‘..તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે’, ભાજપના સાંસદનું નિવેદન વાયરલ

સંસદના શિયાળુ સત્રમાં મનરેગાને બદલવા માટે એક નવી પોલિસી રજૂ કરવામાં આવી છે. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને યોજનાનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ આનો વિરોધ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે યોજનામાંથી ગાંધીજીનું નામ દૂર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી, જેમાં નૈનિતાલ-ઉધમપુરના સાંસદ અજય ભટ્ટે પણ પોતાની વાત રાખી હતી. ચર્ચા દરમિયાન તેમણે કંઈક એવું કહી દીધું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ajay-bhatt1
tv9hindi.com

સંસદમાં ચર્ચા દરમિયાન સાંસદે યોજનાનું આખું નામ પણ જણાવ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ જે આજે નામ બદલવાની વાત આવી છે. નામ બદલવાનો તો કોઈ સવાલ જ નથી. સમજવા જેવી વાત તો એ છે કે, રામ, હે રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ આ 9 શબ્દોનો સિદ્ધ મંત્ર છે.

આ મંત્રને જ મહાત્મા ગાંધીએ અપનાવ્યો હતો. તેમાં કંઈ ખોટું નથી. તેમનું પહેલાની જેમ જ સન્માન કરવામાં આવે છે. જો રામનું નામ યોજનામાં આવી ગયું તો કોંગ્રેસને ગુસ્સો આવી રહ્યો છે. સાંસદ અજય ભટ્ટે સંસદમાં VBG RAM G બિલનું આખું નામ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેનું આખું નામ વિકાસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ મિશન ગ્રામીણ છે. જો તેમાં રામજીનું નામ આવી ગયું તો આટલી બધી ચીડ શા માટે છે?

ajay-bhatt2
ndtv.com

સાંસદ અજયે કહ્યું કે, રામનો સિદ્ધ મંત્ર છે, તેનો જાપ કરવાથી દરેક કામ થઈ જાય છે. એટલે તમારે જાપ કરતા રહેવું જોઈએ. જો કોઈ છોકરી લગ્ન ન થઈ રહ્યા હોય, નોકરી ન મળી રહી હોય; કે પછી ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોય, જો પતિ-પત્ની વચ્ચે મેળ ન ખાતો હોય; સંબંધ બગડ્યો હોય અથવા જો ગાય દૂધ ન આપી રહી હોય તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો કામ થઈ જશે. તેમાં ઇન્ટેન્શન ક્યાં ખરાબ છે?.

સંસદની અંદરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ઘણા લોકો સાંસદને લઈને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સાંસદને જ પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.