સચિન પાયલટે વસુંધરા રાજે અને અશોક ગેહલોત વિશે એવું કહી દીધું કે થશે મોટી બબાલ

અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાજસ્થાનમાં સરકાર બચાવવા પાછળ BJP નેતા અને પૂર્વ CM વસુંધરા રાજેનો હાથ છે. ગેહલોતના આ નિવેદનને લઇને સચિન પાયલટ આજે ગુસ્સામાં દેખાયા. પાયલટે કહ્યું કે, તેનાથી વધુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રીનું જે ભાષણ થયુ તેના પરથી લાગે છે કે મુખ્યમંત્રીની નેતા સોનિયા ગાંધી નથી, તેમની નેતા વસુંધરા રાજે છે. પાયલટે કહ્યું કે, એક તરફ કહેવામાં આવી રહ્યું હતું કે, અમારી સરકારને તોડી પાડવાનું કામ BJP કરી રહી હતી. બીજી તરફ કહેવામાં આવ્યું કે, વસુંધરાએ સરકાર બચાવી, તો સત્ય શું છે એ સ્પષ્ટ કરી દેવુ જોઈએ. પાયલટે કહ્યું કે, મારી ઉપર રાષ્ટ્રદ્રોહ પણ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હું અને મારા સાથી ઇચ્છતા હતા કે નેતૃત્વ પરિવર્તન થાય અને અમે લોકો દિલ્હી ગયા હતા, જેને લઇને કમિટીનું ગઠન કરવામાં આવ્યું.

સચિન પાયલટે આગળ કહ્યું કે, અમે બધાએ પૂરા જોશ સાથે પ્રયત્ન કર્યા હતા. અનુશાસન તોડવાનું કામ ક્યારેય નથી કર્યું. મને ઘણુ બધુ કહેવામાં આવ્યું, નિકમ્મા, ગદ્દાર, વગેરે પરંતુ, જે આરોપ લાગ્યા તે ખોટા હતા. જે ભાષણ આપ્યું તેમા તેમણે જ સરકારના નેતાઓને બેઇજ્જત કરવામાં આવી રહ્યા છે અને BJP ના ગુણગાન કરવામાં આવી રહ્યા છે. હું આ પાયાવિહોણા અને ખોટા આરોપોને નકારું છું. થોડાં રૂપિયામાં નેતાઓના વેચાઇ જવાનો આરોપ લગાવી દેવા તદ્દન ખોટું છે.

પાયટલે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું, અમે દિલ્હી ગયા, પોતાની વાત રજૂ કરી અને તમામ વાતને સમજીને સોનિયાજીએ દિલ્હીથી નેતાઓને મોકલ્યા અને મીટિંગ થઈ જ ના શકી. તે ગદ્દારી હતી કારણ કે, અવગણના કરવામાં આવી. અત્યારસુધી જે કંઈ થયુ તે સ્પષ્ટ દેખાય છે કે અનુશાસનહીનતા કોણે કરી. પાર્ટીને કોણ નબળી બનાવી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે. પોતાના નેતાઓને ખુશ કરવા માટે દરેક વ્યક્તિ ઘણુ બધુ કહે છે પરંતુ, હું સ્ટેજ પરથી બોલું તે શોભા નથી આપતું.

સચિન પાયલટે ગેહલોત પર નિશાનો સાધતા કહ્યું, હું દોઢ વર્ષથી ચિઠ્ઠીઓ લખી રહ્યો છું. વસુંધરાના કાર્યકાળમાં જે ભ્રષ્ટાચાર થયા તેની તપાસ શા માટે ના થઈ. હવે સમજાઈ રહ્યું છે કે, તેની તપાસ શા માટે ના થઈ. સચિન પાયલટે આગળ કહ્યું, મેં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવ્યો છે અને આગળ પણ ઉઠાવીશ. મેં 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી જનસંઘર્ષ પદયાત્રા કરવા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ અને યુવાઓ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓને ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. મારું માનવુ છે કે, યોગ્ય નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે આપણી પાસે લોકોનું સમર્થન હોય.

About The Author

Related Posts

Top News

પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે, અને છેતરપિંડી કરનારાઓ હવે લોકોને ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી...
Gujarat 
પ્રેમ, લગ્ન અને વિદેશમાં સ્થાયી થવાની લાલચ... વકીલને કંગાળ કરી નાંખ્યા

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક તરફથી મોટા સમાચાર આવ્યા છે, જેણે બેંકિંગ ક્ષેત્ર અને શેરબજાર બંનેને આશ્ચર્યચકિત...
Business 
HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામાથી રોકાણકારોમાં ખળભળાટ, હવે કોણ સંભાળશે સુકાન?

'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મુસાફર અને ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) ...
National 
'મને ફોન આપી દે નહીંતર હું ટ્રેનમાંથી ઉતારી મુકીશ,' મુસાફરે ચુપકેથી ઘટના રેકોર્ડ કર્યા પછી...

આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. એવામાં, તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે....
Politics 
આસામમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રતિક બોરદોલોઇએ આ બેઠક પરથી ટિકિટ પાછી આપી દીધી

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.