અદાણી મામલે રાહુલ ગાંધીના સંસદમાં સ્ફોટક નિવેદનો મામલે ભાજપે આપી પ્રતિક્રિયા

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને થઈ રહેલી ચર્ચા દરમિયાન સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ PM મોદી અને ગૌતમ અદાણીને લઈને તીખી ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીના એ નિવેદન પર હવે BJPએ પલટવાર કર્યો છે. BJPના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે સોમવારે રાહુલ ગાંધીના સંસદમાં આપેલા ભાષણને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી છે.

આ દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં જે પણ કહ્યું તે ખૂબ જ શરમજનક હતું. તેમના બધા આરોપો પાયાવિહોણા છે. અમે આશા રાખી રહ્યા હતા કે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને થઈ રહેલી ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી મર્યાદાનું ધ્યાન રાખશે પરંતુ, તેમણે જે બેશરમી સાથે આરોપો લગાવ્યા છે, એ કારણે જરૂરી બની જાય છે કે તેમના અને તેમના પરિવારનું સત્ય પણ સામે લાવવામાં આવે.

રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, રાહુલ ગાંધીએ જેટલા આરોપો લગાવ્યા તે બધા ખોટાં છે. ભલે તે શ્રીલંકા વિશે હોય કે પછી ભારત વિશે, બધુ જ નિયમો અંતર્ગત થયુ છે. અન્ય ઘણા પ્રદેશોમાં પણ થયુ છે. પરંતુ, મને લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાની યાદશક્તિ સુધારવાની જરૂર છે. હું તમને યાદ અપાવવા માંગુ છું કે તમે અને તમારા માતાજી જામીન પર છો. તમારા બનેવી પણ જામીન પર છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને કેટલાક સવાલો પણ પૂછ્યા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી તમે તેનો જવાબ આપો કે નેશનલ હેરાલ્ડ સ્કેન્ડલ શું છે. 90 કરોડ રૂપિયાની લોનને રાઈટ ઓફ કરી દેવામાં આવી અને નેશનલ હેરાલ્ડ જેવા જૂના વેલ નોન ન્યૂઝપેપરના બધા શેર તમારી પાસે આવી ગયા. શું દિલ્હી, શું લખનૌ, શું મુંબઈ દરેક જગ્યાએ હજારોની સંપત્તિ અને તમારી અને તમારી માતાજીની પાસે આવી ગઈ. તમે હાઈકોર્ટ ગયા હતા શું થયુ નિષ્ફળ થઈ ગયા. આજે તમે ટ્રાયલ ફેસ કરવાના છો. નેશનલ હેરાલ્ડનો મામલો એકમાત્ર એવો મામલો નથી.

એક મામલો રાજીવ ગાંધી ટ્રસ્ટનો પણ છે. અમેઠીમાં જ્યાં દોઢ વીંઘા કરતા વધુ જમીન લેવામાં આવી, કંઈ કામ ના થયુ તેને પણ CM યોગીની સરકારે રિકવર કરી. બાકી અગસ્તાવેસ્ટલેન્ડ ઘોટાળો શું છે? 2013માં એ કંપની પાસે કમિશન લેવાનો આરોપ હતો. 12 હેલિકોપ્ટર ખરીદવામાં 360 કરોડ લાંચ લેવાની વાત હતી. તેની પણ ટ્રાયલ થઈ.

હવે જરા વાડ્રા સાહેબની વાત કરીએ, તેઓ તમારા બનેવી છે. જીજાજીના DLF ઘોટાળામાં શું થયુ, કઈ રીતે 65 કરોડની વ્યાજ રહિત લોન મળી ગઈ અને જમીન પણ મળી ગઈ. તમે જે સસ્તી જમીન લીધી હતી, તેને બાદમાં તમે ભાવ વધારીને વેચી દીધી. કોલસા ઘોટાળો, આદર્શ ઘોટાળો આ બધુ શું હતું?

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.