મહારાષ્ટ્ર માટે અટલ બિહારી વાજપેયીએ 46 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી

‘અંધારું ઓછું થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે...’, 46 વર્ષ અગાઉ અરબ સાગરના કિનારે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રથમ સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી ભવિષ્યવાણી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં સાચી પડતી દેખાય રહી છે. સતત ત્રીજા કાર્યકાળ માટે મોદી સરકાર, 20 રાજ્યોમાં NDA સરકાર અને હવે મહારાષ્ટ્રમાં ભાજપની ઐતિહાસિક જીતે તેને વધુ મજબૂત બનાવી દીધી છે.

આ પરિણામો સ્પષ્ટ સંકેત આપે છે કે દેશમાં ભાજપનો જનાધાર મજબૂત થયો છે. કેરળમાં તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કમળ ખીલ્યા બાદ, ભાજપે હવે મહારાષ્ટ્રમાં પણ ઇતિહાસ રચી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે જનતાનો વિશ્વાસ પંચાયતોથી લઈને સંસદ સુધી ભાજપ સાથે છે. મહારાષ્ટ્રમાં આ જ વિશ્વાસનો એક નવો અને મોટો ભાગ ઉભરી સામે આવ્યો છે. ત્યારે સ્વર્ગસ્થ વાજપેયીએ કહ્યું હતું કે, ‘ભારતના પશ્ચિમ ઘાટને શણગારતા સમુદ્રને કિનારે ઉભા રહીને, હું એવી ભવિષ્યવાણી કરવાનું સાહસ કરું છું કે અંધકાર દૂર થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે...

BMC2
x.com/IndiaToday

ભાજપ ગઠબંધન રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 25 પર જીત મેળવી છે. સૌથી મોટી જીત બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં મળી છે, જે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન છે. દાયકાઓથી ઠાકરે પરિવારનો અદમ્ય ગઢ માનવામાં આવતી BMCમાં ભાજપ પહેલી વખત સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને હવે મુંબઈમાં ભાજપનો મેયર બનશે તે નિશ્ચિત છે. નાગપુરથી પુણે, નાસિકથી સોલાપુર સુધી, ભાજપ ગઠબંધન જીતી ગયું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને રેકોર્ડબ્રેક જનાદેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જનતાના વિશ્વાસની જીત છે, જેમણે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વિકાસની નવી ભાષા બનાવી છે.

ભાજપ હવે ગામડાઓથી લઈને શહેરો સુધી સ્થાનિક ચૂંટણીઓમાં મહારાષ્ટ્રમાં મુખ્ય પાર્ટી બની ગઈ છે. હકીકતમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ મહારાષ્ટ્રના સ્થાનિક વિસ્તારોમાં પણ વોકલ છે, કારણ કે ભાજપે એકસાથે મુખ્ય રાજકીય પરિવારોના ગઢને ધ્વસ્ત કરી નાખ્યા છે. સહકારીથી સરકાર સુધીના સૂત્ર પર ચાલતા પવાર પરિવાર એક થઈને પણ પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ ગયો છે. મરાઠી માનુષ અને હિન્દુ સ્વાભિમાનના મંત્ર પર ચાલનાર ઠાકરે પરિવાર પોતાનો ગઢ ભાજપ બચાવી ન શક્યો છે.

ઠાકરે પરિવાર, જેની ઓળખ મુંબઈ અને BMC સાથે જોડાયેલી રહી છે, પહેલીવાર તેના ગઢની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો છે. બે દાયકા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું એકસાથે આવ્યા છતા પણ ભાજપ સામે બિનઅસરકારક સાબિત થયું. તેવી જ રીતે, શરદ પવાર અને અજિત પવાર એક થયા છતા ભાજપ ગઠબંધન પુણે અને પિંપરી-ચિંચવડ જેવા ગઢમાં તેમને રોકવામાં અસમર્થ રહ્યા. તો કોંગ્રેસ, વિવિધ સહયોગીઓ સાથે ચૂંટણી લડવા છતા તેના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શકી. જે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પાર્ટીએ અગાઉ જીત મેળવી હતી, ત્યાં કોંગ્રેસ સમેટાઇ ગઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર જોખમો લેવાની વાત કરે છે, એવા નિર્ણયો, જેને લેતા પહેલા સરકારો ચૂંટણીમાં નુકસાનના ડરથી બચતી હતી. ભાજપે મહારાષ્ટ્રમાં આ જોખમી રાજકારણ જમીન પર ઉતાર્યું. 2024ની લોકસભા ચૂંટણીમાં, કોંગ્રેસ-શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે ગઠબંધને NDAને મોટો ઝટકો આપ્યો હતો. જોકે, વિધાનસભા ચૂંટણીમાં વાપસી બાદ, ભાજપે પડકારને પૂરી રીતે સ્વીકાર્યો અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં નિર્ણાયક જવાબ આપ્યો.

UP1
tv9hindi.com

2024ની લોકસભા ચૂંટણી બાદ, ભાજપે તેની રણનીતિ બદલી. અતિ-સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો 29-મુદ્દાનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો. તો, ઠાકરે પરિવારે મુંબઈમાં મરાઠી અસ્મિતાને મુખ્ય મુદ્દો બનાવ્યો, પરંતુ આ રણનીતિ નિષ્ફળ ગઈ.

મહારાષ્ટ્રમાં આ જીતની અસર માત્ર  રાજ્ય પૂરતી મર્યાદિત નહીં રહે. મુંબઈથી 1600 કિલોમીટર દૂર રાંચીમાં ભાજપ કાર્યાલયની બહાર ઉજવણીઓ થઈ. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આની પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં આગામી ચૂંટણીઓ પર માનસિક અસર પડશે. હાલમાં એટલું નક્કી છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે એક સંદેશ મોકલ્યો છે કે તેની વિરુદ્ધ બનાવવામાં આવેલા પ્રયોગ હોય કે, પછી ભલે ગઠબંધનના હોય કે વૈચારિક સમજૂતીના હોય, હવે સરળતાથી સફળ નહીં થાય. હિન્દુત્વ, વિકાસ અને મજબૂત નેતૃત્વના ત્રિકોણ સાથે, ભાજપે મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં એક નવો અધ્યાય લખી દીધો છે.

About The Author

Related Posts

Top News

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન...
Business 
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.