૂ.1,169.07 કરોડ) આવક મેળવી છે. તેનાથી વિપરીત, પક્ષોએ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન સ્વૈચ્છિક યોગદાનથી 60% (રૂ. 616.05 કરોડ) આવક મેળવી હતી.

ADRની ભલામણ:

દેશની સર્વોચ્ચ અદાલતે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ નિર્ણય જાહેર કર્યો હતો કે ઉમેદવારની એફિડેવિટનો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં. તેથી ભલામણ કરીએ છીએ કે ચૂંટણી પંચ રાજકીય પક્ષો દ્વારા રૂ. 20,000 થી વધુ દાનની વિગતો પૂરી પાડતા ફોર્મ 24નો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં.

RTI હેઠળ જાહેર ચકાસણી માટે પક્ષોને દાન આપતાં બધા દાતાઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. કેટલાક દેશ આવું કરે છે, તેમાં ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનનો સમાવેશ થાય છે. ભંડોળના સ્ત્રોતમાંથી 75% સુધી અજ્ઞાત દાતા હોવાની વાત કોઈ દેશમાં છુપાવવામાં આવતી નથી.

ફાઇનાન્સ બિલ, 2017 અનુસાર, આઇટી એક્ટની કલમ 13-એ જણાવે છે કે કર મુક્તિ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને આપવામાં આવશે. આવકવેરા વિભાગ વળતર આપે છે. જે પક્ષો અહેવાલોના ઓડિટિંગ માટે માર્ગદર્શિકાને અનુસરતા નથી તે પક્ષોને આવક વેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે.

રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ તેમની નાણાકીય માહિતી પૂરી પાડવી જોઈએ. આ ફક્ત રાજકીય પક્ષો, ચૂંટણીઓ અને લોકશાહીને મજબૂત કરશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.