અમદાવાદ કોર્ટે કોંગ્રેસ નેતાઓને PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો હટાવવા આદેશ કર્યો

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ (અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ) દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના 4 નેતાઓ જયરામ રમેશ, પવન ખેડા ઉદય ભાનુ અને સુપ્રિયા શ્રીનેતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિઝનેસમેન ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવાનો આદેશ આપ્યો છે.

તો કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિકો X કોર્પ અને ગૂગલ LLPને પણ 72 કલાકમાં આ વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કોંગ્રેસ અને તેના નેતાઓને 29 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. અમદાવાદ જિલ્લા કોર્ટના એડિશનલ સિવિલ જજે અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડની અરજી પર X પોસ્ટને આદેશ આપ્યા હતા. કંપનીએ કોંગ્રેસના X હેન્ડલ પર 17 ડિસેમ્બરે પોસ્ટ કરાયેલા વીડિયોને લઈને આપત્તિ દર્શાવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિઝનેસમેન ગૌતમ અદાણી વચ્ચેની વાતચીત બતાવવામાં આવી હતી અને તેનું કેપ્શન લગાવવામાં આવ્યું હતું- ‘મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ વેચકર ખાઈ મલાઈ.

congress1
scroll.in
modi-adani2
scroll.in

કંપનીએ આંતરિમ રાહત તરીકે રાજકીય પાર્ટી, તેના નેતાઓ અને સોશિયલ મીડિયા કંપનીઓ સહિત 7 પ્રતિવાદીઓને તરત જ આ ડીપફેક વીડિયો હટાવવાનો આદેશ આપવાનો અનુરોધ કર્યો હતો કારણ કે તે નુકસાનકારક અને માનહાનિકારક હોવાનું જણાવ્યું હતું. કોર્ટે વધુમાં આદેશ આપ્યો કે પ્રતિવાદીઓ દ્વારા આદેશનું પાલન ન થવા પર, વાદીને માહિતી પ્રૌદ્યોગિકી, મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નિયમ 2021 અનુસાર યોગ્ય કાર્યવાહીની છૂટ આપવામાં આવે છે.

માનહાનિના કેસમાં અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડે જણાવ્યું છે કે, આ વીડિયોમાં અદાણીને વ્હાઇટ-કોલર ક્રિમિનલ, લેન્ડ માફિયા, રાજકીય રીતે જોડાયેલ ગુનેગાર અને સત્તાના દુરુપયોગમાં સંકળાયેલ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. કોઈપણ ચકાસણી વિના કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓએ આ વીડિયો પોસ્ટ કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડે તાત્કાલિક આ માનહાનિકારક વીડિયો, પોસ્ટ્સ અને ડિજિટલ સામગ્રીને પ્રતિવાદીઓની વેબસાઇટ્સ, ચેનલો, પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી હટાવવાની તેમજ અરજીની સુનાવણી સુધી આવી કોઈ પણ માનહાનિકારક સામગ્રીના વધુ પ્રસાર, પ્રકાશન અથવા પુનઃપ્રકાશન પર રોક લગાવવાની માગ કરી છે.

adani
livemint.com

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડે વધુમાં કહ્યું છે કે, કોંગ્રેસ અને તેના 4 નેતાઓએ વીડિયો અને પોસ્ટ દ્વારા અદાણી પર ગુનાહિત પ્રવૃત્તિ, ભ્રષ્ટાચાર, જમીન કબજા, રાજકીય પ્રભાવનો દુરુપયોગ, ખાનગી નાગરિકોને હેરાનગતિ, કૃષિ જમીનનું ગેરકાયદે અધિગ્રહણ, જાહેર સત્તાધીશોનું મેનિપ્યુલેશન અને ગુનાહિત તત્વો સાથે સંડોવણી જેવા આક્ષેપો કર્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા, ઘડવામાં આવેલા, આધારવિહિન અને દુર્ભાવનાથી પ્રેરિત છે.

આક્ષેપિત માનહાનિકારક સામગ્રી દૂર કરવા માટેની આંતરિમ રાહત અંગેની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, આ સામગ્રી પ્રથમ દૃષ્ટિએ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર પ્રતિવાદીઓની કાર્યવાહી વાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની સંભાવના છે અને સમાજમાં તેની સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. કોર્ટે કોંગ્રેસ અને તેના નેતાઓને 29 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે કારણદર્શક નોટિસ પણ આપી છે.

congress
prokerala.com

કોર્ટે નોંધ્યું કે અદાણી ગ્રુપમાં ભારત અને વૈશ્વિક સ્તરે હાજરી ધરાવતી ઘણી જાહેરમાં સૂચિબદ્ધ કંપનીઓનો સમાવેશ થાય છે અને આવી સામગ્રીનું અનિયંત્રિત પ્રસારણ જનતા અને હિસ્સેદારોને ગેરમાર્ગે દોરી શકે છે અને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ખુશવંત સિંહ વિરુદ્ધ મેનકા ગાંધી, મોર્ગન સ્ટેનલી મ્યુચ્યુઅલ ફંડ વિરુદ્ધ કાર્તિક દાસ અને સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા સહિતના સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ પર આધાર રાખીને કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે માનહાનિના કેસોમાં મનાઈ હુકમ ખૂબ જ મર્યાદિત કેસોમાં લાદવામાં આવવો જોઈએ, પરંતુ કોર્ટોને અપવાદરૂપ કેસોમાં હસ્તક્ષેપ કરવાની સત્તા છે જ્યાં સામગ્રી સ્પષ્ટપણે માનહાનિકારક, સ્પષ્ટપણે ખોટી અને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડવાની સંભાવના છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રતિષ્ઠાનો અધિકાર બંધારણના અનુચ્છેદ-21નો એક પાસું છે. આંશિક રાહત આપતા કોર્ટે આદેશ આપ્યો કે વિવાદિત વીડિયોને લઈને આગામી સુનાવણી તારીખ જે 29 ડિસેમ્બર, 2025ના રોજ નિર્ધારિત છે, તે પહેલાં હટાવવા કહેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.