ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો શિલાન્યાસ કર્યો. તેમણે PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કર્યું, જેનો લાભ શેરી વિક્રેતાઓને મળશે. તિરુવનંતપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 નવી અમૃત ભારત ટ્રેનો: નાગરકોઇલ-મેંગલુરુ, તિરુવનંતપુરમ-તાંબરમ, તિરુવનંતપુરમ-ચારલાપલ્લી, ત્રિશુર અને ગુરુવયુર વચ્ચે એક નવી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

modi2
facebook.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેરળમાં ઉપસ્થિત વામપંથી જૂથો કદાચ મને પસંદ ન કરે. છતા, મને હકીકતો જણાવવા દો. 1987 અગાઉ ભાજપ ગુજરાતમાં હાંસિયાની પાર્ટી હતી. વર્ષ 1987માં, ભાજપે પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નિયંત્રણ મેળવ્યું, બરાબર એવી જ રીતે પાર્ટીએ તાજેતરમાં તિરુવનંતપુરમમાં જીત મેળવી છે. ત્યારથી, ગુજરાતના લોકોએ અમને સેવા કરવાની તકો આપી છે, અને અમે દાયકાઓથી આમ કરી રહ્યા છીએ.

અમારી યાત્રા ગુજરાતના એક શહેરથી શરૂ થઈ હતી, અને તેવી જ રીતે કેરળમાં પણ અમારી શરૂઆત એક શહેરથી થઈ છે. મારું માનવું છે કે આ દર્શાવે છે કે કેરળના લોકો ભાજપ પર વિશ્વાસ કરવા લાગ્યા છે અને એવી રીતે અમારી સાથે જોડાઈ રહ્યા છે, જેમ એક સમયે ગુજરાતના લોકો અમારી સાથે જોડાતા હતા.

તિરુવનંતપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે, કેરળના વિકાસ માટે કેન્દ્ર સરકારના પ્રયાસોને નવી ગતિ મળી છે. આજથી કેરળમાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત થઈ છે. તિરુવનંતપુરમને દેશમાં એક મુખ્ય સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે એક પહેલ કરવામાં આવી છે. આજે, કેરળથી સમગ્ર દેશ માટે ગરીબો કલ્યાણ સાથે જોડાયેલી એક મોટી પહેલ શરૂ થઈ રહી છે. આજે PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આનાથી દેશભરના શેરી વિક્રેતાઓ, ફૂટપાથ પર કામ કરનારા સાથીઓને ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણ માટે આખો દેશ સાથે મળીને કામ કરી રહ્યો છે. આપણા શહેરોએ આ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા 11 વર્ષોમાં અમારી સરકારે શહેરી માળખાગત સુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ રોકાણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી કે, ‘આજે તિરુવનંતપુરમમાં ભાજપ-NDA જાહેર સભાને સંબોધવા માટે આતુર છું. આ શહેરે તાજેતરમાં પૂર્ણ થયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં અમને વિજય અપાવીને ઇતિહાસ રચ્યો છે. એ સ્પષ્ટ છે કે કેરળ LDF અને UDF વચ્ચે ચાલી રહેલા ગોટાળાથી મુક્ત થવા માંગે છે.

modi1
facebook.com/narendramodi

સાથે જ, રેલ કનેક્ટિવિટી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી, જેમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, તેનાથી આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા વચ્ચે પ્રાદેશિક સંપર્ક મજબૂત બનશે.

નવી ટ્રેનો મુસાફરો માટે મુસાફરીને વધુ સસ્તી અને સુરક્ષિત બનાવશે. સાથે જ પ્રદેશમાં પર્યટન, વ્યવસાય, શિક્ષણ, રોજગાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધશે. PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ, UPI-લિંક્ડ વ્યાજ-મુક્ત રિવોલ્વિંગ ક્રેડિટ ફેસિલિટી, તેનાથી શેરી વિક્રેતાઓને તાત્કાલિક પૈસા મળી જશે. આ ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપશે. તેમને ઔપચારિક ક્રેડિટ ઇતિહાસ બનાવવામાં પણ મદદ મળશે.

modi
facebook.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં શેરી વિક્રેતાઓ સહિત એક લાખ લાભાર્થીઓને PM સ્વનિધિ લોનનું પણ વિતરણ કરશે. વિજ્ઞાન અને નવીનતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં CSIR-NIIST ઇનોવેશન, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતા હબનો શિલાન્યાસ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત...
Opinion 
બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.