શું સી.આર.પાટીલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે? ચર્ચાનો માહોલ ગરમ

ગુજરાત ભાજપ ના નેતા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નામ હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ચર્ચામાં છે. હાલમાં સુરતમાં ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન પાટીલની હાજરીએ આ અટકળોને વેગ આપ્યો છે. સુરતના કેટલાક કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કે જો પાટીલ આ પદ મેળવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પછી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે વજન વધશે. આ ચર્ચાઓ હજુ અટકળોના તબક્કે છે. 

સી.આર. પાટીલનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષની દોડમાં ત્યારે ચર્ચામાં આવી રહ્યું છે જ્યારે વર્તમાન અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયો.  દરમિયાન સુરતમાં અમિત શાહના પ્રવાસ દરમ્યાન જ્યાં પાટીલ સાથે હતા આ અટકળોને હવા મળી છે. સુરત શહેરમાં ચર્ચાઓમાં પાટીલની નજીકના નેતાઓ અને કાર્યકર્તાઓ આ નિમણૂકને ગુજરાતના ગૌરવ તરીકે જુએ છે. પાટીલનો પીએમ મોદી સાથેની નિકટતાનો આભા અને હવે ગૃહમંત્રી સાથેની નિકટતાની અટકળો આ ચર્ચાઓને વધુ વેગ આપે છે. 

02

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની દાવેદારીના મજબૂત પાસાંઓમાં પાટીલનો પાર્ટીની આંતરિક રાજનીતિમાં પ્રભાવ અને ગુજરાતમાં ભાજપની સતત સફળતા છે. ગુજરાતમાં પાટીલના નેતૃત્વમાં પાર્ટીને ચૂંટણીઓમાં સતત વિજય મળ્યો છે. પાટીલની વહીવટી શૈલી અને પાર્ટીના નેતાઓ પરની યેન કેન પ્રકારે પકડ એક શક્તિશાળી નેતૃત્વ પુરવાર કરે છે. ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિ અને પીએમ મોદીના વિશ્વાસને કારણે પાટીલને રાષ્ટ્રીય નેતૃત્વમાં આગળ લાવવાની શક્યતા વધે છે. સુરતના તાજેતરના ગૃહમંત્રી શાહના પ્રવાસે આ ચર્ચાઓને વધુ બળ આપ્યું. 

નવસારી લોકસભાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે કે પાટીલની નિમણૂકથી રાષ્ટ્રીય રાજકારણમાં વજન વધશે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતી નેતાની નિમણૂકને ગુજરાતના વર્ચસ્વના પ્રતીક તરીકે ચર્ચા કરવામાં આવી રહી છે. 

03

પાટીલની દાવેદારી સામે કેટલાક પડકારો પણ છે. ભાજપની આંતરિક રાજનીતિમાં સંતુલન જાળવવું મહત્વનું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સલાહ નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હાલના સમયમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં પાર્ટીના વિસ્તરણને ધ્યાનમાં રાખીને ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, શિવરાજસિંહ ચૌહાણ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે. આ નેતાઓની પોતાની સંગઠનાત્મક ક્ષમતા અને પ્રાદેશિક પ્રભાવ છે જે પાટીલની સંભાવનાઓને પડકાર આપે છે. ખાસ કરીને ગુજરાતમાંથી બે મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્તરે પહેલેથી સક્રિય હોવાથી પાર્ટી ગુજરાતી નેતાને ત્રીજું મોટું પદ આપવાનું ટાળી શકે છે જેથી પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે. આરએસએસનો પ્રભાવ પણ આ નિર્ણયમાં મહત્વનો રહેશે અને તેમની પસંદગી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ કે ઓડિશા કે દક્ષિણ જેવા રાજ્યોના નેતા તરફ વળી શકે છે.

વિશેષમાં ભાજપની વ્યૂહરચના ૨૦૨૯ની લોકસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત હોય જેમાં પૂર્વ અને દક્ષિણ ભારતમાં પાર્ટીનો વિસ્તાર મહત્વનો છે. આને ધ્યાનમાં રાખીને પાટીલની ગુજરાત કેન્દ્રિત છબિ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની દાવેદારીને મર્યાદિત કરી શકે છે. ગુજરાતમાં પાર્ટીની મજબૂત સ્થિતિને જોતાં પાટીલને રાજ્યમાં રાખવાનો નિર્ણય પણ પાર્ટી હાઈકમાન્ડ લઈ શકે છે જેથી રાષ્ટ્રીય સ્તરે નવા યુવા ચહેરાઓને તક મળે.

નવસારી સુરત ભાજપ કાર્યકર્તાઓમાં પાટીલની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની નિમણૂકને લઈને ઉત્સાહ છે. તેઓ માને છે કે આ નિમણૂક ગુજરાતના રાજકીય વર્ચસ્વને મજબૂત કરશે અને પાર્ટીને નવી દિશા આપશે. જોકે આ ઉત્સાહ રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના વ્યાપક હિતો સાથે સંઘર્ષ અસંતુલન પણ કરી શકે છે કારણ કે ભાજપની નીતિ પ્રાદેશિક સંતુલન અને વૈવિધ્યને પ્રાધાન્ય આપે છે.

સી.આર. પાટીલનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે માત્ર ચોક્કસ કાર્યકર્તાઓની ટોળીમાં ચર્ચામાં છે અને ચલાવવામાં આવી રહ્યું હોય શકે છે. આવનારા મહિનાઓમાં પાર્ટીનો નિર્ણય આ વિષયને સ્પષ્ટતા આપશે. હાલમાં આ ચર્ચાઓ રાજકીય માહોલને ગરમ રાખે છે પરંતુ તે માત્ર અટકળો જ રહેશે કે વાસ્તવિકતા બનશે તે સમય જ જણાવશે.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.