‘..તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે’, ભાજપના સાંસદનું નિવેદન વાયરલ

સંસદના શિયાળુ સત્રમાં મનરેગાને બદલવા માટે એક નવી પોલિસી રજૂ કરવામાં આવી છે. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને યોજનાનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ આનો વિરોધ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે યોજનામાંથી ગાંધીજીનું નામ દૂર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી, જેમાં નૈનિતાલ-ઉધમપુરના સાંસદ અજય ભટ્ટે પણ પોતાની વાત રાખી હતી. ચર્ચા દરમિયાન તેમણે કંઈક એવું કહી દીધું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ajay-bhatt1
tv9hindi.com

સંસદમાં ચર્ચા દરમિયાન સાંસદે યોજનાનું આખું નામ પણ જણાવ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ જે આજે નામ બદલવાની વાત આવી છે. નામ બદલવાનો તો કોઈ સવાલ જ નથી. સમજવા જેવી વાત તો એ છે કે, રામ, હે રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ આ 9 શબ્દોનો સિદ્ધ મંત્ર છે.

આ મંત્રને જ મહાત્મા ગાંધીએ અપનાવ્યો હતો. તેમાં કંઈ ખોટું નથી. તેમનું પહેલાની જેમ જ સન્માન કરવામાં આવે છે. જો રામનું નામ યોજનામાં આવી ગયું તો કોંગ્રેસને ગુસ્સો આવી રહ્યો છે. સાંસદ અજય ભટ્ટે સંસદમાં VBG RAM G બિલનું આખું નામ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેનું આખું નામ વિકાસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ મિશન ગ્રામીણ છે. જો તેમાં રામજીનું નામ આવી ગયું તો આટલી બધી ચીડ શા માટે છે?

ajay-bhatt2
ndtv.com

સાંસદ અજયે કહ્યું કે, રામનો સિદ્ધ મંત્ર છે, તેનો જાપ કરવાથી દરેક કામ થઈ જાય છે. એટલે તમારે જાપ કરતા રહેવું જોઈએ. જો કોઈ છોકરી લગ્ન ન થઈ રહ્યા હોય, નોકરી ન મળી રહી હોય; કે પછી ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોય, જો પતિ-પત્ની વચ્ચે મેળ ન ખાતો હોય; સંબંધ બગડ્યો હોય અથવા જો ગાય દૂધ ન આપી રહી હોય તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો કામ થઈ જશે. તેમાં ઇન્ટેન્શન ક્યાં ખરાબ છે?.

સંસદની અંદરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ઘણા લોકો સાંસદને લઈને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સાંસદને જ પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.