સચિન પાયલટે વસુંધરા રાજે અને અશોક ગેહલોત વિશે એવું કહી દીધું કે થશે મોટી બબાલ

અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાજસ્થાનમાં સરકાર બચાવવા પાછળ BJP નેતા અને પૂર્વ CM વસુંધરા રાજેનો હાથ છે. ગેહલોતના આ નિવેદનને લઇને સચિન પાયલટ આજે ગુસ્સામાં દેખાયા. પાયલટે કહ્યું કે, તેનાથી વધુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રીનું જે ભાષણ થયુ તેના પરથી લાગે છે કે મુખ્યમંત્રીની નેતા સોનિયા ગાંધી નથી, તેમની નેતા વસુંધરા રાજે છે. પાયલટે કહ્યું કે, એક તરફ કહેવામાં આવી રહ્યું હતું કે, અમારી સરકારને તોડી પાડવાનું કામ BJP કરી રહી હતી. બીજી તરફ કહેવામાં આવ્યું કે, વસુંધરાએ સરકાર બચાવી, તો સત્ય શું છે એ સ્પષ્ટ કરી દેવુ જોઈએ. પાયલટે કહ્યું કે, મારી ઉપર રાષ્ટ્રદ્રોહ પણ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હું અને મારા સાથી ઇચ્છતા હતા કે નેતૃત્વ પરિવર્તન થાય અને અમે લોકો દિલ્હી ગયા હતા, જેને લઇને કમિટીનું ગઠન કરવામાં આવ્યું.

સચિન પાયલટે આગળ કહ્યું કે, અમે બધાએ પૂરા જોશ સાથે પ્રયત્ન કર્યા હતા. અનુશાસન તોડવાનું કામ ક્યારેય નથી કર્યું. મને ઘણુ બધુ કહેવામાં આવ્યું, નિકમ્મા, ગદ્દાર, વગેરે પરંતુ, જે આરોપ લાગ્યા તે ખોટા હતા. જે ભાષણ આપ્યું તેમા તેમણે જ સરકારના નેતાઓને બેઇજ્જત કરવામાં આવી રહ્યા છે અને BJP ના ગુણગાન કરવામાં આવી રહ્યા છે. હું આ પાયાવિહોણા અને ખોટા આરોપોને નકારું છું. થોડાં રૂપિયામાં નેતાઓના વેચાઇ જવાનો આરોપ લગાવી દેવા તદ્દન ખોટું છે.

પાયટલે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું, અમે દિલ્હી ગયા, પોતાની વાત રજૂ કરી અને તમામ વાતને સમજીને સોનિયાજીએ દિલ્હીથી નેતાઓને મોકલ્યા અને મીટિંગ થઈ જ ના શકી. તે ગદ્દારી હતી કારણ કે, અવગણના કરવામાં આવી. અત્યારસુધી જે કંઈ થયુ તે સ્પષ્ટ દેખાય છે કે અનુશાસનહીનતા કોણે કરી. પાર્ટીને કોણ નબળી બનાવી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે. પોતાના નેતાઓને ખુશ કરવા માટે દરેક વ્યક્તિ ઘણુ બધુ કહે છે પરંતુ, હું સ્ટેજ પરથી બોલું તે શોભા નથી આપતું.

સચિન પાયલટે ગેહલોત પર નિશાનો સાધતા કહ્યું, હું દોઢ વર્ષથી ચિઠ્ઠીઓ લખી રહ્યો છું. વસુંધરાના કાર્યકાળમાં જે ભ્રષ્ટાચાર થયા તેની તપાસ શા માટે ના થઈ. હવે સમજાઈ રહ્યું છે કે, તેની તપાસ શા માટે ના થઈ. સચિન પાયલટે આગળ કહ્યું, મેં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવ્યો છે અને આગળ પણ ઉઠાવીશ. મેં 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી જનસંઘર્ષ પદયાત્રા કરવા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અને યુવાઓ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓને ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. મારું માનવુ છે કે, યોગ્ય નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે આપણી પાસે લોકોનું સમર્થન હોય.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.