કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને તેનું જૂનું કાર્યાલય એટલે કે 24 અકબર રોડ સ્થિત બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ઇન્દિરા ભવનમાં નવું કાર્યાલય ખસેડ્યા બાદ પણ કોંગ્રેસે આ જૂનો બંગલો ખાલી કર્યો નહોતો. અહીં પણ પાર્ટીની ગતિવિધિઓ પહેલાની જેમ જ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોંગ્રેસને 5 રાયસીના રોડ સ્થિત યુથ કોંગ્રેસ કાર્યાલય ખાલી કરવાની પણ નોટિસ મળી છે.

congress-office1
thehindu.com

કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસને 24 અકબર રોડ સ્થિત બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે. પાર્ટીને કહેવામાં આવ્યું છે કે, આગામી 28 માર્ચ સુધીમાં જૂનો બંગલો ખાલી કરી દો. આ સાથે જ, 5 રાયસીના રોડ સ્થિત યુથ કોંગ્રેસ કાર્યાલય ખાલી કરવા માટે નોટિસ પણ મળી છે.

છેલ્લા 48 વર્ષથી 24 અકબર રોડ પરનો બંગલો કોંગ્રેસ પાર્ટીનું મુખ્યાલય છે. જો કે, ગયા વર્ષે પાર્ટીના નવા મુખ્યાલય ઇન્દિરા ભવનનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, પરંતુ કોંગ્રેસે 24 અકબર રોડ પરનું કાર્યાલય ખાલી કર્યું નહોતું. અહીં પણ પાર્ટીની પ્રવૃત્તિઓ પહેલાની જેમ જ ચાલુ રહે છે. નોટિસ મળ્યા બાદ, પાર્ટી હાલમાં રાહત મેળવવા માટે કાયદાકીય વિકલ્પો શોધી રહી છે.

congress-office3
deccanherald.com

24 અકબર રોડ, એ સરનામું છે જ્યાંથી કોંગ્રેસ પાર્ટી લગભગ 50 વર્ષથી દેશભરમાં સત્તા ચલાવતી આવી રહી છે. વર્ષ 1978માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું પુનર્ગઠન થયું, ત્યારથી લઈને અત્યાર સુધી અહી કોંગ્રેસનું સરનામું રહ્યું, પરંતુ હવે કોંગ્રેસને આ મુખ્યાલય ખાલી કરવું પડી શકે છે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન ભારે ડ્રામેબાજી જોવા મળી હતી. આમ આદમી પાર્ટી (...
Gujarat 
ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

રાજકોટમાં મંત્ર થેરાપી દરબારમાં 750થી વધુ લોકો જોડાયા

રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી "ૐ ગુરુ" દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર...
Gujarat 
રાજકોટમાં મંત્ર થેરાપી દરબારમાં 750થી વધુ લોકો જોડાયા

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે...
Gujarat 
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને તેનું જૂનું કાર્યાલય એટલે કે 24 અકબર રોડ સ્થિત બંગલો ખાલી કરવાની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા...
Politics 
કોંગ્રેસને બંગલો ખાલી કરવાનો આદેશ, સમયમર્યાદા પણ આપી દીધી

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.